આસામઃ સામાન્ય રીતે ભુત પ્રેત ભગાડવા માટે જાદુટોળા કરવામાં આવતા હોય તો ક્યારે કે લોકોને ડરાવવા ધમકાવવા માટે પણ કાળી વિદ્યાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ ભારતમાં આસામ રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં કાળી વિદ્યાના ગામ તરીકે જ ઓળખાય છે. ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન પશુ પાલન કે ખેતી હોય છે. પરંતુ આસામના આ ગામની રોજગારીનું મુખ્ય સાધન જાદુ ટોણાં જ છે. આસામ રાજ્યનું માયોંગ ગામનો દરેક વ્યક્તિ જાદૂટોળાના વ્યવસાય કરે છે. ગૌહાટીથી 40કીમી દૂર આવેલા માયોગમાં 100થી પણ વધુ જાદૂગરો રહે છે.
આ ગામના જાદૂગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા પણ જાણે છે.સ્થાનિક જાણકારો આજે પણ માને છે કે તેઓ હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે.એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે.
આસામના આ રહસ્યમયી માયોંગ ગામના લોકો આજકાલથી નહી સદીઓથી જાદૂ ટોણાની વિધામાં પારંગત હોવાનું માનવામાં આવે છે.ગામના લોકો પેઢી દર પેઢી જાદૂઇ વિધાનું જ્ઞાન આપતા હોવાથી આ કળા જીવંત રહી છે.
પ્રાચિન જમાનામાં રાજવીઓ માયાવી યુદ્ધથી દુશ્મનને પરાસ્ત કરવાની વિધા શીખવા આ ગામમાં આવતા હતા.ગામમાં રહેતા મેલી વિધાના જાણકારો માને છે કે શબ્દોના પ્રભાવથી જ શકિત ઉભી થાય છે. લુકી મંત્ર,ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે. આ જાદુગરો ગૌહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે. અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશ ભરમાંથી અનેક તાંત્રિકો ભાગ લે છે.
પબિત્રા સેન્ચ્યુરી પાર્ક નજીક આવેલા માયોંગ ગામની કેટલાક પ્રવાસીઓ કુતુહલ ખાતર મુલાકાત લે છે. ઇસ 2002માં જાદૂ ટોણાની પરંપરા સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓનું નિદર્શન અને માહિતી આપતું મ્યૂઝિયમ ખોલવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમમાં જાદુ કળાની અનેક ઐતિહાસિક યાદો જોડાયેલી છે. જાદૂના રસિયાઓ જૂના પ્રાચિન પુસ્તકો તથા કાળા જાદૂને લગતી સામગ્રીની શોધમાં આવે છે. માયોંગમાં આવેલા ૪ મીટર લાંબા ખડક પર કશુંક કોતરેલું છે જે આજ સુધી કોઇ ઉકેલી શકયું નથી.