RBI
Reserve Bank Of India: ભારત સરકારના સત્તાવાર ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશના કુલ સોનાના ભંડારમાં 27.46 ટનનો વધારો થયો છે અને તે વધીને 822 ટન થઈ ગયો છે.
Reserve Bank Of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક બ્રિટનથી 100 ટન સોનાનો ભંડાર ભારતમાં લાવી છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24માં બ્રિટનમાં સંગ્રહિત તેનું 100 ટન સોનું સ્થાનિક તિજોરીમાં ટ્રાન્સફર કર્યું છે. 1991 પછી સોનાનું આ સૌથી મોટું ટ્રાન્સફર છે. વર્ષ 1991માં, વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરવા માટે, સોનાનો મોટો હિસ્સો ગીરવે રાખવા માટે તિજોરીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
બ્રિટનમાંથી 100 ટન સોનું પાછું લાવવાનો શું અર્થ છે – જાણો RBI ગવર્નરનો જવાબ
દાસે અહીં જણાવ્યું હતું કે વિદેશમાં રાખવામાં આવેલ સોનાનો જથ્થો લાંબા સમયથી સ્થિર હતો. “તાજેતરના વર્ષોમાં, ડેટા દર્શાવે છે કે રિઝર્વ બેંક તેના અનામતના ભાગ રૂપે સોનું ખરીદી રહી છે અને જથ્થો વધી રહ્યો છે. અમારી પાસે સ્થાનિક (સ્ટોરેજ) ક્ષમતા છે,” તેમણે કહ્યું. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે આથી ભારતની બહાર રાખવામાં આવેલ સોનું લાવીને દેશમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, “બસ, કારણ કે દેશમાં પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા છે. તેનાથી અન્ય કોઈ અર્થ કે મહત્વ ન લેવું જોઈએ.”
દેશમાં સોનાનો કુલ ભંડાર કેટલો છે?
સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશનો કુલ સોનાનો ભંડાર 27.46 ટન વધીને 822 ટન થયો છે. સૂત્રોએ જણાવ્યું કે, સોનાનો મોટો હિસ્સો વિદેશમાં જમા છે. અન્ય દેશોની જેમ ભારતનું સોનું પણ બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં જમા છે. ભારતમાં 100 ટન સોનું પરત આવવાથી સ્થાનિક અનામતમાં પડેલા સોનાનો કુલ જથ્થો વધીને 408 ટનથી વધુ થઈ ગયો છે. આનો અર્થ એ થયો કે સ્થાનિક અને વિદેશી હોલ્ડિંગ હવે લગભગ સમાન છે.
કેન્દ્રીય બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, 2023-24માં જારી કરાયેલી નોટોના બદલામાં 308 ટનથી વધુ સોનું સ્થાનિક સ્તરે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 100.28 ટન સોનું સ્થાનિક સ્તરે બેંકિંગ વિભાગની મિલકત તરીકે રાખવામાં આવ્યું છે. કુલ સોનાના ભંડારમાંથી 413.79 ટન વિદેશમાં રાખવામાં આવ્યા છે.