ભરૂચ અને ટંકારીયા વચ્ચે સ્કુલ ના સમય ગાળા દરમ્યાન બસો બંધ થવા મામલે આજ રોજ ડેપો મેનેજર ને આગેવાનો તથા વિદ્યાર્થી ઓ દ્વારા રજુઆત કરાઈ હતી…….
છેલ્લા કેટલાય સમય થી ભરૂચ – ટંકારીયા વચ્ચે સ્કુલ અને કોલેજ ના સમય ગાળા દરમ્યાન માં બસો ના રૂથ બંધ કરી દેવાતા નંદેલાવ-રહાડપોર-પગુઠણ-હિંગલ્લા-પરીયેજ-પારખેત જેવા અનેક ગામો ના હજારો વિદ્યાર્થી ઓ અટવાયેલા નજરે પડતા હતા અને મુશ્કીલીઓ નો સામનો કરવો પડતો હતો ……
આજ રોજ ભરૂચ લોક જનશક્તિ પાર્ટી ના આગેવાન અબ્દુલ કામથી એ વિદ્યાર્થીઓ ને સાથે રાખી ભરૂચ ડેપો ખાતે બંધ થયેલા ભરૂચ ટંકારીયા ના વચ્ચે ના સ્કુલ સમય ગાળા દરમ્યાન ના બસો ના રૂથ ને પુનઃ ચાલુ કરવા ની માંગ સાથે સુત્રોચ્ચાંર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું…
બાદ માં વિદ્યાર્થી ઓ એ ડેપો મેનેજર સમક્ષ આવેદન આપી રજુઆત કરી હતી અને વહેલી ટકે સ્કુલ કોલેજ ના સમય ગાળા માં બસ સેવા ચાલુ કરવા ની માંગ ઉચ્ચારી હતી ….જેઓ ની માંગ ને વહેલી ટકે અમલ માં લાવવા ની બહેદારી ડેપો મેનેજર એન એમ સિંધી આપી હતી…


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.