અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા ના કુડોલ ગામ માં ૧૪ મી એપ્રીલ ડૉ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આંબેડકર ઉજવણી સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી. ગામના આંબેડકર ચોકમાં ગ્રામજનો એકઠા થઇ બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ના ફોટો ને કુમ કુમ તિલક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ગામના યુવકો અને અગ્રણીઓએ D.J. ના તાલે જય ભીમ નાં નારા લગાવ્યા હતા કુડોલ ગામમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની 132 જન્મજ્યંતિની ઉજવણીમાં ડી.જે.ના તાલે ગામના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બાળકો,યુવાનો,મહિલાઓ ,વડીલો તમામ ઉત્સાહ ભેર જોડાયા હતા જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોનો પ્રકાશકુમાર વણકર દ્વારા આભાર વ્યક્ત કરી આભારવિધિ…
કવિ: satyadaydesknews
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવીઆજરોજ ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લા ટીમ સાથે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી માનનીય ભીખુસિહ પરમાર પણ ખાસ જોડાયા હતા.ત્યારબાદ ભીમમહાયાત્રામાં જોડાવા માટે મોડાસા તાલુકા શાળા નં 1 ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાના તથા તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા મોડાસા નગર પાલિકા ની ટીમ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ને લઇને ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા,…
લટુરિયા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી મહેશભાઈ જોશીના વ્યાસાસને ભાગવત કથાનો શુક્રવારથી પ્રારંભ ખાંભા ગીર ના બાબરપરા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં શ્રીમદ્ર ભાગવત કથા નો ૨૧ ને શુક્રવાર થી પ્રારંભ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર આશ્રમ બાબરપરા બોરાળા ખાતે બ્રહ્મલિન ગુરુમુખી મહંત શ્રી શિવશરણગિરી બાપુ સેવક સમુદાય આયોજિત તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી મહંત શ્રી ઘનશ્યામમિંગરી બાપુ ની પાવન નિશ્રા માં વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી મહેશભાઈ જોશી ભીંગરાડ વાળા ના વ્યાસાસને વૈશાખ સુદ ૧ ને શુક્રવારે તા.૨૧/૦૪/૨૩ ના રોજ પોથી યાત્રા શ્રધ્ધાળુ ભાવિક દેહુરભાઈ ખોડાભાઈ ભમ્મર ના નિવાસ સ્થાન થી પ્રારંભ થઇ કથા પહોંચશે કથા…
અયાવેજમાં સાવજોએ ગાયનું મારણ કરીમિજબાની માણી વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરી ભયમુકત કરો જેસ૨ જેસર તાલુકાના અયાવેજ 2 ગામે રાત્રિના સમયે બે સાવજો દ્વારા ગામમાં પ્રવેશી ગાયનું મરણ કરી મીજબાની માણી હતી. માણી હતી. આ ગાય સાત થી આઠ દિવસમાં વયાવાની હોવાનું ગાયના માલિક સોમાભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે સાવજોએ મારણ કરી ઉદરમાં ઉછરેલ વાછરડાને મારીને ગાયના પીઠના ભાગમાંથી મારણ કરીને ગાયના ઉદરમાંથી વાછરડાને મારી નાખ્યું હતું. આ વાતની જાણ વન વિભાગમાં કરતા ફોરેસ્ટ દ્વારા જરૂરી કાગળિયા તેમજ પંચનામું કરવાની કાર્યવાહી હાથ હતી.સાવજો તેમજ દીપડાઓને પાંજરામાં પુરી બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જેસર તાલુકાના અયાવેજ 2 ગામે…
રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલની રજુઆત રંગ લાવી સરકારનો ભાવનગર-ધોલેરા શોર્ટરૂટ ડાયવર્ઝન કરવાનો નિર્ણય મોકુફ આ ભાવનગરથી ધોલેરા થઇને અમદાવાદ જતા અને શોર્ટ રૂટ તરીકે ઓળખાતા રોડને આજ (૧૪મી એપ્રિલથી બંધ કરાયો છે. ત્યારે કોંગ્રેસના સાંસદે આ નિર્ણયની સરકાર ફેરવિચારણા કરે તેવી માગ કરી છે. ૯ મહિના ગામડાઓનાં જ નાનાં વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઇને ભડિયાદ જઇ શકાશે. આ હૂકમ ૧૪ એપ્રિલ, ૨૦૨ ૩થી તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. માટે અમદાવાદથી જે નિર્ણય કર્યો છે તે અંગે સરકાર ફેરવિચારણા કરે તેવી માંગ કરું છું. સરકારે કોન્ટ્રાક્ટરનું હિત નહીં લોકહિતનું ધ્યાન રાખવું જોઈએ. ત્રીજના કામ માટે…
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈડર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલની 16મી સીઝનની મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર હેરી બ્રુકે પોતાના બેટથી તોફાન મચાવ્યું હતું. તેણે મેચમાં 55 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તોફાની 100 રન બનાવ્યા હતા. IPLની આ સિઝનની પણ આ પહેલી સદી હતી. હેરી બ્રુક કોણ છે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ક્રિકેટર હેરી બ્રૂકનો જન્મ 22 ફેબ્રુઆરી 1999ના રોજ યોર્કશાયરમાં થયો હતો. બ્રુક ઈંગ્લેન્ડની અંડર-19 ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. બ્રુક વર્ષ 2020માં ઈંગ્લેન્ડમાં રમાયેલી T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ ચર્ચામાં આવ્યો હતો. મિડલ ઓર્ડરમાં બેટિંગ…
સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. આ મેચમાં શાહરૂખ ખાનની ટીમને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ હતો, પરંતુ નીતિશ રાણાની કેપ્ટન્સીવાળી ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી.કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણા અને ગત મેચના હીરો રિંકુ સિંહે શાનદાર ઈનિંગ્સ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા. હૈદરાબાદની જીત બાદ પોઈન્ટ ટેબલમાં કેટલો ફેરફાર થયો આ સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદની આ બીજી જીત છે. અત્યાર સુધી આ ટીમ 4 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે, જ્યારે 2 મેચમાં તેને હારનો…
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ આજે ,15 એપ્રિલે IPLની પ્રથમ મેચમાં ટકરાશે. બંને ટીમો હાલમાં હારના ટ્રેક પર છે. આરસીબીએ આ આઈપીએલ સીઝનની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે એકતરફી જીત સાથે કરી હતી પરંતુ તે પછી તેમને આગામી બે મેચોમાં એક પછી એક હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સની હાલત વધુ ખરાબ છે. આ સિઝનમાં આ ટીમને અત્યાર સુધી એક પણ જીત મળી નથી. દિલ્હીએ ચાર મેચ રમી છે અને ચારેયમાં તેને એકતરફી હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, આજની મેચમાં, આ બંને ટીમો હારના પાટા પરથી ઉતરીને જીતના પાટા પર પાછા આવવા માટે પૂરા પ્રયાસ કરતી જોવા…
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રાત્રે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 88 રને જીત મેળવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં મહેમાન કિવી ટીમ માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન માટે આ મેચમાં ફાસ્ટ બોલર હરિસ રઉફે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રઉફે 3.3 ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ પહેલા બેટિંગમાં યુવા સૈમ અય્યુબે 28 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 47 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ ફખર ઝમાને પણ 4 ચોગ્ગા અને…
Parineeti Chopra: રાઘવ ચઢ્ઢા સાથેના અફેર અને લગ્નના સમાચાર વચ્ચે પરિણીતી ચોપરાને મળ્યા ‘ગુડ ન્યૂઝ’, ચાહકો આનંદથી ઉછળી પડ્યા!હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારોને તેમના અભિનય અને ફિલ્મોથી જેટલી વધુ ખ્યાતિ મળે છે.. તેટલી જ તેઓ તેમના અંગત જીવનને કારણે હેડલાઈન્સમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી ‘ઈશ્કઝાદે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. પરિણીતી ચોપરા તાજેતરમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે બે-ત્રણ વખત જોવા મળી હતી.. ત્યારપછી તેમના નામો એક સાથે અને તેમના અફેર તેમજ તેમની સગાઈ અને લગ્ન સાથે જોડાવા લાગ્યા હતા… પરિણીતી ચોપરાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું નથી પરંતુ તેના અફવાવાળા બોયફ્રેન્ડ રાઘવ…