રાજકોટ ગુજરાતમાં ફરીવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ થયા છે ત્યારે હવે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ ઉઠી રહી છે.આવા સમયે રાજકોટમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ઓફલાઇન શિક્ષણ બાબતે મોટી જાહેરાત કરી છે.વાઘાણીએ જણાવ્યું કે ઓનલાઈન માટે વિકલ્પ રહેશે ઓફલાઈન માટે વાલીઓના ફરીથી સંમતિપત્ર મંગાવવામાં આવશે કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે અમલ કરવાનું રહેશે કોરોનાના કેસ વધતા રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે
રાજકોટ શહેર અને જિલ્લામાં 24 કલાકમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોદી સ્કૂલનો વિદ્યાર્થી આત્મીય કોલેજના પ્રોફેસર સહિત 15 પોઝિટિવ આવ્યા છે. રાજકોટ શહેરમાં 7 જ્યારે જિલ્લામાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે નવસારી જિલ્લામાં ગઈ કાલે વધુ ૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ૪ પૈકી એક ૧૨ વર્ષનો વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો હતો. ચીખલી તાલુકામાં આવેલા ટાંકલ ગામમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા અન્ય વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા નવસારી જિલ્લામાં એક મહિનામાં ૧૫ થી વધુ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા વડોદરાની વધુ એક સ્કૂલમાં કોરોના સંક્રમણ ફેલાયું છે. શૈશવ સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઈ શાળાના સંચાલકોએ વાલીઓને જાણ કરી. વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ચોથો કેસ નોધાયો. એક પછી એક કેસો વધારો થતા વાલીઓમાં ચિંતા દેખાઈ રહી છે.