રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચે ચઢી રહ્યો છે. ત્યારે લોકો જ્યારે પોતાનાં ઘરની બહાર જવા નીકળતા હોય છે ત્યારે તેઓ પાણીનાં પાઉચ લઈને પાણી પીવાનો હંમેશાં આગ્રહ રાખતાં હોય છે પરંતુ હવેથી રાજકોટમાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણ એવું છે કે, મિનરલ વોટરનાં નામથી ઓળખતા પાણીનાં પાઉચમા બેક્ટેરિયા હોવાનું ખુદ રાજકોટ મહાનગર પાલિકાનાં કમિશ્નરે કબુલ કર્યુ છે. જેથી તેમણે પાણીનાં પાઉચ પર પ્રતિબંધ મુકતા સત્તાવાર જાહેરાત કરી હતી. જો કે આવનાર 5 જૂનથી રાજકોટમાં પાણીનાં પાઉચ પર પ્રતિબંધ લાગુ પડશે. મહત્વનું છે કે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ છે જેથી પાણીની આવશ્યકતા સૌને માટે જરૂરી હોય છે. પરંતુ શહેરમાં પ્લાસ્ટીકનું પ્રદુષણ ઓછું થાય તે માટે આગામી ટૂંક સમયમાં પાણીનાં પાઉચ ઉપર હવે પ્રતિબંધ લાદવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. પ્લાસ્ટીકનાં પ્રદૂષણને ફેલાતું અટકાવવાનાં ઉપાય તરીકે આગામી ટૂંક સમયમાં જ પાણીનાં પાઉચ ઉપર પ્રતિબંધ લાવવા રાજકોટ મનપાનાં મ્યુ.કમિશ્નર બંછાનીધી પાની દ્વારા આ અંગે મહત્વની વિચારણા શરૂ કરાઇ છે. જેથી ટૂંક સમયમાં જ પાણીનાં પાઉચ પર પ્રતિબંધનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.