કવિ: Satya-Day

પાકિસ્તાનને પાઠ ભણાવવાના ભારતે અન્ય રસ્તા પણ શોધી લીધા છે. હવે ભારતમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણ ફેરવી નાખવામાં આવશે અને તેનો ઉપયોગ ભારતમાં જ કરવામાં આવશે. આ માટે રવી નદી પર એક ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જતુ પાણી ભારત તરફ વાળી લેવામાં આવશે. હાલ આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં આ ડેમ બનાવવામાં આવશે જેની મદદથી પાકિસ્તાન તરફ જે વધારાનું પાણી જતુ રહે છે તેને અટકાવવામાં આવશે અને ભારત તરફ વાળી લેવાશે. આ પ્રોજેક્ટની મદદથી પંજાબમાં પાંચ હજાર હેક્ટર જમીન અને કાશ્મીરમાં…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાની લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે આખો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી ગયો છે. ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી ગરીબોની ‘અન્ન સેવા’ કરવામાં આવી રહી છે. જેમાં સાતમી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી દિવસમાં ત્રણ વખત ગરીબોને ભોજન કરાવવામાં આવશે. આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન છે. અન્ન સેવા ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં 5,100 ગરીબોને ભોજપ કરાવવામાં આવશે. અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અન ઈશા અંબાણી સાથે આનંદ અને તેમના માતા-પિતા તેમજ સ્વાતી પીરામલ પણ ગરીબોને ભોજન કરાવતા નજરે પડ્યાં હતાં. ઈશા અને આનંદ…

Read More

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સરકાર દ્વારા ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની વરણી કરવામાં આવી છે. તેઓ અરવિદ સુબ્રમણ્યનનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હશે. એક સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. અરવિંદ સુબ્રમણણ્યને આ વર્ષે જુલાઈમાં વ્યક્તિગત કારણોસર રાજીનામુ મૂકી દીધું હતું. તેમની જગ્યાએ હવે કૃષ્ણમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે.કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના એસોસિએટ પ્રોફેસર અને સેન્ટર ફોર એનાલિટિક્સ ફાઈનાન્સના એક્ઝિક્યૂટિવ ડાયરેકટર છે. સુબ્રમણ્યન શિકાગો બૂથથી Phd થયેલા છે અને IIT અને IIMના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. કૃષ્ણમૂર્તિની ગણતરી દુનિયાના ઉચ્ચ કોટિના બેકિંગ, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલીસી…

Read More

ગુજરાત સરકારે તાલુકા અને જિલ્લા પંચાયત વિસ્તારમાં જમીન બિનખેતી(નોન એગ્રીકલ્ચર- NA)કરવાની સત્તા કારોબારી સમિતિ પાસેથી પરત ખેંચીને  કલેકટરના હવાલે કરી દીધી છે. જેનો આજથી જ અમલ કરવાની જાહેરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલે કરી છે. બિનખેતીના ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા ઓનલાઈન મંજુરી પદ્ધતિનો સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બિનખેતીમાં NOC મેળવવામાં અને મંજુરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાળને પગલે સરકારે શહેરી વિસ્તારો (કલેકટર હસ્તકના વિસ્તારો)માં ગત લાભ પાંચમથી બિનખેતીની ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી દીધી હતી. ઓન લાઈન રજિસ્ટ્રેશનની સફળતાના પગલે પંચાયત ક્ષેત્રમાં પણ ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી સમગ્ર કામગીરી કલેકટર તંત્રને હવાલે કરી છે. મહેસુલ મંત્રીએ જાહેર કર્યા મુજબ આજથી જ…

Read More

સુરત મહાનગર પાલિકા દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ સિસ્ટમનાં અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની લાલીયાવાડી સામે આવી રહી છે. સોલિડવેસ્ટ ડિપાર્ટમેન્ટના વડા ઉદય નાયકને પુરાવા આપવામાં આવ્યા હોવા છતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્વ કાર્યવાહી કરવામા આવી રહી નથી જેના કારણે અનેક પ્રકારની શંકા ઉભી થઈ રહી છે. સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના ભરીમાતા વિસ્તારમાં આવેલા ટ્રાન્પોર્ટેશન સેન્ટર પરથી કચરાને બારોબાર વેચી મારવામાં આવે છે અને કોર્પોરેશનને આર્થિક રીતે નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જે કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પાલિકાએ નક્કી કરેલા નિયમોનો છડેચોક ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે અને દાદાગીરી કરી કચરાને બારોબાર વેચી નાંખવાનો વેપલો કરે છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ…

Read More

રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાનાં એક્ઝિટ પોલ આવી ગયા છે. રાજસ્થાનમા કોંગ્રેસને બમ્પર બહુમતિ મળવાનો સરવે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહેશે એવું મોટાભાગના સરવે કહી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 135થી 140 સીટ મળવાની ધારણ છે જ્યારે ભાજપને 50થી 55 સીટ મળવાની સંભાવના છે. સરવે જોઈએ તો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મેદીનો મેજિક ચાલ્યો નથી. છત્તીસગઢમાં 90 સીટમાંથી ભાજપને સીટ મળવાના સંકેત છે તો કોંગ્રેસના ખાતામાં 55થી 65 સીટ અને ભાજપના ખાતામાં 21-31 સીટ મળવાની ધારણા ઈન્ડીયા ટૂડેના સરવેમાં કહેવાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 119=141 સીટ, ભાજપને 55-72 સીટ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Read More

દેશમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે. એપીબીએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં મધ્ય પ્રદેશના ચંબલમાં કોંગ્રેસને આગળ દર્શાવવામાં આવી રહી છે. ચંબલની 10 સીટ ભાજપને, કોંગ્રેસને 21 સીટ અને અન્યને 3 સીટ જતી દેખાઈ રહી છે. અહીં કુલ 34 સીટ છે. આ એક્ઝિટ પોલ લોકમત-સીએસડીએસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વિંધ્યમાં 56 સીટ આવેલી છે. ભાજપને 37 ટકા વોટ મળી રહ્યા છે. અહીં પણ કોંગ્રેસને 41 ટકા વોટ મળી રહ્યા છે. જ્યારે અન્યને 22 ટકા વોટ મળી રહ્યા છે. અહીંયા ભાજપને 20 કોંગ્રેસને 33 અને અન્યને 3 સીટ મળી રહી છે. હાલ 90 સીટના એક્ઝિટ પોલમાં…

Read More

આજ રોજ અમદાવાદમાં બસમાં ચોરી અને લૂંટફાટની ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદથી પાલનપુર જતી એસ ટી બસને હાઈજેક કરીને લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં 9 લુંટારાઓ ઉનાવાથી હથિયાર સાથે બસમાં ચડ્યા હતા અને લગભગ 1 કરોડ રબપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લૂટારૂઓએ બસ ડ્રાઈવરને રિવોલ્વર બતાવીને નંદાસણ પાસે બસ ઉભી રખાવી ડિસાથી અમદાવાદ બસમાં બેસેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવીણ પાસેથી 1 કરોડનો માલ જપ્ત કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

અલ્પેશ કથિરીયાને સુરતમાં રાજદ્રોહના ગુનામાં જેલ મુકત કરાયા બાદ આજ રોજ ધાર્મિક માલવિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં જણાવવામાં આવ્યું હતું કે  9 ડિસેમ્બર સોમવારે અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કર્યા બાદ સુરતમાં ત્રિદિવસીય  સંકલ્પયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં અનામતની માંગ સાથે લાજપોર જેલથી લઈને વરાછા સુધી રેલી યોજાશે. આ રેલીમાં અલ્પેશ કથિરીયા સાથે હજારો પાટીદારો જોડાશે. આ ઉપરાંત અનમાતની માંગ સાથે બીજી બે રેલી ખોડલધામ અને ઉમિયાધામમાં યોજાશે. 1)પ્રથમ રેલી તારીખ – 9 ડિસેમ્બર, 2018 રુટ – લાજપોર જેલ- ભેસ્તાન-ઉધના-રીંગરોડ- ખોડિયાર મંદીર-સ્ટેશન- ઉમિયા મંદીર-મિનીબજાર- સરદાર પ્રતિમા- વરાછા રોડ- બરોડાપ્રિસ્ટેજ-હીરાબાગ- સીતાનગર-પુણાગામ- કારગીલ ચોક-યોગી ચોક- સિમાડા-સવજી કોરાટ બ્રિજ- સુદામા…

Read More

દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સતત પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે પરંતુ આ વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લગ્ન બાદ પણ દીપિકાની બાદશાહત જળવાઈ રહી છે. કારણ કે દીપિકા એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલા બની ગઈ છે દીપિકા પાદુકોણ હવે એશિયાની 50 સૌથી સેક્સિએસ્ટ મહિલાઓની યાદીમાં ટોપ પર પહોંચી ગઈ છે. જોકે, પ્રિયંકા ચોપરા પણ આ યાદીમાં સામલે છે પરંતુ તેને બીજું સ્થાન મળ્યું છે. આ યાદી બુધવારે જારી કરવામાં આવી છે. વિતેલા વર્ષે આ યાદીમાં પ્રિયંકા ચોપરા ટોપ પર હતી પરંતુ આ વખતે દીપિકા બાજી મારી ગઈ છે. આ બન્ને ઉપરાંત ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પણ આ…

Read More