શહેરના સરથાણા વિસ્તારમાં સગા મામાએ 14 વર્ષની ભાણી પર બળાત્કાર ગુજારતા ચારે તરફ હંગામો મચી ગયો હતો. કામરેજ પાસે લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરા પર વહેલી સવારે મકાનના ધાબા પર બળાત્કાર ગુજાર્યો હતો. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે,નાનપણથી બહેન -બનેવી સાથે રહેતા 24 વર્ષના યુવકે પોતાની જ 14 વર્ષની ભાણી પર નજર બગાડી હતી. રવિવારે આખો પરિવાર ધાબા પર સુતો હતો, ત્યારે યુવકની દાનત બગડી અને તેણે ભાણી પર જ બળાત્કાર ગુજાર્યો. સોમવારે સાંજે તેની માચા નોકરી પરથી પરત આવતા દીકરીએ માતાને તમામ હરકત વિશે જાણ કરી કરતા તેમણે તેના સગા ભાઈ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં…
કવિ: Satya-Day
તાજેતરમાં સુરતના ડો.પ્રફુલ્લ દોષી પ્રકરણમાં બળાત્કારનો આરોપ મૂકનારી પરિણીતાએ કોર્ટમાં સમાધાન કરતી એફિડેવિટ રજૂ કરી હતી, ત્યાર બાદ આજે સુરતના ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા યુવતી પરના કેસમાં પણ કોર્ટમાં સમાધાનની એફિડેવિટ રજૂ કરવામાં આવતા ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવતીએ એફિડેવિટ કરતા કોર્ટે સાધુ સામેની બળાત્કારની ફરીયાદ કરતો હુકમ કર્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, અગાઉ યુવતીએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા સાધુ કરણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને એક દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. તેમજ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં…
બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગણા વ્યક્તિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ જોવા માટે લોકો ખુબ ઉત્સાહી છે. 2 નવેમ્બરના રોજ તેનું ટ્રેલર રિલીઝ થશે. હવે શાહરૂખે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. તેના માટે તેણે ટ્વિટર પર ‘બઉઆ સિંહ’ નામે અકાઉન્ટ બનાવ્યું છે અને ‘બઉઆ સિંહ’ના નામથી મજાકીયા ટ્વિટ કરી રહ્યો છે. ટ્વિટર પર ‘બઉઆ સિંહે’ લખ્યું કે અરે ભાઈ શાહરૂખ, મારી મમ્મીએ આજે તમને બહુ મોટું કોમ્પ્લિમેન્ટ આપ્યું. તે બોલ્યા તમે મારા જેવા લાગો છે. અમે કહ્યું કે ડિમ્પલ તો સેમ છે પણ પોતાનું ડ્રેસિંગ સેન્સ સુધારો ગુરુ શાહરૂખે આ વાતનો જવાબ આપતા કહ્યું…
કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક ડો.રાજીવ મોદીએ ગુજરાત જ નહી પણ દેશના સૌથી મોંધા ડિવોર્સ આપ્યા છે. પત્ની મોનિકા મોદી સાથેના કલહ બાદ તેમની વચ્ચે સમજૂતી થઈ છે. જેના અનુસંધાને બતાવવામાં આવી રહ્યું છે કે રાજીવ પત્ની મોનિકાને 200 કરોડ રૂપિયા ચૂકવશે. કોર્ટે ડિવોર્સને આજે ગ્રાહ્ય રાખ્યા છે. અમદાવાદની ફેમિલી કોર્ટમાં આ પ્રમાણે ડિવોર્સની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. 200 કરોડમાં સંપત્તિ અને કેટલીક રકમ રોકડ આપવાની રહેશે. પત્ની મોનિકાને રાજીવ પર અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા છે. કેડિલા ફાર્માના માલિક હોવાના નાતે રાજીવ મોદી અને પત્ની મોનિકા વચ્ચે પાછલા લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. મોનિકાને આશંકા હતી…
ભાજપના ઓલ ઈન્ડીયા માઈનોરીટી સેલના મેમ્બર અને સુરતના બિઝનેસમેન કાદર વાડીવાળાને અંધારી આલમ તરફથી ધમકીભર્યો મેસેજ મળતા સુરત ડીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ધમકી દાઉદના ગેંગના ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા તરફથી મેસેજ મારફત મળી હોવાની ફરીયાદ કાદર વાડીવાળાએ પોલીસને કરી છે. ફરીયાદમાં કાદર વાડીવાળા ઉપરાંત તેમના પુત્ર અયાઝ વાડીવાળાને પણ મેસેજ કરી ધમકી આપવામાં આવી છે. ફરીયાદ પ્રમાણે સુરતના ચોકબજાર, ચારાગલી વિસ્તારમાં રહેતા અને ત્યાં જ સીએનજી પંપનું સંચાલન કરતા કાદર વાડીવાળાને 25મી ઓક્ટોબરે તેમના મોબાઈલ નંબર 98251-11786 પર વિદેશી નંબર 13237293643 પરથી ફોન આવ્યો હતો. વાડીવાળાએ અજાણ્યો અને વિદેશી નંબર હોવાથી તેને ઉંચક્યો ન હતો. ત્યાર બાદ…
માલેગાંવ બ્લાસ્ટ મામલે સાત આરોપીઓ પર આતંકી ષડયંત્ર રચવાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે. NIA કોર્ટે આરોપીઓને હત્યા અને અન્ય ગુનાની તહોમત પણ નક્કી કરી છે. યુએપીએ અને આઈપીસીની કલમો હેઠળ તમામ પર હવે કેસ ચાલશે. આ પહેલા મુબંઈ હાઈકોર્ટે સોમવારે પુરોહિત અને પ્રજ્ઞા ઠાકુર દ્વારા આરોપ ઘડવાની પ્રક્રિયા પર સ્ટે આપવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આજે તમામ પર આરોપ ફાઈનલ કરવામાં આવ્યા છે. સાત આરોપીઓ વિરુદ્વ યુએપીએની કલમ 18 અને 16, તથા આઈપીસીની કલમ 120-બી, 302,307, 324,326,427,153-એ અને વિસ્ફોક કાયદાની કલમ 3,4,5,6 હેઠળ આરોપપત્ર ફાઈનલ કરવામાં આવ્યું છે. સેશન જજ વીએસ પડલકરે કહ્યું કે તમામ આરોપીએ પર અભિનવ…
અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ ધરાવતા સંકલ્પ ગૃપ સહિત અન્ય એકમો પર ઈન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે. ગુજરાતના પ્રખ્યાત અને નામાંકિત મોટી ફુડ ચેઈન ધરાવતા સંકલ્પ ગૃપના 17 સ્થળોએ આઈ ટી વિભાગે રેડ પાડી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 10 જેટલા સ્થળોએ રેડની કાર્યવાહી શરૂ છે, જ્યારે અન્ય 7 સ્થળોએ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. નાણાકીય ગરબડ થવાની શંકામાં આઈ ટી વિભાગના 50 જેટલા અધિકારીઓએ સામુહીક રેડની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કંપનીની ઓફિસ ,રહેઠાણ અને ધંધાના સ્થળે પણ રેડ પડવાની આશંકા છે
2019 ની ચૂંટણી આવે તે પહેલા અયોધ્યાના કેસમાં કોઈ ચૂકાદો આવે એવી આશા હવે રહી નથી. દશકાઓથી ચાલતા આ કેસમાં બોલિવુડના સીનની જેમ તારીખ પે તારીખ ભજવાય છે. સોમવારે થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આ જગ્યા કોની માલિકીની છે તે અંગેનો વિવાદ આગામી જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં નક્કી થશે અને ત્યારબાદ સુનાવણી કરવામાં આવશે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારના વકીલ સાથે કેટલાક વકીલોના ટોળાએ સુપ્રિમ કોર્ટમાં સમગ્ર કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પણ કેસની સુનાવણીમાં તેમણે તારીખ આગળ લંબાવી દેતા કહ્યું કે સુપ્રિમ કોર્ટ આ સંવેદનશીલ કેસમાં જરા પણ ઉતાવળ કરશે નહીં. જો કે આ મામલે વકીલોએ કોર્ટને ચોક્ક્સ તારીખ…
જૂનાગઢમાં મહિલા ASI તરીકે તરીકે ફરજ બજાવી રહેલી કિરણ જોશીની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે. સાસરીયાઓ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે પણ પોલીસ હત્યા પાછળના અન્ય એંગલ પર પણ તપાસ કરી રહી છે કે કિરણની હત્યા ખરેખર ક્યા કારણોસર કરવામાં આવી છે. રવિવારે રાત્રે જૂનાગઢમાં આ ઘટના અંગે લોકોને ખબર પડતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પ્રમાણે આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતી 41 વર્ષીય કિરણ જોશી જૂનાગઢના મધુરમ વિસ્તારમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી. કિરણ જોશીના ભાઈ મહેશ જોશીએ પોલીસ ફરીયાદમાં…
હરિયાણાના બોક્સર દિનેશ કુમારે બોક્સિંગ ક્ષેત્રે ઘણા એવોર્ડ જીતીને દેશનું નામ રોશનકર્યું છે. વિજેન્દ્ર સિંહ અને સુશીલ કુમાર જેવા બોક્સર્સે ભારતને એક ઉંચાઈએ પહોંચાડ્યું અને તેમને ખુબ નામના મેળવી, પણ ભારતના આ બોક્સર દિનેશ કુમારે 17 ગોલ્ડ મેડલ જીત્યા પછી પણ તેઓ ભિવનીમાં પોતાનું ગુજરાન ચલાવવા અને લીધેલી લોન પુરી કરવા માટે રસ્તા પર આઈસ્ક્રીમ વહેચવા મજબુર છે. સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે દિનેશ કુમાર લારીમાં કુલ્ફી વેંચે છે . 2014 માં થયેલા એક અકસ્માતે તેનું સપનું વેર વિખેર કરી નાખ્યું. દિનેશ કુમારની કારનું એક ટ્રક સાથે એક્સિડન્ટ થયુંતે વિદેશમાં બોક્સિંગાં 17 ગોલ્ડ મેડલ , બ્રોન્ઝ મેડલ જીતી ચૂંક્યો છે,…