ગોવા તા.30 : કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ ગોવામાં પ્રચાર રેલી નું આયોજન કર્યું હતું અને સભા સંબોધી હતી.થોડા સમય માં દેશ ના 5 રાજ્યો માં ચૂંટણી યોજાનારી છે ત્યારે અલગભાગ દરેક પાર્ટી પોતાની કમર કશી ને ચૂંટણી ક્ષેત્ર ના મેદાન માં ઉતરી ગઈ છે અને એક બીજા પર દરરોજ આકરા પ્રહારો સાધી રહ્યા છે.એક તરફ સમગ્ર દેશ ની નજર ઉત્તરપ્રદેશ ની ચૂંટણી પર છે ત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ના ગઠબંધન થી અન્ય રાજકીય પક્ષ ની પાર્ટી ના પેટ માં તેલ રેડાયું છે.
આજે યોજેલી રેલી માં રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી પર મન મૂકી ને પ્રહારો કર્યા હતા જેમાં તેમને જણાવ્યું હતું કે ” ગોવા ને રિમોટ કંટ્રોલ દ્વારા દિલ્લી થી ચલાવવા માં આવે છે તેમજ અમારી પાર્ટી નથી માંગતી કે તમને તાનાશાહી વાળી સરકાર મળે અને ગોવા ની પ્રજા જે કઈ પણ ઈચ્છે છે તે તેમને અમારી પાર્ટી ના નેજા હેઠળ મળી જશે “
તેમને વધુ માં જણાવ્યું હતું કે ” પ્રધાનમંત્રી મન કી બાત કરે છે પરંતુ શું તેમને લોકો ને પૂછ્યું કે તેમના મન ની વાત શું છે અમારી પાર્ટી સંપૂર્ણ રીતે ગોવા માંથી ભ્રસ્ટાચાર ને દૂર કરશે સમગ્ર ગોવા ને ખબર છે કે પ્રધાનમંત્રી માત્ર જૂઠું બોલે છે અને તે ઘણી સારી રીતે વાત કરી લે છે તેમને જણાવ્યું હતું કે તે સમગ્ર ગોવા માંથી ભ્રસ્ટાચાર ને દૂર કરી દેશે પરંતુ ગોવા ને ખબર છે કે તે માત્ર ખોટું બોલી રહ્યા છે”


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.