તમે દુકાન, ઘર અથવા ઓફીસના મુખ્ય દ્વાર પર લીંબુ – મરચા ટીંગાતા જોયા હશે. સામાન્ય ભાષામાં એને ટુચકો કહે છેે. લોકો એવું માને છે કે તેનાથી નજર નથી લાગતી. ખૈર, એ તો જે પણ હોય, અહીંઆ મોટી વાત એ છે કે આ ટુચકાનો વાર્ષિક ધંધો ૩૬૦૦૦ કરોડથી પણ વધારે છે. આ ધંધાએ લગભગ ૫૭ લાખ લોકોને રોજગાર પણ આપ્યો છે. આવા એક ટુચકાની કિંમત લગભગ ૫ થી ૧૦ રૂપિયા હોય છે. જો ધંધો બરાબર ચાલતો હોય તો દુકાનદાર અથવા ઓફિસ માલીક રોજ લીંબુ – મરચાનો ઉપયોગ કરે છે. જેનો ધંધો નાનો-મોટો છે તે શનિવાર અથવા મંગળવારે આ ટુચકો મંગાવે છે. મુખ્ય વાત એ છે કે આ ટુચકાનો ઉપયોગ ઘણી સરકારી – બિન સરકારી સંસ્થાઓ, બેંક, હોસ્પિટલ, દુકાન, મોલ, શોરૂમ, રેકડીવાળા બધા લોકો કરે છે. આ બાબતે બધાનો જવાબ એક જ છે કે તેનાથી ખરાબ નજરથી બચી શકાય છે. એક ટુચકાની કિંમત પાંચ થી દસ રૂપિયા હોય છે. મોટાભાગના શહેરોમાં તે ૧૦ રૂપિયામાં મળે છે. રેકડીવાળાઓ તે પાંચ રૂપિયામાં પણ મેળવી લે છે. પાંચ રૂપિયાવાળા ટુચકામાં લીંબુ થોડું સુકાયેલું હોય છે અને મરચા પણ નાના હોય છે. લીંબુ મોટુ અને મરચા ફુલ સાઇઝના હોય તો ૧૦ રૂપિયામાં મળે છે. દેશભરમાં લગભગ આઠ કરોડ વેપારી પ્રતિષ્ઠાન છે. આઠ કરોડ દુકાનો અથવા ઓફિસોમાં જો આ ટુચકો લાગે તો રોજનો ૮૦ કરોડનો ધંધો થઇ જાય. દેશમાં ચાર કરોડ રેકડી- ફેરીવાળા છે. એ લોકો પણ ટુચકો લેતા જ હોય છે. તેમાંથી પણ ૨૦ કરોડનો ધંધો થાય છે. સાથે જ આના લીધે ર લાખ ૬૬ હજાર લોકોને રોજગાર પણ મળે છે. ત્યાર પછી નંબર આવે છે ટ્રાંન્સપોર્ટ સેકટરનો ખાનગી બસ અને ટ્રકમાં આ ટુચકો રોજ લગાવાય છે. ખાસ કરીને ટ્રક સવારે જયાં પણ ઉભો હોય ટુચકો વેચવા વાળા ત્યાં પહોંચી જ જાય છે. લગભગ ૭૫ લાખ ટ્રકમાં તે દરરોજ લાગે છે, જેમાં ૭ કરોડનો ધંધો થાય છે અને સાથે જ ૧ લાખ ૪૦ હજાર લોકોને કામ મળે છે.જોવામાં આવ્યું છે કે આ ટુચકાનો ઉપયોગ લોકો કોઇપણ ધર્મ કે જાતિના હોય કરે જ છેે. કારણ કે જો કોઇ દુકાનદાર કોઇ કારણે એને ન માનતો હોય પણ આજુબાજુ વાળાને જોઇને તે પણ લીંબુ-મરચા મંગાવવાનું શરૂ કરી દે છે. પંડિત જય ગોવિંદ શાસ્ત્રીનું કહેવું છે કે આ ટુચકાનો શાસ્ત્રો કે પુરાણોમાં કયાંક ઉલ્લેખ નથી. એવું પણ કયાંક લખેલ નથી કે તેને કયા વારે લગાવવો જોઇએ અને કયા વારે ન લગાવાય. લોકો પોતાની સગવડ અને ઇચ્છાનુસાર તે બદલાવે છે. કેટલાક લોકો માને છે કે તેના લીધે જાદુ-ટોણાથી બચી જવાય છે જયારે કેટલાક લોકોનું માનવું છે કે તે ખરાબ નજરથી બચાવે છે. શાસ્ત્રી અનુસાર, તંત્ર વિદ્યામાં લીંબુને બલિ માનવામાં આવે છે. પૂજા દરમ્યાન જે સામગ્રી વપરાય છે તેમાં જાયફળ, લીંબુને જીવીત ગણવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે લીંબુનો ઉપયોગ મારણ તરીકે પણ કરાય છે. ખાસ વાત એ છે કે જો કોઇ લીંબુનો ઉપયોગ મારણ તરીકે કરે તો તેના બચાવમાં પણ લીંબુ જ કામ આવે છે. જના લીધે બન્ને બાજુ સમતોલ થઇ જાય છે. જેમ એક અસ્ત્રને બીજા અસ્ત્રથી રોકવામાં આવે છે તેમજ લીંબુ -મરચાનો પ્રયોગ થાય છે. મરચામાં તીખાશ હોય છે તે પણ કોઇ વ્યકિતને જાદુ-ટોણા અને ખરાબ નજરથી બચાવે છે. એવું પણ માનવામાં આવે છે કે લીંબુની ખટાશ અને મરચાની તીખાશ ખરાબ નજરવાળાની એકાગ્રતાનો ભંગ કરે છે. જેના લીધે તે વધારે સમય સુધી ઘર કે દુકાનને જોઇ નથી શકતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.