કોરોનાએ ત્રીજી લહેરે મોઢું ફાડ્યું ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાળા સાથે રાજકોટમાં CMનો રોડ શો મુખ્યમંત્રીએ કહ્યું, સૌરાષ્ટ્ર આવીને સ્વર્ગ ભુલાવે એવું સ્વાગત કર્યું હતું વટ પાડી દીધો ગુજરાતીમાં કહેવત છે વાડ જ ચીભડાં ગળે કોરોના મહામારીને કારણે ભયાનક સાબિત થયેલા વર્ષ 2021ના છેલ્લા દિવસે રાજ્ય સરકારના સુશાસન આઠમો સમાપન સમારોહ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મોટા ભાગની સરકાર રાજકોટમાં ભારે ભીડ ઉમટી હતી મુખ્યમંત્રીના રોડ-શોમાં કાર્યકરોની સાથે પોલીસની પણ એટલી જ ભીડ બંદોબસ્ત માટે ભેગી થઈ હતી.વાડ જ ચીભડાં ગળે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને પત્ર લખીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાવી તથા ટેસ્ટિંગ વધારવા, કોવિડ ગાઈડ લાઈનના પાલન કરવાનું પણ જણાવ્યું હતું 1000 બાઇકસવારોની રેલીને મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપી સ્થાન કરાવ્યું હતું. રોડ-શોના સમગ્ર રૂટ પર 67 જેટલા વિવિધ સ્પોટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું 18 જેટલા સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી. બેન્ડ દ્વારા પાઈપર કેપ, ગુરખા બ્રિગેડ, આર્યન લેડી જેવી વિવિધ ધૂન પર સંગીત આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ધીમી છે હાલના તબક્કે વધુ નિયંત્રણોની જરૂરિયાત નથી. ભાજપના કાર્યકરો માસ્ક પહેરે. લોકોને દંડ કરીએ એ પહેલાં આપણે નિયમોનું પાલન કરીએ.કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેથી રસીકરણ અને માસ્ક એ જ આપણું સુરક્ષા કવચ છે. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ ત્રીજી લહેર ને રોકવાનું કવચ છે અને મેળાવડા માપનુસાર કરવા – ઋષિકેશ પટેલ, આરોગ્યમંત્રી.2021ના વર્ષના છેલ્લા દિવસે રાજ્યમાં દૈનિક કેસનો આંક 600ને પાર થયો હતો. શુક્રવારે રાજ્યમાં 654 નવા કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 317 કેસ ફક્ત અમદાવાદમાં નોંધાયા હતા જ્યારે સુરતમાં 116, વડોદરામાં 41 અને રાજકોટમાં 32 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,962 થઈ હતી. રાહતની વાત એ છે કે રાજ્યમાં એકપણ દર્દીનું મોત થયું નહોતું તથા 63 દર્દી રિકવર થયા હતા.
રાજ્યમાં શુક્રવારે ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતા આ સાથે કુલ કેસની સંખ્યા 113 થઈ છે. સૌથી વધુ 6 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જ્યારે સુરત-આણંદમાં 3-3 કેસ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ અને જૂનાગઢમાં 1-1 નવા કેસ નોંધાયા હતા. કુલ 113 કેસમાં 54 ઓમિક્રોન દર્દી સાજા થઈ ચૂક્યાં છે. અત્યારસુધી સૌથી વધુ 19 ઓમિક્રોન દર્દી વડોદરામાં નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 14 તથા આણંદમાં 5 કુલ કેસ છે.કોરોનાના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે, પણ નવા વર્ષની શરૂઆતમાં ફ્લાવર શો સહિતના કાર્યક્રમો જેમ છે 8 જાન્યુઆરીથી શહેરમાં ફ્લાવર શો શરૂ થશે આ પહેલાં 4 જાન્યુઆરીએ શહેરમાં સંત સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં 10 હજારથી વધુ સંતો, અનુયાયીઓ, નેતાઓ હાજર રહેવાની સંભાવના છે