અંબાણી અને આનંદ પિરામલ આ વર્ષે ડિસેમ્બર 12 માં મુંબઈમાં લગ્ન કરી રહ્યા છે. પરંતુ આ દિવસ પહેલા અંબાણી અને પિરામલ પરિવાર માટે ઉત્સવની ઉજવણી આવે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અને પિરામલના પુત્ર આનંદ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં 8 અને 9 મી ડિસેમ્બરના રોજ બે ફંકશન યોજાશે. અંબાણી અને પિરામલ પરિવારો અઠવાડિયાના અંતમાં ઉજવણી કરશે. ઉદયપુર શહેરમાં થોડા દિવસોમાં લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. આ અઠવાડિયા દરમિયાન 200 થી વધુ ચાર્ટર્ડ વિમાનો હવાઇમથક પરથી ઉતર્યા છે. ઉદયપુરમાં આ પ્રવૃત્તિ પાછળ અંબાણીના લગ્ન મુખ્ય કારણ છે, પણ ચૂંટણી ઝુંબેશ પણ સંપૂર્ણ પ્રવાહમાં છે.…
કવિ: Satya-Day
લોકરક્ષક ભરતી મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યનું નામ પણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસના માણસાના ધારાસભ્ય સુરેશ પટેલની હોસ્ટેલમાં રહીને રૂપલ શર્મા કામ કરતી હતી. રૂપલ શર્માએ હોસ્ટેલમાં પેપર મગાવ્યું હતું. એટલુ જ નહીં, હોસ્ટેલમાં જ પેપરની વહેંચણી થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગાંધીનગર પોલીસ આ મામલે સુરેશ પટેલની પણ પૂછપરછ કરશે. સુરેશ પટેલના પ્લોટ પર હોસ્ટેલ બનેલી છે. સુરેશ પટેલે સ્વીકાર્યું છે કે તેમણે હોસ્ટેલ ભાડે આપી હતી. રામસિંહ રાજપૂતના નામે ભાડા કરાર થયો હતો. સુરેશ પટેલે મીડિયાને કહ્યું કે આ મકાન તેમણે ભાડેથી આપ્યું હતું અને રૂપલ શર્માએ હોસ્ટેલ ખોલ્યું હતું. હોસ્ટેલમાં 25થી 30 બાળકો રહેતા હતા. પેપર…
હાલમાં ફેક ન્યુઝથી કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તેમજ Whatsapp પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા ખોટા સમાચારને રોકવામાં અસમર્થ રહી હોવાનો આરોપનો સામનો કરી રહી છે. જેને પગલે કંપનીએ ભારતમાં લોકોને ફેક સમાચાર અંગે જાગૃત કરવા માટે ટીવી કેમ્પેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે આ નિર્ણય 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીન ફેક સમાચારને વોટ્સએપ પર ફેલાતા રોકવા માટે લેવામાં આવ્યો છે. આ અગાઉ લોકોને ફેક સમાચારો અને અફવાઓ અંગે જાગૃત કરવા માટે કંપનીએ બે તબક્કામાં રેડિયો કેમ્પેન પણ શરૂ કર્યુ હતું. 29 ઓગષ્ટથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં કંપનીએ ઑલ ઈન્ડિયા રેડિયોના 46…
મુંબઈના હિલ સ્ટેશન એવાં ગોરેગાંવ નજીક આવેલા આરે કોલોની વિસ્તારના જંગલમાં આજે સાંજે ભયાનક આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે લેવલ-બીનું એલર્ટ જારી કર્યું છે. સોમવારે સાંજે 6:30 મીનીટે આગ ફાટી નીકળી હતી. ગોરેગાંવ પૂર્વમાં આવેલા આઈટી પાર્કથી આગે લપકારા માર્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડનો મોટો કાફલો આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી રહ્યો છે. પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે તૈનાત છે. અરુણ કુમાર વૈદ્ય માર્ગ પરના ઓપન પ્લોટથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ પ્લોટ આરે કોલોની નજીક આવે છે. આ મુંબઈનો ગ્રીન વિસ્તાર છે. હજુ સુધી જાન-માલના નુકશાનની કોઈ વિગત નથી તેમજ આગ કેવી…
યુનિવર્સિટીની પરીક્ષાઓમાં છબરડાં હવે કોઇ નવી વાત રહી નથી. લગભગ દરેક પરીક્ષામાં કોઇને કોઇ છબરડાં બહાર આવતાં રહે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવતી સેમેસ્ટર-૩ની પરીક્ષામા આજે સાયકોલોજી વિષયમાં વિદ્યાર્થીઓ જૂના કોર્સ પ્રમાણે તૈયારી કરીને આવ્યા હતા ત્યારે પરીક્ષામાં નવા કોર્સ પ્રમાણેનુ પ્રશ્નપત્ર પુછવામાં આવતાં વિદ્યાર્થીઓે ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળા પછી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ પરીક્ષા નવેસરથી આગામી તા.૮મીએ લેવાનો નિર્ણય કરવો પડયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં સેમેસ્ટર ૩ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં સાયકોલોજી વિષયમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’નુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતુ. ખરેખર આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ‘ચાઇલ્ડ…
ભારતમાં ડિજીટલ પેમેન્ટનો દર ખુબ વધી રહ્યો છે ત્યારે બીજી બાજુ ટ્રુ કોલર વાપરનારાઓની સંખ્યા ઘણી વધારે છે. કંપનીનું પોતાનું પેમેન્ટ પ્લેટફોર્મ Truecaller Pay પણ છે. આ ટ્રુ કોલરના મુખ્ય એપમાં જ એક ઓપ્શન આપવામાં આવ્યું છે. હવે કંપની પેમેન્ટ સર્વિસ પર વધારે ધ્યાન આપી રહી છે. કંપનીએ કહ્યું છે કે માર્ચ 2019 સુધી કંપનીની પાસે 2.5 કરોડ યૂઝર્સ હશે. કંપની પ્રમાણે આશરે દૈનિક એક લાખ લોકો પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરાવી રહ્યાં છે જેમાંથી 50 ટકા યુપીઆઈના નવા યૂઝર્સ છે. ટ્રુ કોલર પેના પ્રેસિડન્ટ સોની જોયે કહ્યું કે, ‘જ્યારથી અમે ટ્રુ કોલર પે લોન્ચ કર્યું છે ત્યારથી અમારી પાસે…
જસદણની પેટાચૂંટણીને લઈ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતમાં ‘ચંદાભાઈ’ના હૂલામણા નામથી જાણીતા ચંદ્રવદન પીઠાવાળાએ જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર અને કોળી સમાજના આગેવાન અવસર નાકીયા અંગે સોશિયલ મીડિયા પર કરેલી વાતો મીડિયામાં આવ્યા બાદ ચંદ્રવદન પીઠાવાળાએ કોંગ્રેસમાં ચાલતી ગંદી રાજનીતિ પરથી પડદો ઉંચક્યો છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને કોંગ્રેસમાંથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા ચંદ્રવદન પીઠાવાળાએ કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. પીઠાવાળાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ કોર કમિટીમાં સમાવિષ્ટ થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલના પુત્ર સિદ્વાર્થ પટેલ અને ના ગુજરાત વિધાનસભાના તે વખતના નેતા પ્રમુખ અર્જુન મોઢવડીયા પર સીધા આક્ષેપ મૂક્યા છે. ચંદ્રવદન પીઠાવાળાએ લખ્યું…
સુરતના રાજદ્રોહના કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી અલ્પેશ કથીરીયાને સુરતની કોર્ટે જામીન આપી દીધા છે.અલ્પેશ કથીરીયાના જામીન મંજુર થતાં તેમના નિવાસે આનંદનો માહોલ સર્જાણો હતો. પરંતુ પાસના કાર્યકરો માટે માઠા સમાચાર એ છે કે હજુ કથીરીયાને જેલમાં જ રહેવું પડશે. અલ્પેશ કથીરીયાના વકીલે કહ્યું કે ગયા મહિનાની 20મી તારીખે સુરત પોલીસે અલ્પેશ કથીરીયાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. અમદાવાદના રાજદ્રોહના કેસમાં કથીરીયાને જામીન મળવાના આગલા દિવસે સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા કોર્ટમાં પોલીસની ગંભીરતા વિશે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. કથીરીયાને 25 હજારના જામીન પર મૂક્ત કરવામાં આવ્યા છે અને ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસ…
ગઇકાલથી આખા રાજ્યમાં ખળભળાટ મચાવતો લોક રક્ષક-કોન્સ્ટેબલની પેપર લીકના મામલામાં અનેક ખુલાસા થયા છે. જેમાં હાલ સુધીમાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ, રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી ચાર આરોપીઓ મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી. પટેલ અને રૂપલ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રશ્નપત્રની સુરક્ષા ખુબ કડક હોય છે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો મોટાભાગે અન્ય રાજ્યની ગુપ્ત એજન્સીને પ્રિન્ટ કરવા અપાય છે. ત્યાંથી પેપર પ્રિન્ટ થયા બાદ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ભરતી બોર્ડના મુખ્ય સ્ટ્રોંગ રૂમમાં સ્ટોર કરવામાં આવે છે. જ્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હોય છે.…
કોંગ્રેસમાંથી જીત્યા બાદ ભાજપમાં જઈને માંડ ત્રણ કલાકમાં જ કેબિનેટ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાએ રાજીનામું આપતા પરાણે આવી પડેલી જસદણ-વીંછીયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુંવરજીના એક સમયના સાથી અવસર નાકીયાને ટીકીટ આપતા અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ અને સુરતના રહીશ ચંદ્રવદન પીઠાવાલા છંછેડાઈ ગયા છે. ચંદ્રવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં અવસર નાકીયાને વણમાંગી સલાહ આપી કોંગ્રેસ પ્રત્યેનું પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પીઠાવાળા કોંગ્રેસના નિશાન પર સુરત લોકસભાની સીટ પરથી ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે. ચંદ્રવવદન પીઠાવાળાએ સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો છે અને તેમાં તેમણે જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને સીધા શબ્દોમાં લખ્યું છે તે રાજકીય પક્ષો…