મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયના લોકો માટે નોકરી અને શિક્ષણમા અનામતની માંગ અંગે ચાલી રહેલ આંદોલન 4 દિવસ પહેલા સમાપ્ત થઈ ગયુ હતુ પરંતુ એક વાર ફરીથી સોમવારે આના માંગ અંગે પૂણેમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યુ અને લાખોની સંપત્તિને નુકશાન થયુ. પૂણેના ચાકણ અને ખેડમાં પ્રદર્શનકારીઓએ લગભગ 20 ગાડીઓને આગના હવાલે કરી દીધી અને 40 વાહનોને શ્રતિગ્રસ્ત કરી દીધા. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે જામ કરી દીધો. જ્યારે ભીડને નિયંત્રિત કરવા દરમિયાન ઝડપમાં 3 અધિકારીઓ સહિત 8 પોલિસકર્મી ઘાયલ થઈ ગયા. મરાઠા આંદોલનની આગમાં ભડકી રહ્યુ છે પૂણે, વાહનો આગના હવાલે
મરાઠા આરક્ષણની માંગ અંગે પૂણેમાં હિંસક પ્રદર્શન
ઔરંગાબાદમાં એક યુવક દ્વારા અનામતની માંગ માટે આત્મહત્યા કરાયા બાદથી જ આંદોલન હિંસક થઈ ગયુ હતુ અને આ દરમિયાન લાખોની સંપત્તિને નુકશાન પણ થયુ હતુ. બાદમાં મહારાષ્ટ્ર સરકારની કોશિશો બાદ મરાઠા સંગઠનોએ આંદોલન પાછુ ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ફરીથી એક વાર પૂણે ચાકણમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન બાદ કાયદો વ્યવસ્થા જાળવી રાખવી પોલિસ માટે પડકાર બની રહ્યો છે. મરાઠા સમાજ નોકરી અને શિક્ષણમાં 16 ટકા અનામતની માંગ કરી રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.