વાગરા તાલુકા ની ત્રાંકલ નહેર વારંવાર તૂટી જવાના કારણે ૨૫૦ થી ૩૦૦ એકર જમીનો માં પાણી ભરાતા પાકો ને નુકશાન થતા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરાઈ હતી…..
ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ઓચ્છળ અને કેશવણ ગામ વચ્ચે આવેલી ત્રાંકલ નહેર અવાર નવાર તૂટી જવાથી ૨૫૦ થી ૩૦૦ એકર જમીનોમાં પાણી ભરાય જવા ના બનાવો બને છે જેના કારણે ખેડૂતો ને ભારે નુકશાની વેઠવા નો વાળો આવ્યો છે ……
આજ રોજ મોટી સંખ્યા માં નહેર તૂટવા ના કારણે મુશ્કીલો વેઠી રહેલા અસર ગ્રસ્ત ખેડૂતો જીલ્લા સમહર્તા ને રજુઆત કરવા માટે આવી પહોંચ્યા હતા….
ખેડૂતો એ જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરી હતી કે છેલ્લા બે વર્ષ થી નહેર માં પાણી આવતું થયું છે અને એમાં પણ આ પ્રકાર ના વચ્ચે વચ્ચે ગાબડાં પડી જવાથી ભારે નુકશાન વેઠવું પડે છે જેના કારણે ઉભા પાક ને પણ નુકશાન થાય છે એટલે વહેલા માં વહેલી ટકે આ નહેર નું યોગ્ય સ્માર કામ કરાવી ખેડૂતો ને વળતર આપવા માં આવે તે માટે ની માંગ આવેદન પત્ર માં કરી હતી


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.