ચેન્નાઈ તા.6 : વી. કે. શશીકલા એક પણ ચૂંટણી લડ્યા વિના તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હાલના સીએમ પન્નીરસેલ્વમ પણ રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. પરંતુ તેમની માટે સીએમ પેડ મેળવવું લગભગ જોઈએ તે પ્રમાણ માં સહેલું લાગતું નથી શશીકલા અને જયલલિતા પર કેટલાક સમય પેહલા થી ભ્રસ્ટાચાર નો આરોપ છે અને તેના પર કોર્ટ આવતા અઠવાડિયે ફેંસલો સંભળાવે તેમ છે.
એઆઈડીએમકે ની ગઈ કાલે મળેલી બેઠક માં જયલલિતા ના સહુથી નજીક ના સાથી એવા શશીકલા ને મુખ્યમંત્રી પદ ની કમાન સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેની સાથે જ હાલ ના મુખ્યમંત્રી પદ પરથી પન્નીરસેલ્વમએ પણ રાજીનામું આપ્યું છે જેના પછી શશીકલા ની બધી જ મુશ્કેલી અંત આવતો હોય તેમ દેખાઈ રહ્યું છે,પરંતુ તેમના પર હજુ સુધી ભ્રસ્ટાચાર નો આરોપ સમાપ્ત નથી થયો,સાલ 2014 માં શશીકલા અને જયલલિતા પર ભ્રસ્ટાચાર નો આરોપ લાગવામાં આવ્યો હતો અને તેની સાથે બંગલુરુ ની એક જેલ માં ધકેલવા માં આવ્યા હતા.
જેમાં જયલલિતા પર આરોપ હતો કે તેમની મિલકત આવક કરતા ઘણી વધારે છે.સાથે જ તેમની ઘરવખરી અને સોનુ પણ આવક કરતા વધુ પ્રમાણ માં બહાર મળી આવ્યું હતું.જેના પછી કોર્ટ દ્વારા તેમને થોડા સમય ની પૂછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા હતા.જયારે આજે કર્ણાટક ની કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવું છે કે આ કેસ પર ચુકાદો આવતા અઠવાડિયે આપવામાં આવશે.
જયારે શશીકલા અત્યાર સુધી માં કોઈ પણ ચૂંટણી માં જોવા નથી મળ્યા અને નાતો તેમને કોઈ પણ જગ્યા પર ઉમ્મેદવારી નોંધાઈ છે ત્યારે તેમને સીધા મુખ્યમંત્રી પદ સોંપવાના કારણે પાર્ટી ના લોકો ને કેટલીક તરફ થી નિંદા નો પણ સામનો કરવો પડી રહ્યો છે.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.