અંકિતા લોખંડે અને વિકી જૈન સૌથી મોંઘા સેલિબ્રિટી કપલ છે. જેમણે બિગ બોસ 17 ના ઘરમાં એક સાથે પ્રવેશ કર્યો છે. અમે આ બંનેને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ વરસાવતા જોયા છે. પરંતુ સલમાન ખાનના બિગ બોસ 17માં બંને ઘણીવાર એકબીજા સાથે લડતા જોવા મળે છે. હાલમાં જ બંને વચ્ચેની લડાઈ દરમિયાન અંકિતાએ વિકીથી છૂટાછેડાની વાત કરી હતી.
બિગ બોસ 17ના લેટેસ્ટ એપિસોડમાં ફરી એકવાર વિકી જૈન અને ટીવી એકટ્રેસ અંકિતા લોખંડે વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી. હકિકતમાં આ લડાઈ વિકી અને આયેશા ખાન વચ્ચેની વાતચીતથી શરૂ થઈ હતી. જ્યાં બંને લગ્નની મજાક કરતા હતા.
જ્યારે વિકી જૈને આયેશાને કહ્યું કે, ‘પરિણીત લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે’, ત્યારે તેની વાત સાંભળી રહેલી અંકિતા લોખંડે ગુસ્સાથી લાલ-પીળી થઈ જાય છે. અંકિતાએ વિકીને પૂછ્યું કે, શું તે તેને છૂટાછેડા આપવા માંગે છે? વિકી અને અંકિતાને નાની-નાની વાત પર આ રીતે ઝઘડતા જોઈને આયેશા દંગ રહી ગઈ હતી.
શું આયેશા ખાનને લીધે વાત આટલે સુધી પહોંચી?
ખરેખર આયેશા ખાન, મુનવ્વર ફારૂકી, વિકી જૈન અને અંકિતા લોખંડે બિગ બોસના ઘરના ગાર્ડન એરિયામાં એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. જ્યારે આયેશાએ વિક્કીને મેરેજ લાઈફ વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે વિક્કીએ મજાકમાં કહ્યું કે, પરિણીત પુરુષો ક્યારેય કહી શકતા નથી કે તેમને કેટલી પીડા સહન કરવી પડે છે. વિકીની વાત સાંભળ્યા બાદ આયેશાએ કહ્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ તે વિકીના કહેવાથી નહીં પરંતુ તેના પિતાના કારણે લગ્ન કરવા નથી માગતી.
અંકિતાએ યોગ્ય જવાબ આપ્યો
થોડા સમય પછી અંકિતાએ વિક્કીને પૂછ્યું કે, તે આયશા સાથે આ રીતે કેમ વાત કરે છે? ત્યાર પછી વિકીએ અંકિતાના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, હું ક્યારેય કહી શકતો નથી કે મને કેવું લાગે છે. પરિણીત લોકો, ખાસ કરીને પુરુષો આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે.”
વિકીની વાત સાંભળીને અંકિતાએ તેની વાતનો જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું, ‘જો તું આટલી તકલીફમાં છે તો મારી સાથે કેમ રહે છે. ચાલ, છૂટાછેડા લઈ લઈએ મારે તારી સાથે ઘરે નથી જવું.’ જો કે આ વાત કહેતી વખતે અંકિતા જરા પણ સિરિયસ દેખાતી ન હતી.