ફાગણ મહિનાના વદ પક્ષની સાતમને શીતળા સાતમ (મારવાડી સાતમ) કહેવામાં આવે છે. આ પર્વ મારવાડી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાના વદ પક્ષની સાતમ અને આઠમના દિવસે ઠંડું ભોજન કરવાની પરંપરા છે. આ દિવસોમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. શીતળા માતા ગધેડાની સવારી કરે છે, તેમના હાથમાં કળશ, સાવરણી, સૂપડી રહે છે. તેઓ લીમડાના પાનની માળા ધારણ કરે છે. શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવો જોઇએ. મારવાડી સાતમ અને આઠમ શરદી અને ગરમીના સમયગાળા વચ્ચે આવે છે. હાલ શિયાળો પૂર્ણ થવા પર છે અને ગરમીની શરૂઆતનો સમય છે. બે ઋતુઓના સંધિકાળમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. સંધિકાળમાં જરૂરી સાવધાની રાખવામાં આવે છે. આ સમયમાં ખાનપાનમાં કરવામાં આવતી બેદરકારી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. આ 2 દિવસોમાં શીતળા માતા માટે વ્રત રાખવામાં આવે છે. આ વ્રતનું પાલન કરતાં લોકો આ દિવસોમાં વાસી એટલે ઠંડું ભોજન ખાય છે. સાતમ અથવા આઠમે ઠંડું ભોજન કરવાથી ઠંડીના પ્રકોપથી થતી કફ સંબંધી બિમારીઓ થવાની સંભાવનાઓ ઓછી રહે છે. વર્ષમાં એક દિવસ શરદી અને ગરમીના સંધિકાળમાં ઠંડું ભોજન કરવાથી પેટ અને પાચન તંત્રને પણ લાભ મળે છે. અનેક લોકોને ઠંડીના કારણે તાવ, ફોડલા, આંખ સંબંધિત પરેશાની વગેરે થવાની સંભાવનાઓ રહે છે. તેમણે દર વર્ષે શીતળા સાતમ અને આઠમે વાસી ભોજન કરવું જોઇએ. શીતળા માતાની પૂજા કરતાં લોકો આ તિથિએ ગરમ ભોજન કરવાથી બચવું જોઇએ.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.