ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની શરૂઆતી મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમે. બીસીસીઆઈએ તેને ટીમમાંથી બહાર રાખવાની પુષ્ટિ કરી છે.
