સમગ્ર દેશમાં ભાજપ સરકારો દ્વારા નામો બદલવાની ફેશન ચાલી રહી છે. અલાહાબાદ, ફૈઝાબાદ અનુક્રમે પ્રયાગરાજ અને અયોધ્યા થયા બાદ ગુજરાતમાં અમદાવાદનું નામ બદલાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. પાછલા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલવા માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મૂવમેન્ટ અંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે ગુજરાત સરકારને અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે જરૂરી સમર્થન મળશે તો ટૂંક સમયમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવશે અને નામ બદલવા અંગે કોઈ કાયદાકીય અડચણ પણ ઉપસ્થિત રહેતી નથી. નીતિન પટેલે ઉમેર્યું કે, અમે યોગ્ય સમયે નામ બદલવાની વિચારણા કરી…
કવિ: Satya-Day
દિવાળીના તહેવારના એક દિવસ અગાઉ મજૂરાના ધારાસભ્યએ ગરીબ પરિવારમાં જઈને દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે બમરોલી સ્લમ વિસ્તારમાં જઈને ગરીબ પરિવારોના બાળકોને સ્વિમિંગ ટબમાં નવડાવી સ્વચ્છ કર્યા હતા અને નવા કપડાં આપતા ગરીબ પરિવારના બાળકો ખુશ-ખુશાલ થઈ ગયા હતા. આ ગરીબ બાળકો એવા છે જેમને ખાવાનું પણ નસીબ થતું નથી. સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવીએ ગરીબ પરિવારના બાળકો સાથે સાર્થક દિવાળીની ઉજવણી કરી હતી. બમરોલી વિસ્તારમાં આવેલા ડમ્પિંગ પોઈન્ટ પર સ્લમ વિસ્તારમાં રહેતા 300 જેટલા ગરીબ પરિવારોના બાળકોને સ્વિંમિંગ ટબમાં લાવી પોતાના હાથે નવડાવ્યા હતા. અને નવા કપડાં આપ્યા હતા. ગરબ પરિવારના બાળકો સાથે ત્રણ કલાક જેટલો સમય પસાર…
છેલ્લા ઘણા સમયથી ઓઝોનના સ્તરમાં થતા નુસાનને કારણે પૃથ્વીવાસીઓ ચિંતામાં હતા. પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પિડાઈ રહેલ પૃથ્વીવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. ધરતીને સુરક્ષા પુરૂ પાડતા ઓઝોન વાયુના સ્તરમાં સુધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓઝોન વાયુનુ સ્તર 1970ના દાયકા બાદ બગડતુ જતુ હતું. વૈજ્ઞાનિકોએ આ ખતરાની જાણકારી આપી અને ઓઝોનને નુંકશાન પહોંચાડનારા રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે કરીને દુનિયાભરમાંથી બંધ જ કરી દીધો. ઈક્વાડોરના ક્વિટોમાં ગઈ કાલે સોમવારે યોજાયેલા એક સમ્મેલનમાં જાહેર કરવામાં આવેલા વૈજ્ઞાનિક આંકલન અનુસાંર, 2030 સુધીમાં ઉત્તર ગોળાર્ધ પર ઓઝોન વાયુનું ઉપલું પડ સંપૂર્ણ રીતે બંધાઈ જશે. એંટાર્કટિકા ઓઝોન ગાબડું 2060 સુધીમાં…
મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે 3 નવા વિકલ્પ લઈને આવી રહ્યું છે. આ એપમાં હવે નવા ત્રણ ફીચર્સ ઉમેરાશે. આ ફીચર્સથી યુઝર્સને ફાયદો થશે. આ નવા ફીચરમાં વેકેશન મોડ, લિંક્ટ સોશિયલ મીડિયા અકાઉન્ટ અને સાયલન્ટ મોડનો સમાવેશ થાય છે. વેકેશન મોડ નામ પ્રમાણે આ ફીચર કામ આપશે. જ્યારે તમે રજા પર હોય ત્યારે જો વોટ્સઅપના નોટિફીકેશનથી દૂર રહેવું હોય તો આ મોડ તમને કામ લાગશે. આ મોડના કારણે તમે પરીવાર કે મિત્રો સાથે શાંતિથી વેકેશન માણી શકશો. જો કે હાલના તબક્કે આ ફીચર એન્ડ્રોઈડ અને સાઈઓએસ બે પ્લેટફોર્મ માટે જ છે. લિંક્ડ સોશિયલ મીડિયા આ ફીચરથી તમે વોટ્સઅપને પણ ફેસબુક, ટ્વીટર,…
નવસારીના નવનિયુક્ત પ્રમુખ નિરવ નાયકની સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા વિરુદ્વ એલફેલ લખનારા સુરેશ પાંડેને નવસારી કોંગ્રેસે શો કોઝ નોટીસ ફટકારી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્વાર્થ દેસાઈએ સુરેશ પાંડે વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નોટીસ સહિતનો રિપોર્ટ પ્રદેશ કમિટીને મોકલી આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના દિવસોમાં પાંડેને સસ્પેન્ડ કરવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. સુરેશ પાંડેએ ફેસબુક પર પોતાની આઈડી પર નવસારી કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમાયેલા નિરવ નાયકન નિમણૂંકને લઈ વિવાદી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં સુરેશ પાંડેએ અમિત ચાવડા અને નિરવ નાયક પર બેફામ આક્ષેપ કર્યા હતા. સુરેશ પાંડે દ્વારા…
કોડીનારમાં હાહાકાર મચાવતી ઘટનામાં લોહાણા સમાજની માસુમ બાળાની 37 ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા અરેરાટી સાથે દિવાળીના પર્વમાં માતમ છવાઈ ગયું છે. બાળાને નિર્મમ રીતે મોતને ઘાત ઉતારવામાં આવતા કોડીનારમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. બાળા સાથે કશુંક અજુગતું થયું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.11માં ભણતી દિકરી વિમાંશી(ઉ.16) ગઈકાલે તા.પાંચમીએ રાત્રીના 8:30 થી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. અડધા કલાક પછી દિકરી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બે કલાક સુધી શોધખોળ કરવા છતાં પતો નહી લાગતા પોલીસને…
દિવાળીના આગલા દિવસે જ રાજ્ય સરકારે શિક્ષકોને ખુશ કરતો નિર્ણય કર્યો છે. રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સાતમાં પગારપંચ પ્રમાણે તફાવતનો પ્રથમ હપ્તો ચૂકવવાની જાહેરાત કરી છે. આ પગારની ચૂકવણી ચાલુ માસમાં જ કરી દેવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમાં કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલો પગાર 1 જાન્યુઆરી, 2016થી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી 61 હજાર શિક્ષકોને લાભ થવાનો છે. પ્રથમ વાર્ષિક હપ્તાની ચૂકવણીના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે રૂપિયા 204 કરોડનું ભારણ પડશે.
નિરવ મોદી અને મેહુલ ચોકસીએ કરોડો રૂપિયાનું PNB કૌભાંડ આચરી દેશમાંથી ભાગી ગયા છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) આ કૌભાંડમાં મહત્વીન સફળતા હાંસલ કરી છે. PNB કૌભાંડમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મંગળવારે વધુ એક સફળતા મળી છે. EDએ PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના નજીકના ગણાતા દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે. કુલકર્ણી હોગકોંગથી આવનારી ફ્લાઇટમાં કોલકત્તા પહોંચ્યો હતો અને તે ચોકસીની હોંગકોંગમાં ચાલી રહેલી ડમી ફર્મનો ડાયરેક્ટર હતો. CBI અને EDએ થોડા દિવસ પહેલા કુલકર્ણી સામે લૂકઆઉટ નોટીસ જાહેર કરી હતી, ત્યાર બાદ EDને કુલકર્ણીને ઝડપી લેવા માટે મંગળવારે સફળતા મળી હતી. ED સહિત અન્ય સુરક્ષા એંજન્સીઓને સંભાવના…
છ મહિનાના લગ્ન જીવન બાદ છુટાછેડા માટે અરજી કરીને લાલુ પ્રસાદના પુત્ર તેજપ્રતાપ અચાનક જ ગાયબ થઈ ગયા છે. છુટાછેડા માટે કોર્ટમાં અરજી પછી પિતા લાલુપ્રસાદને મળવા ગયેલા તેજપ્રતાપ ઘરે પાછા ફર્યા નથી. તેમના પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેજપ્રતાપ બોધગયાના એક હોટલમાં રોકાયા હતા. એ પછી ત્યાંથી નીકળી ગયા હતા પણ પટણા પહોંચ્યા નથી. તેઓ પરિવારજનોના ફોન પણ રિસીવ કરી રહ્યા નથી. સ્થાનિક મીડિયાના અહેવાલોમાં તેજપ્રતાપ બનારસ અથવા તો વૃંદાવન ગયા હોવાની અટકળો થઈ રહી છે.આ પહેલા પણ તેઓ વૃંદાવન ગયેલા છે. જ્યાં તેઓ શાંતિ મેળવવા જતા હોય છે.
કર્ણાટકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને માત આપી છે. ભાજપને મોટો ફટકો પડ્યો છે. પાંચ બેઠકમાંથી ચાર પર ગઠબંધન જીત તરફ છે. હાલમાં ચાલી રહેલી રામ મંદિરના મુદ્દા બાદ પણ કર્ણાટકના લોકોએ ભાજપને નકારી કાઢ્યો છે. કોંગ્રેસે એએસનયામાગૌડાએ જામખાડીમાં 39480 સાથે સરસાઈ મેળવી છે. કૉંગ્રેસના ધારાસભ્ય સિદ્દૂ ન્યામગૌડાના નિધન બાદ જમખડી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે જેડીએસના અનીથા કુમારાસ્વામીએ રામનગરમમાંથી 105294 વોટની સરસાઈ હાંસલ કરી છે. . રામનગરમ વિધાનસભા બેઠક મુખ્યમંત્રી કુમારસ્વામીના છોડવાના કારણે ખાલી થઈ હતી. આ ઉપરાંત બેલ્લારીના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 214826 વોટથી આગળ છે. કોંગ્રેસની જીત નિશ્ચિત મનાય છે. ભાજપ માત્ર શિમોગા લોકસભા બેઠક પર…