ગુજરાતમાં આજે લોક રક્ષકોની ભરતી હતી અને આ સમયે પેપર લીક થઈ જવાની ઘટના ગુજરાત સરકાર માટે ખુબ શરમજનક ઘટના છે. આ ઘટનાને અંગે યુવાનો સહિત ઘણા નેતાઓએ પોતાનો આક્રશ વ્યક્ત કર્યો છે. પેપર લીકની ઘટના અંગે જીજ્ઞેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં એક મોટા ઘાલમેલ અને કૌભાંડના કારણે પેપર લીક થઈ ગયું. આ પેપર લીક થવાના કારણે 6700 જેટલા ભરતીની એક્ઝામ આપવા આવેલા 9 લાખ જેટલા ગુજરાતના બેરોજગાર યુવાનો અટવાઈ ગયા હતા. રાજ્યની વિજય રૂપાણી સરકાર માટે આ ખુબ શરમનો વિષય છે. એક બાજુ રાજ્યમાં ભયંકર બેરોજગારી છે અને બીજી બાજુ રૂપાણી સરકાર 2 કરોડ રોજગારીના…
કવિ: Satya-Day
આજ રોજ લોકરક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ પોલીસના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ઠેરઠેર તેમને લાફાવાળી અને લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુરમાં પરીક્ષા રદ્દ થતાં વિરોધ કરનાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તેમજ ગાંધીનગરમાં પોલીસે દોડાવી દોડાવીને ઉમેદવારોને માર્યા હતા. આજ રોડ પરીક્ષા આપવા આવેલા યુવાનોમાંથી કોઈ ઉધાર લઈને આવ્યું હતું તો કોઈ ખેતી કરીને પોતાના મહેનતના પૈસા કમાઈ પરીક્ષાની તૈયારી કરી જોબ મેળવવાની આશાએ આવ્યા હતા. આ ભવિષ્યના પોલીસો પર આજના પોલીસોએ લાફાવાળી કરી તેમને ત્યાંથી ભગાડી મુક્યા હતા.
લોકરક્ષક ભરતીની પરીક્ષાનું પેપર લીક થઈ જતા તેને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકની ઘટનાની CMએ ગંભીરતાથી નોંધ લીધી છે. CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસભાડું નહીં આપવું પડે તેવી જાહેરાત કરી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે તેમજ આવી ઘટના ફરી ન બને તે માટે વિભાગોને સૂચના આપવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી. આજે 8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા…
રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધી ગયા છે. ત્યારે અમરેલીના કાચરડી ગામમાં સવારે એક ખેડૂતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ગામના નિવાસી બાવચન્દભાઈ વસાણીનો એકના એક પુત્ર કમલેશ પાક નિષ્ફળ જશે તે ડરના કારણે અને આર્થિક સ્થિતિ કથળી જવાથી ટ્રેનની નીચે કૂદકો મારીને આપઘાત કરી દીધો. કમલેશે આત્મહત્યા કરતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે તેમજ પોતાનો એકનો એક પુત્ર આત્મહત્યા કરતા પરિવારના સભ્યો નિરાધાર બની ગયા છે. કમલેશને એક નાનો બાળક પણ છે જેને નાની ઉંમરમાં જ પિતાનો છાયો ગુમાવ્યો છે. એકનો એક પુત્ર આપઘાત કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનું ગુજારન ચલાવનાર એકના એક પુત્રએ અચાનક આપઘાત કરીને દુનિયાને…
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વારંવાર થતી બેદરકારીનો ભોગ વિદ્યાર્થીઓએ બનવું પડતું હોય છે. એક તરફ દેશમાં બેરોજગારીના દશ્યો જોઈ શકાય છે તો બીજી તરફ સરકારની બેદરકારીને લીધે પેપર લીક થઈ જતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓની શક્તિ અને પૈસા બંનેનો વેડફાટ થઈ રહ્યો છે. આજ રોજ બપોરે 3 વાગ્યે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અમદાવાદમાં 6189 જેટલી સીટો માટે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવામાં આવી રહી હતી, જેમાં આઠ લાખ વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું હતું. જેનું પેપર લીક થઈ જતા વિદ્યાર્થીઓ ખુબ રોષે ભરાયા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા આજ રોજ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેસબુક અને વોટ્સ અપ પર પણ…
શહેર નજીકના વરિયાવમાં ઓએનજીસી દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારે જાણ કર્યા વિના અને કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર જ પોલીસ સાથે આવી બળપ્રયોગ કરી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતાં ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરિણામે ઘર્ષણ બાદ કામગીરી થંભાવી દેવી પડી હતી. ઓએનજીસી દ્વારા હાલ ઓલપાડ તાલુકાનાં ગામોથી સુરત શહેર તરફ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરિયાવના શેરડી ગામના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. કંપની દ્વારા ખેડૂતોને તેમની જમીનનું અને ખેતરમાં થયેલા પાકોની નુકસાનીનું વળતર આપ્યા વગર જ વરિયાવ ગામની સીમના ખેતરમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઓએનજીસીના અધિકારીઓ…
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના મેંહદી અને સંગીત સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો ખુદ દેશી ગર્લે સોસઇયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોને જોઈ લાગી રહ્યું છે કે મહેંદી અને સંગીત સેરેમનીમાં ખૂબ ધમાલ થઈ છે. આ સેરેમનીમાં સામેલ થયેલા તમામ મહેમાનોને ફોટોગ્રાફ લીક ન થાય તે માટે ફોટા પાડવાની મનાઈ કરવામાં આવી હતી.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી હોવાની અફવાએ સોશિયલ મીડીયામાં હલચલ મચાવી દી ધી છે. તેની સત્ય હકીકત એ છે કે 182 મીટર ઊંચી પ્રતિમા ઊભી કરવી હોય તો કોઇ સિંગલ પાર્ટથી ઉભી કરવી શક્ય જ નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિમા પર તિરાડો પડી ગઇ હોવાની અફવા વેલ્ડિંગના કારણે જોઇન્ટની તિરાડો દેખાતા ભાષ થાય છે. આટલી મોટી પ્રતિમા અલગ અલગ પ્રકારના હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરીને ઊભી કરવી પડે છે. એવી જ રીતે સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી પણ હજારોની સંખ્યામાં જોઇન્ટ ભેગા કરી ખાસ પ્રકારનું વેલ્ડીંગ મારી ઊભી કરાઇ છે. હવે એ જોઇન્ટ વચ્ચે જે વેલ્ડિંગ…
બુટલેગરોએ હવે એસ.ટી. બસમાં ગુજરાતમાં દારૂ ઠાલવવાનો રસ્તો અપનાવ્યો હોય એવું લાગી રહ્યું છે. પારડી તાલુકાના મોતીવાડા ગામે પારડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એસ.ટી. બસ (નંબર જીજે-18-ઝેડ-1854)ને રોકી બસમાં ચઢી મુસાફરોના સરસામાનની તલાસી લેતા 4 મહિલા પાસેથી દારૂની 433 બોટલ (કિંમત રૂપિયા 39,950) મળી આવી હતી. પારડી પોલીસે આ એસ.ટી. ડ્રાઇવરને બસ પારડી પોલીસ મથક સુધી હંકારી લઇ જવાની ફરજ પડી હતી. પારડી પોલીસ મથકે આ ચારેય મહિલાઓને દારૂના જથ્થા સાથે બસમાંથી ઉતારી દેવાયા પછી બસમાં સાવરકુંડલા તરફ રવાના કરી હતી. દારૂ સાથે પકડાયેલી મહિલાઓમાં મંજુ રમેશ વસાવા , ફરહાના અબ્બાસ શેખ , એઝાઝ ઇસ્માઇલ મન્સુરી તથા લક્ષ્મી હસમુખ ટંડેલનો…
સવર્ણોને ને રીઝવવા રૂપાણી સરકારે અફડાંતફડીમાં જાહેર કરેલા ગુજરાતના બિન અનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ-GUEEDC નો ફાયદો આમ જાણતા સુધી હાલની તારીખે પણ પહોંચ્યો નથી. ભાજપ સરકારે સવર્ણો માટે આ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ આઠ યોજનાના કોઈ લેવાલ નથી. રૂ. 500 કરોડના બજેટ સામે સહાય માટે માત્ર 433 સવર્ણ યુવાનોની જ અરજી મળ્યાનું નિગમે સ્વીકાર્યું છે. એટલું જ નહી તેમાંથી 146 અરજીઓ મંજૂર કરી 6 મહિનાને અંતે રૂ. 2,74,95,000ની ચૂકવણી પ્રક્રિયા શરૂ થઈ છે. 433 અરજીઓમાંથી માત્ર 146 જ હજુ સુધી મંજુર થઇ છે બાકીની અરજીઓ પેન્ડિગ કે પછી ના મંજુર થઇ રહી છે. આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા અત્યંત…