એર હોસ્ટેસની જેમ રેલવેનાં કેટરિંગ કર્મીઓ પણ હવે દરેક ટ્રેનમાં ભોજન પછી વધેલો કરચો એકત્રિત કરવામાં માટે યાત્રીઓ પાસે કચરો લેવા માટે આવશે. આ આદેશ રેલવે બોર્ડનાં અધ્યક્ષ અશ્વિન લોહાનીએ અધિકારીઓને આપ્યો છે. રેલવે યાત્રીઓને પણ હવે એર લાઇનલાઇન જેવી સુવિધા આપવા માટે ઝડપથી એરલાઇન મોડલ અપનાવવામાં આવશે જેમાં એરલાઇનનાં ભોજનથી લઇને વેકયૂમ ટોયલેટ જેવી જ સુવિધાઓ હવે રેલ્વેમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલ્વેના અધ્યક્ષ અશ્વિન લોહાનીએ જણાવ્યુ કે તાજેતરમાં અધિકારીઓ અને બોર્ડ સભ્યો સાથેની એક બેઠકમાં જણાવ્યું હતુ, કે ટ્રેનમાં સફાઈ જાળવી રાખવા માટે પેન્ટ્રી કર્મી યાત્રીઓને ભોજન પીરસ્યા બાદ કચરો એક થેલામાં ભેગો કરશે. એક અધિકારીએ કહ્યું, ‘યાત્રીઓ સામાન્ય રીતે ભોજન કર્યા પછી પ્લેટ પોતાની સીટનાં નીચે રાખે છે અને પેન્ટ્રી કર્મીઓ પ્લેટને એક ઉપર એક મુકીને લઇ જાય છે. કયારેક કયારેક પ્લેટમાં બચેલું જમવાનું સીટ પર પડી જાય છે. આ સિવાય યાત્રીઓ કેળાની છાલ, પેકેટ અને આવી અન્ય ચીજો સીટ અથવા તેની નીચે ફેંકે છે.’ આ પહેલા રેલવે બોર્ડે રેવન્યૂ જનરેટ કરવા અને નોકરીઓ આપવા માટે જોનલ રેલવેને જુના કોચને રેલ થીમવાળા રેસ્ટોરેન્ટમાં બદલવાનો પણ નિર્દેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે, કે છેલ્લા 4 વર્ષમાં જ્યાર થી મોદી સરકારે સત્તા સંભાળી છે, રેલ્વેના ભાડામાં દેશની આઝાદી પછીના સૌથી મોટા વધારા ઝીંકવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ રેલ્વેની સુવિધાઓમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા નથી મળ્યો આથી સરકાર જ્યારે હવે તેના છેલ્લા 5માં વર્ષમાં છે, ત્યારે તેમની પર માનસિક દબાણ છે, કે તેઓ યાત્રીઓ માટે કાંઇક નવુ આપે. આ થી સરકારે રેલ્વેમાં પણ હવે એરલાઇન મોડલ દાખલ કરવા માટેની પહેલની શરૂઆત કરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.