2019થી સાબરમતી જેલમાં બંધ અતિકને તાજેતરમાં જ પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરાયા બાદ ફરી યુપી પોલીસ માફિયાને લેવા માટે પહોંચી છે. ઉમેશ પાલ ચકચારી હત્યા કેસ મામલે માફિયાને યુપી લઈ જવામાં આવશે. ઉમેશપાલ મર્ડર કેસ બાદ યુપી પોલીસ આ માફિયા અતીક અહેમદ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. હવે તેને ફરી એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવશે. અતીક અહમદને લેવા UP પોલીસ ફરી સાબરમતી જેલમાં કેદી વાહન સાથે પહોંચી છે, યુપીના માફિયાને ફરીથી રોડ માર્ગે ગુજરાતથી યુપી લઈ જવામાં આવશે.અતીક અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. સપાના પૂર્વ ધારાસભ્ય અતીક અહેમદ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. તેને તાજેતરમાં 2006ના BSP…
કવિ: satyadaydesknews
થોડા દિવસ પહેલા સીટીએમ એક્સપ્રેસ વે પરથી એક માનસિક રીતે બીમારી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહનો કબજો લઈ પોલીસે પીએમ રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટમાં મહિલાની ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે આ મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલાની હત્યા કરનાર શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની હત્યા અન્ય કોઈ જગ્યાએ થઈ હતી અને તેના મૃતદેહને એક્સપ્રેસ વે પર ફેંકી દેવામાં આવી હતો. તપાસમાં મહિલાના શરીર પર ઘાસ મળી આવ્યું છે…
કોંગ્રેસના અમિત ચાવડા સહીતના ધારાસભ્યો દ્વારા પંચાયતની ચૂંટણી વહેલા યોજવા માટે ગાંધીનગરમાં રાજ્યપાલને મળીને રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યપાલને આ મામલે ત્યાં પહોંચીને રજૂઆત કરી હતી. સરકાર ઝવેરી કમિશનનો રીપોર્ટ રજૂ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. અગાઉ ઓબીસીના મુદ્દાને લઈને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે, ઓબીસી અનાતમતના મામલે હજૂ સુધી ચૂંટણીઓ પંચાયતની વહેલા નથી કરવામાં આવતી. અગાઉ પણ કોંગ્રેસ ઓબીસી મામલે ઓબીસી કમિશનને રજૂઆત કરી હતી ત્યારે પંચાયતની ચૂંટણી સાથે આજે ફરીથી રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછાત વર્ગોને પુરતુ પ્રતિનિધીત્વ મળી રહે તે માટે પંચાયત પછાત પણાના સ્વરુપ, અસર અને રાજકિય સ્થિતિ અનુસાર…
કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમનું લોકસભાનું સભ્યપદ રદ થયા પછી પહેલીવાર મંગળવારે કેરળમાં તેમના પૂર્વ મતવિસ્તાર વાયનાડ જશે. તેમની મુલાકાત દરમિયાન રાહુલ જનસભાને સંબોધશે અને રોડ શો કરશે. રાહુલની સાથે તેમની બહેન અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હશે, જેઓ છેલ્લે 2019માં પ્રચાર માટે અહીં આવ્યા હતા.વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવશેરાહુલ ગાંધીની આ મુલાકાતને વાયનાડમાં કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે. રાહુલના સ્વાગત માટે કોંગ્રેસે જોરદાર તૈયારીઓ કરી છે. રાહુલ ગાંધી કન્નુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા વાયનાડ જિલ્લાના જિલ્લા મુખ્યાલય કાલપેટ્ટા પહોંચશે. અહીં એક વિશાળ રોડ શોનું…
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત પ્રત્યેની ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર મોટી વાત કહી છે. સીતારમણે કહ્યું છે કે ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે અને આ વસ્તી માત્ર સંખ્યામાં જ વધી રહી છે. જો એવી કોઈ ધારણા છે કે દેશમાં સરકારના સમર્થનથી તેમનું જીવન મુશ્કેલ બનાવવામાં આવી રહ્યું છે, જે આ મોટાભાગના લેખોમાં કહેવામાં આવ્યું છે, તો હું પૂછું છું કે શું ભારતમાં આવું થઈ રહ્યું છે અથવા ક્યારેય થઈ શકે છે, શું ભારતમાં મુસ્લિમ વસ્તી ઘટી છે? જ્યારે સત્ય એ છે કે મુસ્લિમ વસ્તી 1947 કરતાં વધુ વધી જ રહી છે, જે એ સમયે રચાયેલા…
બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત સીઆર પાટીલ ગુજરાતના દરેક જિલ્લાની મુલાકાત લેશે. જ્યાં વિધાનસભાની જેમ જ કામ કરવામાં આવશે. લોકસભા સીટ દીઠ બૂથ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે 2024ના 26 સીટોના લોકસભાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખી એક વર્ષ પહેલાથી જ તૈયારીઓ તેજ કરવામાં આવી છે ત્યારે આ વખતે પણ વિધાનસભાની જેમ જ સીઆર પાટીલને મોટી જવાબદારી ભાજપ મોવડી મંડળચ તરફથી સોંપવામાં આવી છે. ત્યારે તેમના ખભે લોકસભાનો ભાર વિધાનસભા બાદ છે ત્યારે તેઓ અત્યારથી જ સક્રીય દેખાઈ રહ્યા છે. તેમના વિવધ પ્રવાસો અત્યારથી જ યોજાઈ રહ્યા છે. આગામી દિવસોમાં જેમ જેમ લોકસભાની તૈયારીઓ તેજ થઈ રહી છે…
IPLની 16મી સિઝનની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ અત્યંત રોમાંચક મેચમાં લખનૌએ 20મી ઓવરના છેલ્લા બોલ પર બેંગ્લોરને માત્ર 1 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. આ મેચમાં લખનૌના નિકલાસ પુરને IPL 2023ની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 15 બોલમાં 50 રન બનાવ્યા અને હારેલી મેચને જીતમાં ફેરવી દીધી. 19 બોલમાં 62 રનની ઈનિંગ રમનાર નિકોલસ પૂરનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ…
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વર્ષે 30205 હૅક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે જે ગત વર્ષના માર્ચ અને એપ્રિલ મહિનામાં 26320 હૅક્ટરમાં થયું હતું. મહત્ત્વનું છે કે આ વર્ષે કુલ વાવેતર વિસ્તારના 60 ટકાથી વધુ એટલે કે 20761 હૅક્ટરમાં માત્ર તલનું વાવેતર થયું છે. સાથે જ આ વર્ષે લાંબા સમય પછી 5 હૅક્ટરમાં ખેડૂતોએ અડદનું વાવેતર કર્યું છે. ….આ વર્ષે મુખ્ય પાકો બાજરી, અડદ, મગફળી, તલ અને ઘાસચારાના પાકમાં વધારો થયો છે જ્યારે ડાંગર, શાકભાજી અને ગમગુવારના પાકના વાવેતરમાં ઘટાડો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણી આવતા ખેડૂતોને પિયત માટે પાણી મળતા પાક વાવેતરમાં…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શાળાંત પરીક્ષા ના પ્રશ્નપત્રો નું મધ્યસ્થ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લા ના મગોડી ખાતે ગણિત (બેઝિક) વિષય ની ઉત્તરવહી ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પી. આર. ઠક્કર વિદ્યા વિહાર – મગોડી ખાતે સેવારત સારસ્વત મિત્રો પૈકી વય નિવૃત્ત થતાં ચાર શિક્ષકો ના વિદાય શુભેચ્છા સમારોહ નું આયોજન આજ રોજ કરવા માં આવ્યું હતું. શ્રીફળ -સાકર – શાલ- સ્મૃતિ ચિહ્ન દ્વારા અભિવાદિત થયેલ સદર ગણિત શિક્ષક મિત્રો સર્વેશ્રી વિનોદ કુમાર આર. પટેલ (લાકરોડા હાઈસ્કૂલ), શરદ ભાઈ પટેલ (જય પ્રકાશ હાઈસ્કૂલ -ગાંધીનગર), મહેન્દ્ર ભાઈ ગોહેલ (મણીપ્રભુ હાઈસ્કૂલ -ચાંદખેડા)…
Summer drinks : કાળઝાળ ગરમીમાં પણ આ 5 ઉનાળાના પીણાં તમને રાખશે ઠંડક, શરીર અને મન થશે તાજગીSummer drinks : ભારતના ઘણા રાજ્યોમાં ઉનાળાની ઋતુએ પાયમાલી શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં, પોતાને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સળગતી ગરમી આપણા શરીર પર અસર કરી શકે છે, જે ડિહાઇડ્રેશન, થાક અને હીટ સ્ટ્રોક તરફ દોરી જાય છે. શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવા અને ઠંડક જાળવવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. આજે અમે પાંચ સમર ડ્રિંક્સ વિશે માહિતી આપીશું, જે તમને ઉનાળાના ગરમ દિવસોમાં ઠંડક અને તાજા રહેવામાં મદદ કરે છે. . . લીંબુ પાણીલેમોનેડ એ ઉનાળાનું ઉત્તમ પીણું છે જે બનાવવામાં સરળ…