હાંસોટ:હાંસોટના શાબીર કાનુગાની હત્યા માટે દારૂલ ઉલુમના મુફતી અબ્દુલ્લા અને સલીમ રાજે મહંમદ શફી ઉર્ફે પપ્પુને સોપારી આપી હોવાનો આક્ષેપ કાનુગા પરિવારે કર્યો છે. મુફતી અબ્દુલ્લાએ દારૂલ ઉલુમના બે બાળકો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરતાં સાબીરે ગામલોકોને સાથે રાખી તેનો વિરોધ કર્યો હતો અને સલીમરાજ સાથે તેને જમીનનો વિવાદ ચાલી રહયો હતો. મુફતી અબ્દુલ્લા, સલીમરાજ, અરહાખાન અને યાવરખાને કાવતરૂ રચી શાબીરની હત્યા કરી નાંખી હોવાની ફરિયાદ હાંસોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે 14 આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક સાબીરે આઠ દિવસ પહેલાં સાદીક હુસેન કાનુગાને જણાવ્યું હતું કે, હાંસોટ દારૂલ ઉલુમના મુફતી અબદુલ્લા તથા સલીમરાજ તેને મારી નાખવા માટેની સોપારી મહંમદશફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમ ખોખરને આપી છે. મુફતી અબ્દુલ્લાએ દારૂલ ઉલુમના બે બાળકો સાથે સુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું જેનો સાબીર કાનુગાએ ગામલોકોને સાથે રાખી વિરોધ કરતાં મુફતી અબ્દુલ્લાને હાંસોટ છોડી ચાલ્યાં જવું પડયું હતું. સલીમરાજ સાથે શાબીરને જમીનનો વિવાદ ચાલી રહયો હતો. સલીમરાજ, મુફતી અબ્દુલ્લાએ સાથે મળી તેમજ અરહાનખાન યાવરખાન ઉર્ફે ટીપુ તથા યાવરખાન હબીબખાને શાબીરની હત્યાનું કાવતરૂ ઘડી કાઢયું હતું. હાંસોટ પોલીસે ફરિયાદ સંદર્ભમાં 14 આરોપીઓ સામે આઇપીસી કલમ 143, 147,148,149,302,120 (બી) તથા આર્મસ એકટની કલમ 25 (1) એ , 1 એ.એ. તથા જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.