અમદાવાદ, 19 ઓગસ્ટ 2024
Gujarat: અમદાવાદના માંડલ તાલુકાના નાના ઉભાડા ગામના રહેવાસી અને નિવૃત્ત શિક્ષક એવા દયાળજી બેચરભાઈ પટેલે પાંચ વર્ષે પહેલા પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.
Gujarat 2019માં અમદાવાદ જિલ્લામાં સુભાષ પાલેકર દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. સફરજન, અંજીર, નારંગી તેમના ખેતરમાં પેદા થાય છે.
પાંચ વર્ષમાં રૂ. 20થી 25 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે.
પુત્ર મહેલુ મદદ કરે છે. પિતા-પુત્રની જોડી છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આર્થિક સમૃદ્ધિનાં દ્વારા ખોલી આપ્યા છે. આ વર્ષે દોઢ વીધામાં હળદરમાં આવક મેળવી છે. પ્રાકૃતિક ખેતી ખુશીનો માર્ગ તો ખોલે છે. રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માંગ હતી પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પ્રેરણામાંથી ગુજરાતના લોકો બહાર આવી રહ્યા છે.
1400 કિલો પાવડર તૈયાર કરી રૂ. 5 લાખની ચોખ્ખી કમાણી કરી છે. પ્રાકૃતિક ખેતીમાં 9થી 10 વીધા જમીનમાં વાર્ષિક રૂપિયા 7 લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે. દોઢથી બે લાખ જેવી આવક જામફળની આવક. અઢી લાખ જેવી આવક હળદર અને તુવેરમાં થઈ હતી. આ ઉપરાંત વરિયાળી, ચણા, મેથી અને આંબાના ઉત્પાદનમાં આવક થઈ હતી.
માવઠા અને વાવાઝોડામાં પ્રાકૃતિક ખેતીની થકી વરિયાળી ઢળી ન હતી.
આસપાસના ખેડૂતોએ રાસાયણિક ખાતરથી વરિયાળીની ખેતી કરી હતી તે બધી પડી ગઇ હતી.
રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવનાર દયાળજીભાઈ પટેલ કહે છે, જમીનની ફળદ્રુપતા વધે છે, કૃષિ ખર્ચ ઘટતાં અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે. ઓછું મળશે તો ચાલશે પણ બીજાને નુકસાન નથી કરવું. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
પ્રથમ વર્ષે તુવેરની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
ચોથા અને પાંચમા વર્ષે સારું પરિણામ મળ્યું. આ વર્ષે દોઢ લાખ જેવી આવક જામફળના ઉત્પાદન થકી થઇ હતી. પાંચ લાખ જેવી આવક હળદરમાંથી થઇ છે. વરિયાળી, ચણા, મેથીના ઉત્પાદન માંથી આવક થઇ હતી.
રાસાયણિક ખેતીમાં જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો અળસિયાં અને ઓર્ગેનિક કાર્બન ઓછો થાય છે જેના કારણે જમીન કઠણ થવાથી તેની પાણી શોષવાની ક્ષમતા ઘટી ગઇ છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધવા સાથે ખેતીમાં રોગનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ઓછો થાય છે. ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે. પાણીની જરૂરિયાત ઓછી થવા લાગી છે.
તેમની ખેતીની જમીનમાં જામફળ, સફરજન, અંજીર, આંબા, નારંગી, સિતાફળ, પપૈયા, લીંબુ તેમજ હળદર, તુવેર, વરિયાળી, ચણા, મેથી બધું એક સાથે કરે છે. એક પછી એક ઉત્પાદન ચાલુ રહે અને પાકની સિઝન પૂરી થતા સાથે જ બીજા પાકની સિઝન શરૂ થવાથી સતત આવક ચાલુ રહે છે.
પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે.
એક દેશી ગાયથી ગૌમૂત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ધન જીવામૃત, બીજામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર તેમજ દસ પર્ણી અર્ક અને ફૂગનાશક દેશી ગાયની છાશનો ઉપયોગ કરે છે.
ખેતરમાં રહેલા નિંદામણ કે કચરાને આચ્છાદન તરીકે ઉપયોગ કરે છે, જેથી જમીન પોચી અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધ્યું છે. એટલું નહીં, જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે. આમ, પ્રાકૃતિક ખેતી દ્વારા થતી ખેતપેદશોનું મૂલ્યવર્ધન કરી જાતે માર્કેટિંગ કરીને વેચાણ કરે છે.
મેહુલભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી થકી 9થી 10 વીધા જમીનમાં વાર્ષિક રૂપિયા 6 લાખનો ચોખ્ખો નફો મેળવે છે.