છેલ્લા ઘણા સમયથી પાટીદારો અનામત માટે આંદોલનો કરી રહ્યા છે, પણ સરકાર તરફથી હજી પણ કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો નથી. આ તમામની વચ્ચે પાટીદારના નેતા હાર્દિક પટેલે આજ રોજ પાટીદાર સહિત બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓ માટે ગુજરાત વિધાનસભામાં પ્રાઈવેટ બિલ રજુ કરવા અંગે પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ અને પાસ સમિતીના 300 થી વધારે આંદોલનકારીઓએ આજ રોજ પરેશ ધાનાણીના નિવાસસ્થાન પર બેઠક કરી હતી. જેમાં તેમણે પરેશ ધાનાણીને આવતા વિધાનસભા સત્રમાં પાટીદાર સમાજને અનામત મળે અને આ અઁગે પ્રાઈવેટ બિલ રજુ કરવામાં આવે એવી અપિલ કરી હતી. પરેશ ઘાનાણીએ તેમની રજુઆત…
કવિ: Satya-Day
સુરત ભાજપમાં બે યુવા કાર્યકરો વચ્ચે ગે-રિલેશન હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો છે. મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો અને મેસેજ વાયરલ કરનાર ભાજપના જ કાર્યકર વિરુદ્વ ભાજપના જ હોદ્દેદારે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સુરતની લાલગેટ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ વર્તુળો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદ લખાવી છે. ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો…
લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો ભલે સત્તા પર ના હોય પણ તેમની દાદાગીરી યથાવત છે. પટનામાં સરકારે તેજસ્વી યાદવને તેઓ જ્યારે ઉપમુખ્યમંત્રી હતા ત્યારે બંગલો ફાળવ્યો હતો. જોકે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ રહ્યા નથી અને આ બંગલો હાલના ડેપ્યુટી સીએમ સુશિલકુમાર મોદીને ફાળવવામાં આવ્યો છે પણ તેજસ્વી યાદવ આ બંગલો ખાલી કરી રહ્યા નથી. આજે પટણામાં સરકારની એક ટીમ બંગલો ખાલી કરાવવા પહોંચી ત્યારે તેજસ્વી યાદવે આ ટીમને ખાલી હાથે પાછી કાઢી હતી. તેજસ્વીએ કહ્યુ હતુ કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં થઈ રહી છે. જ્યાં સુધી સુનાવણી પુરી નહી થાય ત્યાં સુધી બંગલો ખાલી…
તાજેતરમાં ગુજરાતી મહિલાની લંડનમાં તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પતિને મહિલાની હત્યા માટે દોષી જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસની ગયા મહિને સુનાવણી થઈ હતી ત્યાર બાદ ગતરોજ વધુ સુનાવણી કરવામાં આવી હતી. જ્યૂરીએ પતિને હત્યા માટે દોષી ઠેરવ્યો હતો. પતિએ પત્નીને સુપર માર્કેટની પ્લાસ્ટીક બેગની દોરીથી ગળે ટૂંપો દઈને મારી નાંખી હતી. પતિએ પત્નીને એટલા માટે મારી નાંખી હતી કે ગે-એપ પર મિત્ર બનેલા ફ્રેન્ડ સાથે તે નવી લાઈફ શરૂ કરી શકે. ગુજરાતી મૂળની 34 વર્ષીય જેસિકા પટેલની લાશ નોર્થ ઈંગ્લેન્ડમાં આવેલા મિડલ્સબર્ગ વિસ્તારના ઘરે મળી આવી હતી. જેસિકા પટેલની હત્યા આ વર્ષના મે મહિનામાં કરવામાં આવી…
રિઝર્વ બેન્કે અપેક્ષા પ્રમાણે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેન્કની 6 સભ્યોની મોનેટરી કમિટી(એમપીસી)ની ત્રણ દિવસીય સમીક્ષા મીટીંગમાં રેપો રેટને 6.5 ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્કે વર્તમાન વિત્તીય વર્ષમાં જીડીપી ગ્રોથના દરને 7.4 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આ વર્ષે પાંચમી મોનેટરી સમીક્ષા બાદ એમપીસીએ રિવર્સ રેપો રેટ અને બેન્ક રેટને પણ અનુક્રમે 6.25 અને 6.75 પર કાયમ રાખ્યા છે. આ વખતે એમપીસીની બેઠક ત્રીજી ડિસેમ્બરથી શરૂ થઈ હતી. પાછલી દ્વિમાસિક મોનેટરી પોલિસીની સમીક્ષામા આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય બેન્કે તે વખતે ચેતવણી આપતા કહ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવમાં અપ-ડાઉન…
ગુજરાતમાં કેટલી હદ સુધી બેરોજગારી વધી ગઈ છે તેનું દશ્ય આજે ચોખ્ખું જોઈ શકાયું હતું. આજ રોજ અમદાવાદમાંટ્રાફિક પોલીસની ભરતીના ફોર્મ વિતરણની પ્રકીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ખુબ થોડી જગ્યા હોવા છતા હજારો લોકોએ ફોર્મ માટે લાઈન લગાવી હતી. આ ઘટના અંગે હાર્દિક પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં બેરોજગારી એટલી હદ સુધી વધી ગઈ છે કે યુવાનો નોકરીઓ માટે વલખા મારી રહ્યા છે. આ જોતા એવું લાગે છે કે ક્યાંકને ક્યાંક વાઈબ્રન્ટ અને ગુજરાત મોડલની હવા નીકળી ગઈ છે. 5- લાખથી વધારે યુવાનો બેરોજગાર છે અને યોગ્ય નિરાકરણ સાથે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી નથી, તેથી યુવાનોના…
ભારતીય બેંકો પાસેથી લોન લઈને ભાગી છૂટેલા વિજય માલ્યાએ ફરી ભારતીય બેન્કોની 100 ટકા લોન પાછી આપવાની ઓફર કરી છે.જોકે તેના પરનુ વ્યાજ આપવા માટે માલ્યા તૈયાર નથી. બુધવારે માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે ભારતમાં મીડિયા અને રાજકીય પક્ષો મારા વિરુધ્ધ બૂમો પાડી રહ્યા છે પણ મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ જે પ્રસ્તાવ મુક્યો હતો તેની કોઈ વાત કરતુ નથી.હું તમામ બેંકોની 100 ટકા લોન ચુકવવા તૈયાર છું, બેંકો મારો પ્રસ્તાવ સ્વીકારે તેવી મારી અપીલ છે. માલ્યાએ લખ્યુ હતુ કે મીડિયા અને નેતાઓ બૂમો પાડી રહ્યા છે કે હું સરકારી બેન્કોના પૈસા લઈને ભાગી ગયો છું. આ જૂઠ્ઠાણું છે.મારી સાથે…
રાજસ્થાન વિધાનસભાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સુમેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ પાર્ટીએ દેશની ચાર પેઢીઓને બરબાદ કરી નાંખી છે. નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આરોપીના પાંજરામા ઉભા કરતા પીએમ મોદીએ કહ્યું કે બન્ને મા-દિકરા જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. હવે હું જોઈશ ક મા-દિકરાને કોણ બચાવે છે. પહેલાં કોંગ્રેસ ચાર પેઢીનો જવાબ આપે પછી જ ભાજપ સરકારના ચાર વર્ષનો હિસાબ માંગે. તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકોએ ભાજપને વિજય બનાવવાનો નિર્ણય કરી લીધો છે. અમે બધા જ એક એક…
અગુષ્ટાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સૌદામાં વચેટીયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચયન મિશેલને યુએઈથી ભારત લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. VVIP હેલિકોપ્ટર સૌદામાં લાંચના આરોપોની સીબીઆઈ તપાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓની આ એક મોટ સફળતા માનવામાં આવે છે. મિશેલને સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મિશેલને રિમાન્ડ પર લેવામાં આવશે. મિશેલની ધરપકડથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ સરકારે મંગળવારે બ્રિટીશ નાગરિક મિશેલના પ્રત્યાપર્ણને મંજુરી આપી હતી. ત્યાર બદા તેને દુબઈથી વિમાન મારફથ ભારત લાવવામાં આવ્યો હતો. યુએઈની સુપ્રીમ કોર્ટે પાછલા મહિનામાં મિશેલના પ્રત્યાપર્ણ પર નીચલી કોર્ટનાં આદેશને મંજુરી આપી દીધી હતી. 54 વર્ષીય…
રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. માધાપર-મોરબી બાયપાસ પર આવેલા સ્વામિનારાયણ નગરમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે બુધવારનાં રોજ મહંતસ્વામી અને રાજ્યનાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ નગરને ખુલ્લુ મુકવામાં આવ્યું. ઉદ્ધઘાટન સમારંભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. અહીં અક્ષરપુરૂષોત્તમ મંદિરમાં મહંતસ્વામી મહારાજ તથા સીતા-રામ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ મંદિરમાં સંસ્થાનાં વડિલ સંતો વિધિસર કાર્યક્રમ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં આજથી 11 દિવસ મહોત્સવ રહેશે, જેમાં ભક્તિ, ભોજન અને ભવ્યતાનો અનેરો સંગમ જોવા મળશે. અહીં 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે.…