આપણે ક્યારેક એવા નિર્ણયો કરીએ છીએ કે, જે બાદમાં ખોટા સાબિત થાય છે. પરંતુ ભૂતકાળની ભૂલ પર પછતાવાથી શું થશે? હવે જયારે તમને તમારા ખોટા નીરણ્યની જાણ થઇ છે ત્યારે તેમાંથી શું બોધપાઠ લેવો જોઈએ તે જોવું રહ્યું. કદાચ તમે આઈપીઓમાં રોકાણ કર્યું છે અને હવે તે શેર ઓફર પ્રાઇસ કરતાં 95% નીચા ચાલી રહ્યા છે. તો તમે તમારી નાની કાર વેચીને મોટી કાર ખરીદી લીધી હોઈ શકે છે અને હવે તમને ઇએમઆઇનો બોજ ખૂંચી રહ્યો હોય. આવા દરેક નિર્ણયનો પાઠ એ છે કે આવા પગલાંનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ત્રીજું કાર્ય જવાબદારી લેવાનું છે તમારા મિત્ર હોઇ શકે છે કે જેમણે તમને કહ્યું કે આ આઈપીઓ તમને ધનવાન બનાવી શકે છે. કે પછી જીવનસાથીના કહેવા પર ખરીદ્યા હોય કે પછી વીમા એજન્ટ ગોલમાલ કરીને તમને ફસાવ્યા હોય.તમે તેનો દોષ તેમની પર નાખી શકો છો. પરંતુ દરેક બાબતો ચેક કરીને તમે જ હસ્તાક્ષર કર્યા હોય એટલે જવાબદારી લો. તે પછતાવામાંથી બહાર આવવાનું પ્રથમ પગલું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.