બે દિવસ પછી એટલે કે 1 એપ્રિલ, 2023થી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. તેની રજૂઆત સાથે, UPI ટ્રાન્ઝેક્શન પણ મોંઘું થવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) પેમેન્ટ્સ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં 1લી એપ્રિલથી UPI મારફત કરાયેલી વેપારી ટ્રાજેક્શનઓ પર PPI ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે.
આટલો વધારાનો ચાર્જ લાદવામાં આવી શકે
એક અહેવાલ પ્રમાણે જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર, NPCIએ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI રજૂ કરવાની તૈયારી કરી છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લાદવાની ભલામણ કરવામાં આવી છે. પરિપત્રમાં, UPI દ્વારા 2,000 રૂપિયાથી વધુના ટ્રાજેક્શન પર 1.1 ટકા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ચાર્જ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.
લગભગ 70% ટ્રાજેક્શન રૂપિયા 2000થી વધુ
NPCI ના પરિપત્રમાંથી એવા સંકેતો મળ્યા છે કે 1 એપ્રિલથી, જો તમે UPI પેમેન્ટ એટલે કે Google Pay, Phone Pay અને Paytm જેવા ડિજિટલ માધ્યમથી રૂ. 2,000થી વધુની ટ્રાજેક્શન કરો છો, તો તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. રિપોર્ટ અનુસાર લગભગ 70 ટકા UPI P2M ટ્રાન્ઝેક્શન્સ રૂ. 2,000થી વધુની કિંમતના છે, આ સ્થિતિમાં 0.5 થી 1.1 ટકાનો ઇન્ટરચેન્જ લાદવાની તૈયારી છે.
30 સપ્ટેમ્બર પહેલા કરવામાં આવશે સમીક્ષા
તમને જણાવી દઈએ કે, PPIમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે. ઇન્ટરચેન્જ ફી સામાન્ય રીતે કાર્ડના પેમેન્ટ સાથે સંકળાયેલી હોય છે અને ટ્રાજેક્શન સ્વીકારવા અને ખર્ચ આવરી લેવા માટે લાગુ કરવામાં આવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ તેના પરિપત્રમાં કહ્યું છે કે 1 એપ્રિલથી આ નવા નિયમને લાગુ કર્યા પછી, 30 સપ્ટેમ્બર, 2023 પહેલા તેની સમીક્ષા કરવામાં આવશે.
કોના પર નહીં લાગે ઇન્ટરચેન્જ ફી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) એ વિવિધ પ્રદેશો માટે અલગ અલગ ઇન્ટરચેન્જ ફી નક્કી કરી છે. ખેતી અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી ઓછી ઇન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. વાસ્તવમાં, ઇન્ટરચેન્જ ફી ફક્ત તે યુઝર્સને ચૂકવવાની રહેશે જે વેપારી ટ્રાજેક્શન એટલે કે વેપારીઓને પેમેન્ટ કરે છે. આ પરિપત્ર અનુસાર, પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ (P2PM)માં બેંક એકાઉન્ટ અને PPI વૉલેટ વચ્ચે કોઈપણ પ્રકારના ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં.