અત્યાર સુધી જુગારના ધંધા બંધ બારણા પાછળ થતા હતા જ્યારે હવે બંધ પડદા પાછળ થવા લાગ્યા છે. પોલિસથી બચવા નવા-નવા કિમીયા અપનાવતા જુગારીઓ આ વખતે પણ એક નવો કિમીયો અપનાવવા ગયા પણ પોલિસે તેમને ઝડપી પાડ્યા. પોલીસે ચાલતી લક્ઝરી બસમાં જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરી કરી છે. લક્ઝરીમાં જુગારધામ ચાલતો આવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એસ.પી.રિંગ રોડ પર સાંઈ કૃપા નામની લક્ઝરી બસની પોલીસે પાસ કરી તો અંદર જુગાર અને દારૂની પાર્ટી ચાલતી હતી. પોલીસને તપાસ કરતા લક્ઝરીમાંથી 35 દારૂની બોટલો મળી આવી હતી. બસમાં જુગારીઓ ગાદલાં પાથરીને જુગાર રમતાં હતા. પોલિસે જુગારધામના સંચાલક, બસના ડ્રાઇવર-કંડકટર સહિત…
કવિ: Satya-Day
દિલ્હીમાં વધતા પ્રદુષણને લઇને ઉત્તરીય દિલ્હી નગરનિગમ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રદુષણ ફેલાવનારી 63 ફેક્ટરીઓને સીલ કરી છે. આ ફેક્ટરીઓ પ્રતિબંધ છતાં કામ કરીને પ્રદુષણ ફેલાવતી હતી. તંત્ર હાલ આવી ફેક્ટરીઓની ઓળખ કરી રહી છે. દિલ્હીના બીદોપુરા અને રૈગપુરમાં ચોરીછૂપીથી ચલાવવામાં આવતી 103 ફેક્ટરીઓની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી 63ને સીલ કરવામાં આવી જ્યારે 40ને શો કોઝ નોટીસ આપવામાં આવી છે. જે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે તે એકમો વાયુ પ્રદુષણ ફેલાવતા હતા. આ પહેલા પણ તંત્રએ 32 યુનિટ્સને ઝડપ્યા હતા જેની સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓક્ટોબરમાં પણ ફેક્ટરીઓ અને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા જેમાં પ્લાસ્ટીક,…
સુરત શહેરમાં ચકચાર જગાવનારા ડો.પ્રફુલ દોષી દ્વારા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પ્રજાપતિ સમાજન મહિલાઓએ પોલીસ કમિશરને આવેદનપત્ર આપી એફએસએલ રિપોર્ટ બદલી કાઢનારા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગં કરી છે. વાટલીયા પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયા સહિતની મહિલાઓએ પોલીસ કમિશનરને મેમોરેન્ડમ આપી રજૂઆત કરતા પ્રફુલ દોષી પ્રકરણમાં આવનાર દિવસોમાં નવા ફણગા ફૂટવાની શક્યતા નકારી શકાતી નથી. વાટલીય પ્રજાપતિ સમાજની મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું કે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ,ર.નંબપ 116/2018 પ્રમાણે ડો.પ્રફુલ દોષી વિરુદ્વ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનારી પિડીતા અમારી એટલે કે પ્રજાપતિ સમાજની પરિણીતા હતી. સમાજના આગેવાનો દ્વારા પિડીતાને ન્યાય અપાવવાના હેતુથી…
ભાજપના રાજ્યમાં પ્રથમ મુખ્યપ્રધાનનો દરજ્જો મેળવનાર કેશુભાઈ પટેલની અચાનક તબીયત લથડી જતા શનિવારે તેમને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં તેમનો ચેક-અપ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે 10 દિવસથી સામાન્ય બીમારીના કારણે સામાન્ય ચેક-અપ માટે તેઓ આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલીને કમૂર્તા બેસે તે પહેલાં નવા સીએમની તાજપોશી કરવામાં આવી રહી હોવાની અટકળો વચ્ચે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું હોવાની ચર્ચા નાગપુરનાં વર્તુળોમાં ચાલી રહી છે ત્યારે સુરતના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજીનામા અંગે સવાલ પૂછવામાં આયો હતો કે શું તમને રાજીનામું આપી દેવાનું કહી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને પ્રશ્ન અંગે કશું પણ કહ્યું ન હતું, સુરતના મોટા વરાછા રૂસ્તમ બાગ ખાતે સ્વામી નારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા…
નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં મુંબઈના એક હીરાના બિઝનેસમેનની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. બિઝનેસમેન 28 નવેમ્બરથી ગૂમ હતો. આ હીરાના બિઝનેસમેનની કાર મુંબઈના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મળી આવી હતી. કોલ ડિટેલથી ખુલાસો થયો કે મૃતક ડાન્સ બારમાં કામ કરનારી અનેક યુવતીઓ સહિત ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે પણ સંપર્કમાં હતો. પોલીસે ટેલિવિઝનના પડદે ‘ગોપી વહુ’ના નામથી પ્રચલિત દેવોલીના ભટ્ટાચાર્યજી સહિત 20 લોકોની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે, ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના બિઝનેસમેન રાજેશ્વર 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પરત આવવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ બીજા દિવસે સવાર સુધી તેઓ પરત ફર્યાં નહતાં. ત્યારબાદ તેમના પરિવારે…
ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના ખભા પર રહેલા ભણતરના ભારને દુર કરવા માટેના કાયદાઓ આજથી લાગુ થઈ ગયા છે. ભાર વિનાની ભણતર અંતર્ગત તૈયાર કરાયેલી પોલીસ ચાર અલગ અલગ એક્શન પ્લાન પર લાગુ થઈ છે. જેમાં ખાનગી પબ્લિશર્સના ગાઈડ કે પુસ્તક સ્કૂલમાં લાવવા ગેરકાયદે બનશે. આગામી સત્રથી બે અલગ-અલગ તબક્કામાં પુસ્તકો છપાશે. અત્યારે સુધી એક દિવસમાં શાળામાં 8 પિરીયડ લેવાતા હતા. તેની જગ્યાએ રોજ માત્ર 4 વિષયના બબ્બે પિરીયડ લેવાશે તેવો પણ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને હોમ વર્ક પણ એનસીઈઆરટીની ગાઈડ લાઈન પ્રમાણે જઆપવામાં આવશે તેમ નક્કી થયું છે. અગાઉ પણ સરકારે સ્કૂલના બાળકોની બૅગના વજનને લઈને એક નવી ગાઈડલાઈન તૈયાર કરી હતી.…
(સૈયદ શકીલ દ્વારા): જસદણ વિધાનસભાની ચૂંટણી રસપ્રદ તબક્કામાં આવી પહોંચી છે. કુંવરજીને જીતાડવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવી તો દીધું પણ સામા પક્ષે કોંગ્રેસના છકડા ચલાવનાર ઉમેદવારને લઈ કુંવરજી ટેન્શનમાં આવી ગયા હોય એમ લાગે છે. વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યા, અને મંત્રી પદ મેળવવાની લહાયમાં ભાજપમાં ગયા અને ભાજપમાં ગયા પછી માત્ર કલાકમાં મંત્રી પદ મેળવી પણ લીધું. એક તરફ ભાજપના નેતાઓ દાવો કરે છે કે જાતિવાદી રાજકારણ કરતાં નથી તો કુંવરજી બાવળીયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી તકવાદી રાજકારણનો પરિચય આપ્યો છે. જસદણ-વીંછીયા વિધાનસભાની પેટાચૂંટણીને એક રીતે જોઈએ તો ભાજપ કોંગ્રેસ કરતાં કોંગ્રેસ વર્સીસ કોંગ્રેસ વધારે લાગે છે. કુંવરજીની ઓડિયો ક્લિપ…
તમને કદાચ આ ઘટના યાદ હોય તો કે 6 નવેમ્બર 2016ના રોજ કરજણ ટોલ નાકાની આગળ રાત્રે 08.30 કલાકે એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં સુરતના 9 વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં માતાએ 28 વર્ષનો છોકરો અને 26 વર્ષની પુત્રવધુ ગુમાવ્યાં હતાં. માતા અંદરથી સાવ તૂટી ગઇ હતી. ઘટનાના માત્ર છ મહિના બાદ દીકરીએ IVF વિશે જાણ્યું અને કંઇ પણ વિચાર કર્યાં વગર ઘરમાં જઇને માતા-પિતાને કહી દીધું કે ‘આ ઘરમાં ભાઇ ફરીથી આવશે.’ બસ, પછી તો ગેહલોત પરિવારમાં ફરીથી આશાનો જન્મ થયો. કોલેજના એક સેમિનારમાં દીકરી મનીષાએ આઈવીએફ ટ્રીટમેન્ટ વિષે જાણ્યું . દીકરીની વાત સાંભળી માતાએ શક્યતા…
તાજેતરમાં સુરતમાં ચકચાર જગાવનારા અને અખબારો સહિત ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સ બનેલા ડો.પ્રફુલ્લ દોષી દ્વારા થયેલા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં હવે પ્રજાપતિ સમાજની મહિલાઓ મેદાને પડી છે. પ્રજાપતિ સમાજ દ્વારા પિડીતા અને એફએસએલનો રિપોર્ટ બદલી નાંખનારા અધિકારીઓ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સાંજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયાએ જણાવ્યું કે ડો.પ્રફુલ્લ દોષી દુષ્કર્મ કેસમાં સુરત ખાતેથી ખોટા એફએસએલ રિપોર્ટ બનાવનારા એફએસએલ વિભાગના અધિકારઓ વિરુદ્વ ફરીયાદ, ગુનો દાખલ કરવાની માંગ સાથે વાટલીયા પ્રજાપતિ મહિલા સમાજની મહિલા અને આગેવાનો સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે. શર્મિષ્ટાબેન વરીયાએ કહ્યું કે ક્યાં…