અમદાવાદ એરપોર્ટ પર કતાર એરલાઈન્સે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શરમ રાખ્યા વિમાન તેમના પુત્ર જૈમિન પટેલને વધારે પડતું દારૂનું સેવન કરેલ હોવાથી ફ્લાઈટમાં ન જવા દઈ પરત મોકલી દીધોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યની ભાજપ સરકારે દારૂબંધીનો કડક અમલ કાગળ ઉપર કર્યોના દાવાઓની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પુત્ર જૈમિન નીતિન પટેલ પત્નિ ઝલક જૈમિન પટેલ અને પુત્રી વૈશ્વી જૈમિન પટેલ આજરોજ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની કતાર એરલાઈન્સની ફ્લાઈટમાં ગ્રીસ જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો હતો. જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલ હોવાથી ચાલી શકાય તેમ ન હોઈ તેઓ વ્હીલચેર ઉપર બેસીને બોર્ડીંગ અને ઈમિગ્રેશન ચેક કરી લીધેલ હતું. ત્યાર બાદ ફલાઈટમાં બેસવા ગયા ત્યારે કતાર એરલાઈન્સના સ્ટાફ/ક્રુ મેમ્બરને માલુમ પડ્યુ હતું કે જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલ છે અને તેઓ પોતે જાતે ચાલી શકે તેમ નથી અને દારૂના કારણે કાબુમાં ન હતા જેથી તેઓને ફલાઈટમાંથી ઉતરી પરત જવા જણાવ્યું ત્યારે જૈમિન પટેલને પોતે શુદ્ધ ભાનમાં પણ ન હતા અને દારૂનું વધારે પડતું સેવન કરવાથી વાણી અને વર્તન ખરાબ હતા. એરલાઈન્સના ક્રુ મેમ્બર અને સ્ટાફ સાથે બેફામ અભદ્ર ભાષામાં જોરથી બોલાચાલી થતાં તેઓને ફલાઈટમાંથી ઉતારી મુકવા માટે ક્રુ મેમ્બરોએ ફરીયાદ કરી હતી ત્યારે તેઓની પત્નીએ સમય સુચકતા વાપરી વધુ ગંભીર બનાવ બને કે બદનામી થાય તે પહેલાં માફી માંગી લેતાં મામલો થાળે પડ્યો હતો. દારૂ ના કેસમાં સામાન્ય માણસ હોય તો તેઓ સામે પોલીસ કેસ કરવામાં આવતો હોય છે ત્યારે અહીં નીતિન પટેલનો પુત્ર હોવાના નાતે કોઈને ગંધ પણ ન આવે તે રીતે જૈમિન પટેલને ઘરે રવાના કરવામાં આવ્યા હતાં. ઉપરાંત કતાર એરલાઈન્સના સ્ટાફને લાગ્યું કે જૈમિન પટેલને એરલાઈન્સમાં(ફલાઈટમાં) લઈ જવામાં આવે તો તેઓ ફલાઈટમાં ગમે તેવું કૃત્ય કરી શકે તેમ છે. તેથી કતાર એરલાઈન્સના સ્ટાફે સુઝ વાપરીને જૈમિન નીતિનભાઈ પટેલને ફ્લાઈટમાં જવા દીધેલ ન હતા અને પરત મોકલી આપેલ હતા. એક બાજુ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવાની સરકારે કાગળ પર તૈયારી દાખવી છે ત્યારે કતાર એરલાઈન્સે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શરમ રાખ્યા વગર નિયમો મુજબ જૈમિન પટેલને દારૂ પીધેલ હોવાથી પરત મોકલી ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યુ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પુત્ર હોવાના નાતે સ્થાનિક પોલીસે જૈમિન પટેલ સામે કોઈ પગલાં લીધાં નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે એમ જણાવ્યું કે તેમનો પૂત્ર જૈમિનની તબીયત અચાનક લથડતા તે વિદેશ ન જઈ શક્યો પરંતુ જો ખરેખરમાં તેની તબીયત લથડી જ છે અને તેમાં પણ જો વિદેશ પ્રવાસ અટકાવવો પડે તેવી સ્થિતિ આવી ગઈ છે તો તેને કોઈ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો નથી કે પછી તેણે સારવાર પણ લીધી હોય તેવા અહેવાલો પણ સાંપડ્યા નથી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.