Gujarat: ધી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.,(ખેતી બેંક)ની ૭ર મી ર્વાષિક સાધારણ સભા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ (ગોતા), ગુજરાત રાજય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન, જીસીએમએમએફના ચેરમેન શામળભાઈ પટેલ, ગુજરાત હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન દેવરાજભાઈ ચીખલીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તમામ તાલુકાઓમાંથી ખેડુત પ્રતિનિધિઓ ઉપ સ્થત રહયા હતા.
બેંકની ર્વાષિક સાધારણ સભામાં ઉપ સ્થત ખેડુત પ્રતિનિધિઓને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવા ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપ સ્થત રહેલ. જેમાં મહામહિમ રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે ખુબ સારો પરિસંવાદ કરી રાજયની શાખાઓમાં પધારેલા ખેડુત ભાઈ-બહેનોને જૈવિક ખેતી અને રસાયણિક જંતુનાશક દવાથી થનાર નુકશાન અને પ્રાકૃતિક ખેતીથી થનાર ફાયદા વિશે ખુબ સારી માહિતી આપેલ. તેઓ દ્વારા લિખીત “પ્રાકૃતિક કૃષિ” વિશેનું પુસ્તક આજની સભામાં ઉપ સ્થત સર્વે પ્રતિનિધિઓને બેંક દ્વારા આપવામાં આવેલ.
બેંક દ્વારા રાજયના ખેડુતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે
તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ ખેડુતોને ઘેર બેઠા મળે તેવા આશયથી “કૃષિ વિચાર” માસિક મેગેઝીન પ્રસિધ્ધ કરવામાં આવે છે.
ગુજરાત રાજયના પ્રાકૃતિક કૃષિ થી પાક ઉત્પન્ન કરનાર પ્રગતિશીલ ૧૧ ખેડુતોનું પણ મહામહિમ રાજયપાલના હસ્તે અભિવાદન કરવામાં આવેલ અને તેઓનું સન્માન કરવામાં આવેલ.
બેંકના સભાસદો અને થાપણદારોને ઘેર બેઠા બેંકની સેવાઓની સુવિધા મળી શકે તે માટે બેંકે ડીજીટલ કામગીરીને વેગ આપવા ટેબ્લેટ બેંકીંગ મારફત ડોર સ્ટેપ સર્વિસનું લોન્ચીંગ આજની સામાન્ય સભામાં મહામહિમ રાજયપાલશ્રીના વરદ્ હસ્તે કરવામાં આવેલ.
બેંકના ખાતેદારશ્રીઓને સરળતાથી બેંક સાથે જાેડવા માટે કોલ સેન્ટરની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ સુવિધા શરૂ કરવાથી ખેડુત ખાતેદારશ્રીઓ શાખા / કચેરીમાં એફ.ડી.ના વ્યાજ દર જાણી શકશે, લોનના હેતુઓ તથા વ્યાજ દરની માહિતી લઈ શકશે, લોન ભરવા માટેના હપ્તાની માહિતી મેળવી શકશે તથા લોન લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડતી હોય તો બેંકની હેડ ઓફીસે મોબાઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.
બેંકના ચેરમેન ડોલરભાઈએ બેંકની વર્ષ ઃ ર૦ર૩-ર૪ના નાણાંકીય વર્ષની કામગીરીનો ચિતાર રજુ કરેલ અને જણાવેલ કે બેંકે કુલ રૂા.૬૪ કરોડનો ચોખ્ખો નફો કરી અત્યાર સુધીનો સૌથી વધુ નફો કરી ઐતિહાસિક કામગીરી કરેલ છે અને સતત બીજી વાર બેંકે નેટ એન.પી.એ. ૦ % ની સિ ધ્ધ હાંસલ કરેલ છે. જે બેંક માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
બેંકની તમામ ૧૭૭ શાખાઓ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયેલ છે.
ખેડુતોના હિતની વાત કરતા ચેરમેનએ જણાવેલ કે ગત વર્ષે બેંકના ૩ લોન ખાતેદારોના અકસ્માતે અવસાન થતા તેઓને મહામહિમ રાજયપાલશ્રીના વરદ્ હસ્તે બેંકની સભાસદ અકસ્માત વીમા યોજનાના ચેક અર્પણ કરવામાં આવેલ.
બેંકના ચેરમેન ડોલરભાઈએ બેંકની ર્વાષિક સાધારણ સભામાં ઉપ સ્થત રહેવા બદલ રાજયના મહામહિમ રાજયપાલ આદરણિયશ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજયના સહકારી અગ્રણીઓ તથા બેંકની રાજયભરમાં આવેલ શાખાઓમાંથી પધારેલ પ્રતિનિધિઓ, સભ્યઓ અને બેંકના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માની કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ સૌનો આભાર વ્યકત કરેલ.