મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચેનો સબંધ ત્યાં સુધી પહોંચી ગયો છે કે બંનેએ એક ઘર લીધું છે. કહેવામાં આવે છે કે મલાઇકા અને અર્જુન આવતા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તો બંનેએ નવું ઘર સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈનાં લોખંડવાલા કૉમ્પલેક્સની પાસે છે.
મલાઇકા અને અર્જુન આ ઘરમાં રહેશે કે નહીં તેની જાણકારી મળશે નહીં. એટલું જરૂર છે કે અર્જુને ‘કૉફી વિથ કરણ સીઝન-6’માં રીલેશન સ્ટેટ્સ પર એવો જવાબ આપ્યો જેમનાં અફેરની ખબરો ક્યાંકને ક્યાંક સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે કરણ જોહરનાં રીયાલિટી શૉમાં પહોંચ્યો હતો. શૉ દરમિયાન કરણ જોહરે પુછ્યું, “શું તમે સિંગલ છો?” જવાબમાં અર્જુન કપૂરે કહ્યું કે, “ના, હું હવે સિંગલ નથી.” ઉલ્લેખનીય છે કે માલઇકા અરોરા અને અર્જુન એકબીજા સાથે જોવા મળતા હોય છે.
હાલમાં જ મલાઇકા અને અર્જુન કપૂર ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂરે પોતાનુ મોઢું માસ્કથી ઢાંકી દીધું હતુ. ફિલ્મની વાત કરીએ તો અર્જુન કપૂર ‘ઇન્ડિયાઝ મૉસ્ટ વૉન્ટેડ’ અને ‘પાનીપત’ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે.