મુંબઈ – છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી નોટબંધીના કારણે સતત કામકાજ કરી રહેલી બેંકોમાં હવે ત્રણ દિવસની રજા આવશે. આમ બેંક ખાતેદારોને તેમના જે કઈપણ ટ્રાન્જેકશનો હોય તે તમામ ટ્રાન્જેકશનો હવે છેક મંગળવારે બેંકખુલશે તે સમયે કરી શકાશે. શનિવાર બીજા શનિવાર હોઈ બેંકોમાં રજા હેશે. આ પછી રવિવાર અને સોમવારના રોજ દેશભરમાં ઈદનો પર્વ ઉજવવામાં આવનાર હોઈ તમામ બેંકો શનિવારથી લઈ સોમવાર સુધી બંધ રહેશે. આ કારણે બેંકોમાં જ્યાં ત્રણ દિવસનું કર્મચારીઓ માટે મિની વેકેશન આવશે ત્યાં બીજી તરફ જે બેંકો સાથે એટીએમ સંકળાયેલા છે તે એટીએમમાં પણ કેશ નહિ નાખવામાં આવે તો બેંકની સાથે એટીએમની બહાર પણ નો કેશ અથવા તો એટીએમ બંધ છે તેવા બોર્ડ જાવા મળશે. આ અંગેની વિગત એવી છે કે ગત આઠમી નવેમ્બરથી દેશ૧⁄૪રમાં નોટબંધીનો અમલ શરૂ કરવામાં આવ્યો ત્યારથી આજ દિન સુધી સરકાર અને આરબીઆઈના અનેક દાવાઓ છતાં હજુ આજે પણ એક મહિનો વિતી ગયા પછી દેશના મોટાગના એટીએમ કેશના અભાવે ખાલી જોવા મળી રહ્યા છે. જે એટીએમમાં કરન્સી નાખવામાં આવે છે તેવા એટીએમની સંખ્યા પણ ઓછી હોય છે. આ સાથે જ પરિસ્થતિ એવી પણ સર્જાય છે કે એટીએમમાં જેટલી કેશ નાખવામાં આવે છે તેની સામે લોકોની જે રીતે લાંબી ભીડ જાવા મળે છે તે ભીડને લઈ માત્ર કલાક કે બે કલાકની અંદર એટીએમની કેશ પુરી થઈ જાય છે. લાંબા ગાળા પછી બેંકોમાં શનિવારથી લઈ સોમવાર સુધી ત્રણ દિવસની રજા છે .


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.