ગાંધીનગર- કેન્દ્રના નિર્ણય પ્રમાણે 20મી એપ્રિલે રાજ્યમાં કેટલાક એકમો શરૂ કરવાનો નિર્ણયકરવામાં આવ્યો છે. જો કે સાથે એવી ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનો ભંગ થશે તોછૂટ પાછી ખેંચી લેવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વ પૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાંઆવ્યો છે કે રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવાર થી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકાહદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારો ને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થાઅને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિ ના સતત નિરીક્ષણબાદ રાજ્ય…
કવિ: Margi Desai
ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 66 લાખ પરિવારોના બેન્ક ખાતામાં 1000 રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. આ રૂપિયા ગરીબ અને શ્રમજીવી પરિવારોને મળશે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં 66 લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર 20મી એપ્રિલથી રાજ્ય સરકાર 1000ની રકમ જમા કરાવશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન મળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવી આવા 66 લાખ NFSA કાર્ડધારકોના…
ગાંધીનગર ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે ત્યારે મોડે મોડે ગુજરાત સરકારે પ્લાઝમા થેરાપીનો અમલ કરવાનો શરૂ કર્યો છે. આ અગાઉ દેશમાં કેરાલા અને મહારાષ્ટ્ર સરકારે તેનો અમલ શરૂ કર્યો હતો અને ઇચ્છિત પરિણામ મળ્યા હતા. આ થેરાપીના પ્રયોગથી અમેરિકામાં પણ દર્દીઓ સાજા થયાં છે. ગુજરાતમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ ઉપર પહેલો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી સામે લડાઇમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો અને ડોક્ટરો ઉપાય શોધી રહ્યાં છે. કોરોના વાયરસગ્રસ્ત વ્યક્તિની સારવાર માટે ભારતમાં આઇસીએમઆર એ પ્લાઝમા થેરાપી શરૂ કરવાની મંજૂરી આપી છે. સારવાર માટેની આ જાણીતી પદ્ધતિમાં નવા દર્દીઓના રક્તમાં ઠીક થયેલા દર્દીઓનું રક્ત મેળવીને તેમનામાં…
ગાંધીનગર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની રિસર્ચર ટીમ દ્વારા એક એવું માસ્ક બનાવવામાં આવ્યું છે કે જે કોરોના સંક્રમણના સમયે બિનજોખમી છે. યુનિવર્સિટીની ટીમે 3-ડી પ્રિન્ટેડ માસ્ક બનાવ્યા છે જે લોકડાઉનના સમયમાં પોલીસને વિતરિત કરવામાં આવ્યા છે. આ માસ્કમાં એવી ડિઝાઇન છે કે જેના દ્વારા પહેરવામાં કોઇ તકલીફ પડતી નથી. મહત્વની બાબત એવી છે કે કોઇ પણ પ્રકારના હ્યુમન કોન્ટેક વગર બનાવેલા આ માસ્ક લાઈટ વેઈટ, અનુકૂળ ડિઝાઈન અને સમગ્ર ચહેરાને રક્ષણ આપતા હોવાથી મોટા પ્રમાણમાં ઉપયોગી થઈ શકે છે. લોકડાઉનના સમયે સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને મેડીકલ ટીમ દર્દીઓ અને લોકોની સાથે ખડેપગે છે ત્યારે તેમની સલામતી જળવાય તે પણ…
ગાંધીનગર ગુજરાતમાં ચલણી નોટોનું ચલણ વધી રહ્યું છે. વેપારીઓ ચલણી નોટો જ આગ્રહ રાખે છે જે તેના માટે અને ગ્રાહક માટે અત્યંત જોખમી છે. ઓનલાઇન પેમેન્ટ કરવાનો ભારતીય રીઝર્વે બેન્કનો આદેશ ગુજરાતના વેપારીઓ માનતા નથી. તેઓ દલીલમાં એવું કહે છે કે અમારા જથ્થાબંધ ડીલરો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારતા નથી તેથી અમને ચીજવસ્તુ મળતી નથી. ભારતમાં ઇ-પેમેન્ટનો જમાનો છે. શાકભાજીવાળા પણ હવે તો ઓનલાઇન પેમેન્ટ સ્વિકારી રહ્યાં છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો માનવા તૈયાર નથી. દેશમા મોલ કલ્ચર અને ઓનલાઇન પેમેન્ટનો યુગ શરૂ થયો છે પરંતુ કરિયાણાની દુકાનોના સંચાલકો આટલી મોટી ઠોકર વાગવા છતાં સુધરવા તૈયાર નથી. પ્રત્યેક માર્કેટમાં કરિયાણાની દુકાનો પર…
ગાંધીનગર ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સંસદસભ્યો તેમજ ધારાસભ્યોને લોકડાઉનનો કડક અમલ કરાવવાની જવાબદારી સોંપી છે. આ સાથે કોરોના શંકાસ્પદ વ્યક્તિના આરોગ્ય પરિક્ષણ માટે સતર્કતા દાખવવાની સૂચના આપી છે. રૂપાણીએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના સાંસદો તેમજ ધારાસભ્યો સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિને ટેસ્ટ કરાવવા માટેની પ્રેરણા આપવાનું કામ જનતાના પ્રતિનિધિઓનું છે. રૂપાણીએ મુખ્યસચિવ અનિલ મુકિમ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે પણ વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે લોકડાઉનનો સમયગાળો 3જી…
ગાંધીનગર — ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રત્યેક નાગરિકને કોરોના વાયરસની સારવારનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સારવાર તમામને વિનામૂલ્યે આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19ની સારવાર માટે રાજ્યમાં મહાનગરોમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે. રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-19 અંતર્ગત ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે સેવાઓ આપી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડની સારવારનો લાભ આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે…
ગાંધીનગર.કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ્ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી 14 દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને ઓરેન્જ ઝોન ગણવામાં આવશે અને તેના પછી તેને ગ્રીન ઝોન તરફ લઈ જવા પ્રયાસ કરાશે. આ જ રીતે 28 દિવસ સુધી કોઈ કેસ ન નોંધાય તો રોગચાળાને સફળ રીતે ડામી દેવાયો કહેવાશે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને ગુજરાતના મુખ્ય સચિવને જણાવ્યું છે કે કેસના રિપોર્ટના…
ગાંધીનગર – ગુજરાત સરકારના આયુષ નિયામકે બહાર પાડેલી માર્ગદર્શિકા શું કહે છે એ જાણો. સામાન્ય પગલાં-1. દિવસભર ગરમ પાણી પીવું.2. આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે)3. હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો4. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-5. સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)6. હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો7. દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય8. ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં…
ગાંધીનગર:કોરોના સંક્રમણના કેસો વધતાં અમદાવાદની જેમ સુરતમાં કરફ્યુ નાંખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહ વિભાગના એસીએસ સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે 16ની મધરાતથી 22મી એપ્રિલના સવારે છ વાગ્યા સુધી સુરત શહેરના…