14-15 નવેમ્બર દિપીકા અને રણબીર એકબીજાના થઈ જશે. બોલિવુડના આ કપલે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી કાયમ માટે એકબીજાના થઈ જશે. બોલિવુડના સ્ટનીંગ કપલ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય લીધો છે. દીપિકા નંદી પુજા માટે પોતાના હોમટાઉન બેંગલોર પહોંચી છે. નંદી પૂજાની સાથે જ દીપિકા-રણવીરના લગ્ન પ્રસંગોની શરૂઆત છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દિપીકા પાદુકોણે નંદી પૂજામાં તેના ફેવરીટ ડિઝાઈનરસબ્સસાચીએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. દીપિકા લગ્નમાં પણ તેના ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે.
કવિ: Satya-Day
રાકેશ અસ્થાનાએ લાંચ કેસમાં CBI દ્વારા કરવામાં આવેલી FIRને રદ્દ કરવાની પીટીશન પર દિલ્હી હાઈકોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે 14મી નવેમ્બર સુધી સ્ટેટક્વો જાળવી રાખવાનો આદેશ કર્યો છે. 14મી સુધી આ કેસમાં અસ્થાની વિરુદ્વ CBI કાર્યવાહી કે ધરપકડ કરી શકશે નહીં. વધુ સુનાવણી 14મીએ કરવામાં આવશે. CBIએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે CBIનાં સ્પેશિયલ ડાયરેક્ટર રાકેસ અસ્થાના અને અન્ય શખ્સો વિરુદ્વ લાંચની નોંધાયેલી FIRમાં પ્રાથમિક રીતે ગંભીર ગુનો જણાઈ આવે છે. CBIએ રાકેશ અસ્થાનાની FIR રદ્દ કરવાન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ લેવલ પર રોવિંગ ઈન્ક્વાયરીને મંજુરી આપી શકાય નહીં. CBIએ કોર્ટેને કહ્યું કે અસ્થાના વિરુદ્વની તપાસ હાલ…
દેશને સૌથી વધુ રોજગાર આપતા દ્વિતીય ક્રમાંકના સેક્ટર એવા લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીએ દિવાળી ગિફટ આપી છે. લઘુ ઉદ્યોગને માત્ર 59 મિનિટમાં લોન એક કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. પીએમ મોદી આ કાર્યને ઐતિહાસિક ગણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ક્હયું કે જીએસટી અંતર્ગત રજિસ્ટર્ડ થયેલા લઘુ ઉદ્યોગના એકમોને હવે આ સુવિધાના માધ્યમથી માત્ર 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ ઉપરાંત રજિસ્ટર્ડ થયેલા એકમોને વ્યાજમાંથી પણ બે ટકાની રાહત આપવામાં આવશે. આ ક્ષેત્રમાં રોકાણકારોને રોકાણ કરતા પૂર્વે અને બાદમાં જરૂરિયાત માટે વ્યાજની સહાયતા ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવી છે. વડાપ્રધાને નાના અને મધ્યમ…
ભાવાંતર યોજનાની માંગ સાથે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે માર્કેટયાર્ડમાં હડતાળ ચથાવતા રહી છે. રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટયાર્ડોમાં વેપારીઓ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન સતત ચાલું રહ્યું હતું. જેમાં ખેડૂતોએ કૃષિમંત્રી આર.સી.ફળદુનું પૂતળું બાળી વિરોધ કર્યો હતો. કૃષિ મંત્રી આરસી ફળદુના પૂતળાને બાળવામાં આવ્યું હતું. પોલીસે કેટલાકની અટકાયત કરી હતી. ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ દિવસે દિવસે ઉગ્ર બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની બીજા દિવસે હડતાળ ચાલુ છે. ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવાનું સરકારને આપેલ 6 દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા હડતાળ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસીએશન દ્વારા બંધનો નિર્ણય…
પોતાના બે અરબથી વધારે યુઝર્સ માટે ફેસબુકે એક નવી ગિફ્ટ આપી છે. ફેસબુકે મ્યુઝિક ફીચર લોન્ચ કર્યું છે. આમા ફેસબુક પર સ્ટોરી પર શેર કરવામાં આવતા ફોટો અને વીડિયો સાથે ગીત પર એડ કરી શકાશે. ફેસબુકે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આને ન્યુઝ ફીડમા લાવવા જઈ રહ્યા છીએ. ફેસબુકે કહ્યું હતું કે યુઝર્સ હવે પોતાની પ્રોફાઈલમાં પણ ગીત એડ કરી શકશે.આ ફીચર એ જ રીતે કામ કરશે, જે રીતે ઈનસ્તાગ્રામમાં કરે છે. ફેસબુકે તેના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમે આ ફિચરનો વધુમા વધુ આર્ટીસ્ટ અને ક્રિએટર્સ સુધી વિસ્તાર કરીશું અને પેજમાં પણ આ ફીચર આપશું, જેથી તે…
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ અકીલ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલોએ બીજી ઓક્ટોબરથી એટલે કે આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે. ઉપરાંત જજ અકીલ કુરેશની ટ્રાન્સફરને પડકારતી રિટ પણ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવશે. આ રિટ અંગે યોગ્ય ચુકાદો નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં પણ રિટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને તાત્કાલિક મીટિંગ બોલાવી જજ અકીલ કુરેશની ટ્રાન્સફર અંગે ચર્ચા કરી હતી. જેમાં 500થી વધુ વકીલો હાજર રહ્યા હતા. આશરે 45 મીનિટ સુધી ચાલેલી ચર્ચા અને ઉગ્ર દલીલોમાં વિવિધ અભિપ્રાયો અને પગલાંઓની…
મુંબઈ નજીક આવેલા ઉતનમાં RSSની ત્રણ દિવસીય શિબિરના સમાપનના અવસરે મહાસચિવ ભૈયાજી ઝોશીએ કહ્યું કે રામ મંદિરને લઈ જો જરૂર પડી તો 1992 જેવું આંદોલન કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે 1992માં ભાજપ, RSS વગેરે રામ મંદિર નિર્માણ માટે બાબરી મસ્જિદને ધરાશયી કરી નાંખી હતી અને સમગ્ર દેશમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, હજારો લોકોના જાન ગયા હતા. સૌથી વધુ અસર સુરત, મુંબઈ સહિતના મહાનગરોમા થઈ હતી. બળાત્કાર અને હત્યાઓ કરીને લોહીની નદીઓ વહેવડાવવામાં આવી હતી. RSSનાં શિબિરમાં ભૈયાજી જોશીએ કહ્યું કે રામ મંદિર મુદ્દે જેમણે વટહુકમ માંગ્યા છે તેઓ ભલે માંગતા રહે. નિર્ણય સરકારે કરવાનો છે. RSSના આ નેતાએ…
સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામને લઈ કેવા પ્રકારના તોડબાજીના ખેલ થાય છે તેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો અમારી પાસે આવ્યો છે. આ ઓડિયોમાં બિલ્ડર અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચેની વાતચીત રેકોર્ડ થયેલી છે. બિલ્ડરના બાંધકામ વિરુદ્વ અરજી કરી વચેટીયા તરીકે કોંગ્રેસના કોર્પોરેટર ભૂંડી ભૂમિકા ભજવતા હોવાની હકીકત ઉજાગર થઈ રહી છે. ઓડિયો સાંભળતા એવું લાગે છે કે કોંગ્રેસના કોર્પોરેટરને બિલ્ડર કરતાં અરજી કરનારની વધારે લાગે છે. આ આંખ ઉધાડનારી બાબત સુરતમાં ગેરકાયદે બાંધકામમાં થઈ રહેલા બ્લેક મેઈલીંગ પરથી સીધે સીધો પરદો ઉંચકી રહી છે. સાંભળો ઓડિયોની કેટલીક વાતોના અંશો…. હલો……(મૈં)બોલતા હું ભાઈ… અબ ક્યા કરતા હૈ દિવાલવાલી મેટરમે, વો મેટર મે ક્યા કરતા…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રોજ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદધાટન કર્યું હતું. જેમાં વડાપ્રધાન સહિત અન્ય હસ્તીઓએ પણ હાજરી આપી હતી. એક તરફ જ્યા બધાની નજર પ્રતિમા પર હતી ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયાએ આમાંથી એક ભુલ કાઢી જેનો ખુદ સરકારે સ્વીકાર કર્યો હતો. પ્રતિમાના ઉદ્ધાટન સમયે તેના નામને જુદી-જુદી ભાષાઓમાં લખવામાં આવ્યું હતું. પરંતુ તમિલ ભાષામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સ્પેલિંગ ખોટો હતો જેને સોશિયલ મીડિયા પર લોકોએ પકડી લીધો હતો અને તેના વિવિધ અર્થ કાઢ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં શિલાપટ શેર કરવામાં આવ્યો હતો. તેમાં તમિલમાં લખાયેલી…
મિસ્ટર ડિપેન્ડ્બલ તરીકે ફેમલ થનારા જેન્ટલમેન બેટ્સમેન રાહુલ દ્રવિડને ખાસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડને આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શામેલ થનાર તે પાંચમાં ભારતીય ખેલાડી છે. ICC HALL OF FAME થી આ પહેલા બિસન સિંદ બેદી, કપિલ દેવ,સુનીલ ગવાસ્કર અને અનિલ કુંબલેને સન્માનિત કરવામાં આવ્યા છે. ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન આપતા કહ્યું હતું કે તેમણે ક્રિકેટની ખુબ સેવા કરી છે અને તેઓ આ ગૃપમાં શામેલ થવાના હકદાર છે. દ્રવિડને આ વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકી પોન્ટિંગની સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં પણ શામેલ કરવામાં આવ્યા હતા.