કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં વધારાની માંગ વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળે આંગણવાડી અને આશાવર્કર કર્મચારીઓના પગારમાં વધારાની મંજુરી આપી દીધી છે, જે આગામી માસથી અમલમાં લેવાશે. આંગણવાડી કર્મચારીઓને પગારમાં રૂ. ૩,૦૦૦ મળતા હતા જે હવેથી રૂ. ૪,૫૦૦ પ્રતિ માસ મળશે. આ જ રીતે લઘુ-આંગણવાડી કેન્દ્ર કર્મચારીઓને રૂ. ૨,૨૦૦ને બદલે રૂ. ૩,૫૦૦ મળશે. કેબિનેટે જણાવ્યું હતું કે, આંગણવાડી સહાયકોનો પગાર ૧,૫૦૦ રૂપિયાથી વધારીને ૨,૨૫૦ રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યો છે. આઈસીડીએસ-સીએએસ જેવી ટેક્નિકનો ઉપયોગ કરવાવાળા આંગણવાડી કર્મચારીઓ અને સહાયકોને ૨૫૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા સુધી વધારાના કામ માટે પ્રોત્સાહન રકમ મળશે. સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પ્રોત્સાહન રકમ ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૨૦૦૦ રૂપિયા દર મહિને આપવા મંજુરીઆપી દીધી છે. પીએમ મોદીએ ૧૧ સપ્ટેમ્બરે આંગણવાડી અને આશાવર્કર મહિલાઓના માસિક પગાર વધારવાની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કર્મચારીઓએ પગાર વધારાની માંગ કરી છે જે ૧૮,૦૦૦ રૂપિયાથી વધારી ૨૬,૦૦૦ રૂપિયા કરવા માંગ છે. આ અંતર્ગત પ્રદર્શનો પણ યોજાયા છે. એમની માંગણી છે કે, લઘુત્તમ ભથ્થાને વધારી દેવામાં આવે, નવી નવી યોગદાનવાળી પેન્શન યોજનાને રદ કરવામાં આવે અને પેન્શન ફીટમેન્ટ ફોર્મુલામાંઓપ્શન ૧ને મંજુરી આપવામાં આવે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.