Hardik Pandya: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝ નહીં રમે. પંડ્યાએ અંગત કારણોસર વનડે શ્રેણીમાંથી બ્રેક લીધો છે.
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને શ્રીલંકા પ્રવાસ પર જશે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચોની T20 અને એટલી જ ODI શ્રેણી રમવાની છે. T20 શ્રેણીની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. જોકે, હાર્દિક પંડ્યા વનડે શ્રેણીનો ભાગ નહીં હોય.
અહેવાલમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે,
“હાર્દિક પંડ્યા ભારતીય ટી20 ટીમનો ઉપ-કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ત્રણ મેચની ટી20 શ્રેણી માટે પણ ઉપલબ્ધ છે. તેથી, તે કેપ્ટન રહેશે. ” રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શુભમન ગિલ અથવા સૂર્યકુમાર યાદવ ઉપ-કેપ્ટન બની શકે છે.
તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની T20 સીરિઝ રમાશે.
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ આ ફોર્મેટ માટે નવા કેપ્ટનની શોધમાં છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હાર્દિક પંડ્યા ટી20માં ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન રહેશે કે નહીં.
ODI સિરીઝ અંગે અધિકારીએ કહ્યું કે પંડ્યાએ અંગત કારણોસર વિરામ માંગ્યો છે અને નિયમિત કેપ્ટન રોહિત શર્માને તેની જાણ કરી છે. અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇચ્છે છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભાગ લે.
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે
જો ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમે તો તમામ સ્ટાર ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમવું પડશે. જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. BCCI ઈચ્છે છે કે અન્ય તમામ ટેસ્ટ નિષ્ણાતો ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એક મેચ રમે. આ પછી ટીમે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે.