નવસારી જિલ્લાનું દાંડી ગામા ગાંધીજીના નામ સાથે જોડાયેલુ છે. સને ૧૯૩૦માં અંગ્રેજોએ દેશમાં મીઠાનો કર વસુલવાનો કાયદો લગાડ્યો હતો જેનો ભંગ મહાત્મા ગાંધીએ કર્યો હતો. સવિનય કાનુન ભંગ કરવા માટે બાપુ અમદાવાદના સાબરમતી આશ્રમથી પગપાળા નીકળીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ઐતિહાસિક દાંડી ગામમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો નથી. મોડે મોડે પણ સારી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. કુલ ૫૦ કરોડથી વધુના ખર્ચે દાંડીની સકલ બદલવા કેન્દ્ર સરકારનું કેન્દ્રિય લોકનિર્માણ વિભાગ કામે લાગ્યું છે. -15 એકર જમીનમાં સાબરમતિથી 24 ગામોને ઝાંખીઓનું પ્રદર્શન – મહાત્મા ગાંધી સાથે 80 પદયાત્રીઓની 18 ફૂટ ઊંચી પ્રતિમાઓ મુકાશે – 40 મીટરની…
કવિ: Satya-Day
અભિનેતા સૈફ અલી ખાનની દીકરી સારા અલીની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ વિવાદ હોવા છતાં બૉક્સ ઑફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. તાજેતરમાં સારા અલી ખાને અમર ઉજાલા ડૉટ કૉમ સાથે એક્સક્લૂઝીવ વાતચીત કરી હતી. સારાએ કહ્યું કે હું પોતાની પ્રથમ ફિલ્મને લઇને જેટલી ઉત્સાહથી ભરેલી હતી તેટલો જ મને ડર હતો કે આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે. ફિલ્મ જગતમાં કારકિર્દી શરૂ કરવાને લઇને કોઇ પણ ગભરાટથી દૂર રહેનારી નવોદિત અભિનેત્રી સારા અલી ખાનનું કહેવુ છે કે તે ઈચ્છતી નહોતી કે તેને એક સ્ટાર કિડ્સ તરીકે ઓળખવામાં આવે. જોકે, સારા ઈચ્છે છે કે તેને પોતાને “મમ્મીની દીકરી” તરીકે ઓળખવામાં આવે. સારા…
પાટીદાર અનામત સમિતિની કમાન છોડ્યા બાદ હાર્દિક પટેલ ફરી એક વાર પોતાની નવી ઈનિંંગ્સ રમવા માટે મેદાને પડી રહ્યો છે. હાર્દિક પટેલે અગાઉ અતિ વ્યસ્તતાના કારણે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવા માટે સમયના અભાવનું કારણ આગળ ધર્યું હતુ ત્યારે હવે હાર્દિક પટેલે વાયા ખેડુત સંમેલન થકી જસદણની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હોય એમ લાગે છે. હાર્દિક પટેલ 13મી ડિસેમ્બરના રોજ રાજકોટના જસદણ તાલુકાના રૂપાવટી ગામે ખેડુત વેદના સંમેલનમાં હાજરી આપવાનો છે. આ સંમેલનમાં ખેડુતોની દેવા માફી, ટેકાના ભાવ આપવા, પાક વીમો આપવા અને સમયસ વીજળી આપવાની માંગ સાથે ખેડુત વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ રાજ્યોના…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લોકો તેમના રાજીનામા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે. ગવર્નરના અચાનક રાજીનામાને કારણે તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની વરણી કરવામાં આવે છે. ઉર્જીત પટેલના રાજીનામાં સાથે RBI ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ રાજીનામું આપી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર સાથે ચાલતા વિવાદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જીત પટેલે રાજીનામાનું કારણ પોતાનું કોઈ ખાનગી કારણ બતાવ્યું છે. રાજીનામું આપ્યાના બે કલાકમાં જ તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસને નિમવામાં આવ્યા છે
પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને હવે ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ પેદા થઇ છે. કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉતે ભાજપની આજની સ્થિતિની ટીકા કરી અને કહ્યું કે લોકોએ અમને સબક શીખવાડ્યો. તો હવે ફરી ભાજપના જ એક નેતા ભાજપની વિરૂદ્ધ બોલી ગયા. આમ તો આ નેતા ભાજપની વિરૂદ્ધ બોલવા માટે પંકાયેલા જ છે. મ. ત્યારે આટલી મોટી બોલવાની તક તેઓ કેવી રીતે જતી કરી શકે. એ પણ એવી તક જ્યારે ભાજપ ચારે ખાનો ચિત્ત થઇ ગયું હોય. ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પોતાની જ પાર્ટી પર સકંજો લાદતા કહ્યું કે, ”મેં તો પહેલા જ ચેતવણી આપી…
છેલ્લા 15 વર્ષથી ભાજપના શાસન હેઠળ છત્તીસગઢ, આજના નિર્ણાયક પરિણામો પછી સરકારમાં પરિવર્તન જોવાની તૈયારીમાં છે. કૉંગ્રેસને લાંબા સમય પછી સત્તા પર પાછા આવવાની શ્રેષ્ઠ તકની જેમ લાગે છે, પક્ષને તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે સમાનતા વચ્ચે પ્રથમ વખત પસંદ કરવામાં મુશ્કેલી પડી શકે છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ઉભરી શકે એવા ચાર નેતાઓનું અહીં એક નજર છે. છેલ્લા પંદર વર્ષથી છત્તીસગઢમાં એકધારી સત્તા સ્થાને રહેલા રમણસિંહ-ભાજપને બહુ ભારે માર ખાવી પડી છે. પંદર વર્ષના શાસન બાદ ભાજપનો ગઢ પત્તાનાં મહેલની માફક ધરાશયી થતાં કોંગ્રેસને જબરદસ્ત બહુમતિ મળી છે. 90 સીટની વિધાનસભામાં કોંગ્રેસ 64 સીટ સાથે મેદાન મારી ગઈ છે…
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહમતિ ભણી દોડી રહી છે. ભારે રસાકસીપૂર્ણ બનેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કલાકો સુધી આંકડાની માયાજાળ ઉપર-તળે રહી હતી. બપોરે ચાર વાગ્યે કોંગ્રેસે બહુમતિના 116ના ફિગરને આંબ્યો હતો. હમણા જે ટ્રેન્ડ મળી રહ્યા છે તેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બહુમતિના 116ના આંકડાને પાર કરી લીધો છે. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે. શરૂઆતથી જ કહેવાતું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. કાંટે કી ટક્કરના અંતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે, હાલ કોંગ્રેસે 117 સીટ મેળવી લીધી છે જ્યારે ભાજપને 102 સીટ પર પહોંચી ગયું છે. બસપા અને…
રાજસ્થાનમાં કોંગ્રેસે કમબેક કર્યું છે. 230 સીટ ધરવાતી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસે બહુમતિ માટે 100નો આંકડો પાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુખ્યમંત્રીની પસંદગી માટે બે ચહેરા સામે રહ્યા છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ એમ બન્નેમાંથી એકની પસંદગી કરવાની રહશે. આઠમી ડિસેમ્બરે આવેલા એક્ઝિટ પોલના તારણોથી રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતિ હાંસલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આજે મતણગતરી થતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ફાઈટ થઈ હતી પરંતુ છેવટે કોંગ્રેસે ભાજપને ચૂંટણી જંગમાં મહાત કર્યો છે. કોંગ્રેસને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે અને અનેક પડકારો પણ કોંગ્રેસની સામે ઉભા થયેલા છે. ખાસ કરીને મુખ્યમંત્રીની પસંદગી કરવાની…
ઊર્જિત પટેલે RBI ના ગવર્નર પદેથી રાજીનામુ આપી દેતા સરકારની ચિંતા વધી ગઈ છે. જો કે, સરકારના આર્થિક મામલાના સચિવના જણાવ્યા અનુસાર આજે જ નવા ગવર્નરના નામનો નિર્ણય થઇ જશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ગવર્નરની રેસમાં શક્તિકાંત દાસનું નામ ભારે ચર્ચામાં છે જ્યાં સુધી આ પદ ઉપર પૂર્ણકાલીન વ્યક્તિની નિમણુંક નહિ થાય ત્યાં સુધી સરકાર દ્વારા પદમાનિત કોઈ વ્યક્તિ આ થોડા સમય સુધી આ હોદ્દો શોભાવશે. સરકારે નવા ગવર્નરની શોધ માટેની કમિટીની રચના કરી દીધી છે અને આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર કમિટી સમક્ષ તેમની દાવેદારી રજુ કરી શકે છે હાલના તબક્કે જે ચાર મહાનુભાવો આ રેસમાં આગળ ચાલી રહ્યા…
મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક કે બે સીટનું અંતર જ રહ્યું છે છતાં ભાજપ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે છે. ભાજપની 110 અને કોંગ્રેસની 109 સીટ પર સરસાઈ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે ત્યારે એવું લાગે છે કે મધ્યપ્રદેશમાં ભાજપ કે કોંગ્રેસ એમ બન્નેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતિ મળશે નહી તો દડો સીધો રાજ્યપાલ આનંદીબેન પટેલના હાથમાં આવીને પડ્યો છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને 49 સીટનો ફાયદો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ હાલ 109 સીટ પર આગળ છે જ્યારે ભાજપ 110 સીટ પર આગળ હોવાના ટ્રેન્ડ મળી રહ્યા છે. આવા સંજોગોમાં ભાજપને સરકાર બનાવવા માટે 116ના આંકડા માટે અન્ય પક્ષો…