કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર—કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ભલભલી મોટી કંપનીઓનો સોંથ વળી ગયો છે. કંપનીનો બિઝનેસ ખતમ થઇ ચૂક્યો છે તેવામાં પવન સાથે સઢ બદલતી કંપનીના સંચાલકોએ રસ્તા બદલી નાંખ્યા છે. નવો ધંધો વિકસાવ્યો છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.અમદાવાદમાં એવા કેટલાય ઉદાહરણ છે કે જેઓ શું વેચતા હતા અને હવે શું વેચી રહ્યાં છે. જે કંપનીઓ શેનું ઉત્પાદન કરતી હતી અને હવે શેનું ઉત્પાદન કરી રહી છે. કોરોના સંક્રમણે બિઝનેસની દુનિયા બદલી નાંખી છે. જેમાં ટપ્પો પણ પડે નહીં તેવો ધંધો અપનાવવાનું શરૂ કર્યું છે, આ કંપનીઓ જરૂર પડે તો એવા લોકોની ભરતી કરે છે કે જેઓ તે…

Read More

ગાંધીનગર — કોરોના રિલેટેડ બિઝનેસની અત્યારે બોલબાલા છે. આરોગ્યને લગતા ઉત્પાદનો અત્યારે બજારમાં ધૂમ મચાવે છે. રેડીમેડ કપડાંનું બજાર ઠંડુ છે ત્યારે એક કંપનીએ કોરોના પ્રુફ કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે. ટેક્સટાઇલથી લઈને રિટેલ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણી અરવિંદ લિમિટેડે તેની બ્રાન્ડ “ઇન્ટેલિફેબ્રિક્સ” અંતર્ગત ભારતમાં પહેલી વાર એન્ટિ-વાયરલ ટેક્સટાઇલ ટેકનોલોજી લોંચ કરવાની જાહેરાત કરી હતી. અરવિંદે આ પરિવર્તનકારક એન્ટિ-વાયરસ ટેકનોલોજી ભારતમાં પ્રસ્તુત કરવા માટે તાઇવાનની સ્પેશિયાલ્ટી કેમિકલ અગ્રણી મેસર્સ જિન્ટેક્સ કોર્પોરેશન સાથે સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેશન લીડર HeiQ મટિરિયલ્સ AG સાથે જોડાણ કર્યું છે. સંશોધન દર્શાવે છે કે, વાયરસ અને બેક્ટેરિયા બે દિવસ સુધી ટેક્સટાઇલની સપાટી પર એક્ટિવ રહે છે. HeiQ વાયરોબ્લોક…

Read More

ગાંધીનગર – અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ બન્ને હોસ્પિટલોએ એપેડેમિક એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એએમસી સાથે એમઓયુ કર્યો હોવા છતાં આ બન્ને હોસ્પિટલોએ દર્દી પાસેથી ચાર્જ વસૂલ કર્યો હતો. જે હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે તેમાં આંબાવાડીની અર્થમ અને પાલડીની બોડીલાઇનનો સમાવેશ થાય છે. કોર્પોરેશન સાથે એમઓયુ કર્યા પથી પણ કરાર અનુસાર કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર નહીં આપનારી આ બે હોસ્પિટલોને પ્રત્યેકને પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બન્ને ખાનગી હોસ્પિટલોના સંચાલકોને સાત દિવસમાં દંડ ભરવા કહેવામાં આવ્યું છે. પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન…

Read More

લોકડાઉન પહેલા વલસાડ શહેર છોડીને બહાર ગયા બાદ આજે વલસાડ આવ્યો છું ત્યારે મને એમ હતું કે કોરોના વાઇરસ થી લોકોને એટલો ડર હતો કે મને એમ થયું કે હવે બધા તોડ કરતા સુધારી ગયા હશે. પરંતુ વલસાડમાં તો લોકો એવા તે એવા જ . લોકોડાઉન માં પણ ભીલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતી ગાડીઓને ૨ હજારથી પાંચ,દશ હજાર રૂપિયા લઇ વગર ચેકીંગે જવા દેતા ? પછી હાલે વાપીમાં એક કોન્સ્ટેબલે નવી મારુતિની બે બ્રિઝા કાર ઉતારી ? હવે એ બે કારમાં શું કરહે તે જોવાનું રહ્યું ? ગુજરાત રાજ્યમાં દારૂબંધી અને વલસાડ જિલ્લાની બોર્ડરો ત્રણ વિભાગ કે જ્યાં બિલકુલ છૂટથી…

Read More

ગાંધીનગર: કોરોના સંક્રમના કારણે ભારત સરકારે 25મી માર્ચે લોકડાઉન શરૂ કર્યા પછી દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતના શહેરો તેમજ નદીઓના પ્રદૂષણની માત્રામાં ચોંકાવનારો ઘટાડો થયો હતો પરંતુ હવે અનલોક-1નો અમલ શરૂ થતાં ફરીથી પ્રદૂષણની માત્રા ધીમે ધીમે વધી રહી છે. હવામાં તરતા રજકણોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. રાજ્યના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે રાજ્યના શહેરોમાં લોકડાઉનના કારણે હવામાં પ્રદૂષણની માત્રા 50 થી 60 ટકા ઘટી હતી. એપ્રિલ મહિનામાં બોર્ડે કરેલા અભ્યાસમાં હવામાં તરતાં રજકણો, એસઓ-ટુ અને એનઓટુના પ્રમાણમાં ચોંકાવનારો ઘટાડો થયો હતો.રાજ્યના ઔદ્યોગિક વિસ્તાર અમદાવાદ-વટવા, અંકલેશ્વર, વાપી સહિત અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઘટતા હવાની ગુણવતા સુધરી હતી.…

Read More

ગાંધીનગર – અમદાવાદની કોવિડ હોસ્પિટલના દર્દીઓને અન્ય જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આમ થવાનું કારણ શું છે તે ચોંકાવનારૂં છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં તમામ બેડ ભરચક બની ગયા છે. નવા દર્દીને દાખલ કરી શકાય તેમ નથી તેથી તેમને બીજા જિલ્લામાં મોકલવામાં આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં તકલીફ પડી રહી છે. અમદાવાદ સિવિલમાંથી હવે દર્દીઓને ગાંધીનગરની સિવિલમાં મોકલવામાં આવી રહ્યાં છે. અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી 14 દર્દીઓને વડોદરા, 12 દર્દીઓને રાજકોટ તેમજ 7 દર્દીઓને જૂનાગઢ લઇ જવામાં આવ્યા છે. >સિવિલના ઓર્થોપેડિક સર્જન ડો. કનુ પટેલ કહે છે કે સિવિલમાં બેડ…

Read More

ગાંધીનગર – અમદાવાદ, સુરત અને વડોદરાને બાદ કરતાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ કેસોની સંખ્યા 20574 થઇ છે જે પૈકી એકલા અમદાવાદમાં 14631 પોઝિટીવ કેસો સામે આવેલા છે. ગુજરાતમાં પ્રતિદિન 450 થી 490ના આંકડામાં કેસો વધતા જાય છે જે પૈકી અમદાવાદના કેસોની સંખ્યા 350ની આસપાસ જોવા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.56 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 2.10 લાખ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો નથી તેથી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. ગુજરાતમાં…

Read More

ગાંધીનગર—દેવાંમાં ડૂબેલી આઇએલ એન્ડ એફએસ કંપનીએ કહ્યું છે કે તેણે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક (ગિફ્ટ સિટી)માં તેનો 50 ટકા હિસ્સો ગુજરાત સરકારને વેચ્યો છે. આ હિસ્સાનું વેચાણ કંપનીએ 32.71 કરોડ રૂપિયામાં કર્યું છે. કંપનીએ કહ્યું છે કે ગિફ્ટ સિટીનો તેનો હિસ્સો વેચવાથી આ રકમ કંપનીનું 1230 કરોડનું દેવું ઘટાડવામાં મદદરૂપ થશે. આ જૂથનું વર્તમાન બાકી દેવું અંદાજે 94000 કરોડ રૂપિયા છે.આઇએલ એન્ડ એફએસને વેચાણના વિચારણા મુજબ શેરના ઇક્વિટી મૂલ્ય રૂપે 32.71 કરોડ પ્રાપ્ત થયા છે. આ કંપનીના ગિફ્ટ સિટીના હિસ્સાના વેચાણને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા ગયા મહિને મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર વતી ગિફ્ટ સિટીનો હિસ્સો ગુજરાત…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં સિંહોની સચ્ચાઇ એવી છે કે કોંગ્રેસના રાજકીય સિંહો ખતમ થઇ રહ્યાં છે જ્યારે જંગલના સિંહો વધી રહ્યાં છે. કોંગ્રેસમાં એક સમયે છ સિંહો હતા પરંતુ ધીમે ધીમે તે સિંહો પાર્ટીમાંથી ઓછા થતાં ગયા છે. જો કે સાસણ ગીરમાં સિંહોની સંખ્યા પ્રતિવર્ષ વધતી રહી છે. આજે ગીરના જંગલના સિંહોની સંખ્યા 700ના આંકડાને ટચ કરી રહી છે. કોંગ્રેસમાં એક સમયે માધવસિંહ, અમરસિંહ, મનોહરસિંહ, ઉદેસિંહ, ભરતસિંહ, શક્તિસિંહનો જમાનો હતો. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે આ સિંહો સપાટી પર ટોચપર આવ્યા હતા. રાજ્યમાં રાજપાની સરકાર પછી કોંગ્રેસમાં વધુ એક શંકરસિંહની એન્ટ્રી થઇ હતી. કોંગ્રેસમાં સાત સિંહોનું સામ્રાજ્ય જોવા મળતું હતું…

Read More

ગાંધીનગર – કોરોના સંક્રમણ સમયે દિન-રાત જોયા વિના દર્દીઓને બચાવવાનું કામ કરતાં આરોગ્ય કર્મચારીઓને બીજા કર્મચારીઓના પગાર ઘટાડીને વધારે પગાર આપવો જોઇએ તેની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. જો આમ થયું તો મેડીકલ ક્ષેત્રમાં કામ કરતાં સ્ટાફની એફિસિયન્સી પર મોટી અસર થવાની દહેશત છે. અમદાવાદની આધુનિક એસવીપી હોલ્પિટલમાં કોરોના સામે લડતા ડોક્ટરો તેમજ નર્સ સહિતનો સ્ટાફ પોતાના જીવના જોખમે પરિવારજનોથી દૂર રહીને દર્દીઓની સેવા કરી રહ્યો છે ત્યારે તેમને યોગ્ય મહેનતાણું આપવાની જગ્યાએ તેમના પગારમાં કાપ મૂકવાની અને નોકરીમાંથી દૂર કરવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એએમસીએ નોટીસ આપી 20 ટકા પગાર…

Read More