Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, મહાગઠબંધન અંગે કરી મોટી જાહેરાત, કહ્યું- દિલ્હીમાં પોતાના બળ પર ચૂંટણી લડીશું
Arvind Kejriwal અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP) દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડશે અને કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.
કેજરીવાલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની અટકળોએ જોર પકડ્યું છે. ખાસ કરીને, 10 ડિસેમ્બરના રોજ, એવા કેટલાક અહેવાલો હતા કે દિલ્હી કોંગ્રેસના નેતાઓ AAP સાથે ગઠબંધન કરવા ઇચ્છુક હતા. આ પછી, AAPના રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારના ઘરે પણ બેઠક યોજાઈ હતી, જેના કારણે ગઠબંધનની અફવાઓ તેજ થઈ ગઈ હતી.
Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024
જો કે, અરવિંદ કેજરીવાલે તેમની X (અગાઉ ટ્વિટર) પોસ્ટ દ્વારા આ અટકળોને નકારી કાઢી હતી. તેમણે લખ્યું, “અમે દિલ્હીમાં અમારી તાકાત પર ચૂંટણી લડીશું. કોંગ્રેસ સાથે ગઠબંધનનો સવાલ જ નથી.”
આ નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીમાં 2025ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે અને કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.