જ્યારે અભિષેક બચ્ચન અચાનક ઐશ્વર્યાના ઘરે રોકવા આવ્યો તો અભિનેત્રી સ્તબ્ધ થઈ ગઈ અને…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને તેઓ છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે, જો કે આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે તો સમય જ કહેશે. ત્યારે આવો જોઈએ બંનેની રસપ્રદ લવ સ્ટોરી. બંનેની લવ લાઈફની વાત કરીએ તો તેઓ એકબીજાના પ્રથમ પ્રેમ નહોતા. અભિષેકે કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી… ઐશ્વર્યા સલમાન ખાન અને વિવેક ઓબેરોયને ડેટ કર્યા પછી બ્રેકઅપમાંથી પસાર થઈ…
કવિ: satyadaydesknews
વિકી કૌશલ સાથેની પહેલી મુલાકાતમાં કેટરિના કૈફ ખૂબ જ અકડાઈ હતી! આ સુપરસ્ટારની પ્રશંસાના પુલ બાંધ્યા હતા..બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલની ક્યૂટ લવ સ્ટોરી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં કેટરિના અને વિકી બંનેના ચાહકો આ કપલની લવસ્ટોરી જાણવામાં ઘણો રસ દાખવે છે, બંને પહેલીવાર ક્યારે સામસામે આવ્યા હતા, ક્યારે પ્રેમમાં પડ્યા હતા અને વાત આવી રીતે પહોંચી હતી… આજે આપણે વિકી કૌશલ અને કેટરિના કૈફ વચ્ચેની મુલાકાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યારે કેટરીના કૈફે જાહેરમાં વિકી કૌશલની અવગણના કરી હતી અને અક્ષય કુમારની પ્રશંસા કરી હતી.કેટરીનાએ પહેલી જ મુલાકાતમાં વિકીને અવગણ્યો!એક ન્યૂઝ અનુસાર,…
યાત્રાધામ અંબાજી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ માતાજીના દર્શન કર્યા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ વહેલી સવારે આરતીમાં ભાગ લઈ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં…
દામનગર શહેરના વિકાસને સ્વચ્છતાની બહેનો દામનગર દામનગરમાં જાહેર રસ્તા મુતરડીઓ – પે એન્ડ યુઝ ટોઇલેટ તૂટેલા છતાં,વિકાસ ધમ – ધોકાર છે ને નંબર ૧ વિકાસ કે પ્રજાના રૂપિયાનો વ્યય..!! હવે તો વિકાસ….વિકાસ..બોલીને કે સાંભળીને આખે અંધારા આવી જાય છે તો પણ વખાણ કરી કરીને ધરાતા નથી..!! જાહેર મજૂર થયેલા સરકારી લગભગ ઈજારા થી થાય છે ને કેવા થાય છે તે સૌ જાણે છે..!! આ તસ્વીર ટેલિફોન જરૂર એકચેંજ બંધ છે. . , લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલી.) ની લાઈનમાં એટલેજ થોડેક જ દૂર બનાવેલ જાહેર મુતરડી ( બહેનો માટે) તૂટેલી છે ને અંદર અને બહારની બાજુએ ( સ્ટેટ હાઈવે પસાર થાય…
પાકિસ્તાન હવે પોતાના જ આતંકવાદીઓ સામે લડી રહ્યું છે. પાકિસ્તાની તાલિબાને તાજેતરના સમયમાં પાકિસ્તાન પર અનેક મોટા હુમલાઓ કર્યા છે. આનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ પાકિસ્તાની તાલિબાનીઓના મનોબળ મજબૂત થવા પાછળ તે અફઘાન તાલિબાનને જવાબદાર માને છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે જો કાબુલ પાકિસ્તાન વિરોધી આતંકવાદીઓ પર લગામ નહીં લગાવે તો તે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા પર હુમલાઓ કરશે.એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં તેમની મુલાકાત દરમિયાન, તેમણે અફઘાન શાસકોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેમની ધરતી પર આતંકવાદને ન ઉછેરે. અન્યથા પાકિસ્તાને કાર્યવાહી કરવાની ફરજ…
PM Kisan FPO Yojana 2023: જો તમે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. PM કિસાન નિધિના 14મા હપ્તાની તૈયારીઓ સરકારી વિભાગો દ્વારા ચાલી રહી છે. આ હપ્તાના રૂપિયા એપ્રિલથી જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં આવવાના રહેશે. મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે મળશે નાણાકિય સહાયખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે ‘પીએમ કિસાન એફપીઓ યોજના’ (PM…
ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ બુધવારે સવારે બલિઠા હાઇવે નંબર 48 પર ટોયોટા શૉ રૂમ નજીક સલવાવના 35 વર્ષીય પાર્વતીબેન પારસભાઈ નામની મહિલા હાઇવે ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક જ પુરપાટવેગે વેગે ધસી આવેલ કાર નંબર DD03-E-2187ના ચાલક અભિનવ પટેલે તેને અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. કાર ચાલક મૂળ પારડીનો છે. અને વાપી તરફ આવતી વખતે આ અકસ્માત સર્જી દીધો હતો. જ્યારે બપોર બાદ બલિઠાના દાંડીવાડ તરફ કબ્રસ્તાન રોડ પર સ્વામિનારાયણ ગુરુકુલની સ્કૂલ બસની અડફેટે આવી જતા બે સગા ભાઈઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે વિગતો આપી હતી કે,…
જો અતીક અહેમદ ગુનાના પાપની કિંમત સમજ્યો હોત અને પહેલેથી જ સમજી ગયો હોત તો આજનો દિવસ ન આવ્યો હોત. આ વાત હવે અતીકના મગજમાં ચાલી રહી છે. આ જ કારણ છે કે હવે તે પુત્રના મૃત્યુ માટે પોતાને જવાબદાર માની રહ્યો છે અને યુપી પોલીસને પુત્રના અંતિમ સંસ્કારમાં જવા માટે વિનંતી કરી રહ્યો છે. હકીકતમાં, ગુરુવારે બપોરે, યુપી એસટીએફએ અતીકના પુત્ર અને ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર ઈનામી અસદ અને તેના સાથીદારને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા.જ્યારે ઝાંસીના બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ એન્કાઉન્ટર થઈ રહ્યું હતું, એ જ સમયે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવી…
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની મુલાકાત લીધીગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ માટે શરૂ કરવામાં આવેલા નવા ખાખી ડીગ્નિટી પ્રોજેક્ટની પણ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મહિલા પોલીસ માટે ઇન્ડિયન વુમન નેટવર્ક અને પહેલ ફાઉન્ડેશન દ્વારા ખાસ મહિલા પોલીસ ર્મીઓ માટે એક મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું છે.આ અવસરે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી રથયાત્રામાં શહેરમાં બંદોબસ્ત માટે આવતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે એટલું જ…
મહુવા અને જેસર ફોરેસ્ટ વિભાગના ગોડાઉનમા રાખેલ ઘાંસને નુકસાન થયેલ રકમ બે કરોડ ઓગણત્રિસ લાખ રકમ ચુકવવા વિમા કંપનીને આદેશ વિમા કંપની સામે લડી સરકાર અને ફોરેસ્ટ વિભાગના ૨૨૭૫૧૧૨૨ની માતબર રકમ સરકારને ચુકવવા આદેશ શુરેશ બારૈયાની લડત આખરે રંગ લાવી કંપની સામે વળતર બાબતે માઢક તકરાર નિવારણ આયોગમાં અપીલ કરેલ જેનો ચુકાદો -૪-૦૨૩ ના રોજ થયેલ, જેમાં આયોગે ૨૨૭૫૧૧૨૨/- (બે કરોડ સત્તાવીશ લાખ એકાવન હજાર એક્સો બાવીશ) ૯% વ્યાજ સાથે તેમજ શારીરિક માનસિક ત્રાસ, અરજીખુશીનો ખર્ચ પેટે ૯પ૦૦૦/- (પંચાણું હજાર) દિન ૩૦ માં ચૂકવવા તાત્કાલિક આદેશ કરવામાં આવેલ. આ બાબતે નુકસાન ન જીપ અને ફોરેસ્ટ વિભાગ ન કરોડો નુ ધાસ…