પેપરલીક કૌભાંડ મામલે હેડ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનાં રાજીનામાની માંગ સાથે સાત દિવસથી ‘આપ’ નેતા મહેશ સવાણીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. દરમિયાન ગઈકાલે સવાણીની તબિયત લથડતા એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ પારણાં કરવાની સલાહ આપી હતી. જોકે પહેલા તો સવાણી અડગ રહ્યા હતા. પરંતુ આજે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોનાં હસ્તે અંતે સવાણીએ પારણાં કર્યા છે. સાથે પ્રદેશ કાર્યાલય ખાતે આપના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણીએ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી અને આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા છે.
હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા. અંતર્ગત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી ઉપવાસ પર હતા. જેમાં સવાણીની તબિયત લથડતા તેમને હૉસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા. પરંતુ ઉપસાવના આઠમા દિવસે મહેશ સવાણીએ પારણા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની માંગ સાથે આમ આદમી પાર્ટી આંદોલન પર ઉતરી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યુ હતું કે, સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ આટલા સમયમાં અસીતવોરાનું રાજીનામુ લેવામાં આવે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરશે. રોડ પર આવવું પડે તો પણ આવીશું પરંતુ વિદ્યાર્થીનાં હિતમાં લડીશું. 13 જાન્યુઆરીએ આયોજીત થનારી પરીક્ષા અંગે પણ સરકારનું અને ગૃહરાજ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત વોરાનું રાજીનામું નહી આવે પછી સિગ્નેચર અભિયાન ચલાવીશું. અસિતવોરા પદ પર રહેશે ત્યાં સુધી 100થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે. સહિતની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે.