અદાણી ગૃપ સંચાલિત જી. કે. હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિનામાં 111 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે અને તેમાં પણ 18 દિવસમાં 20 જેટલા બાળકોના મોત થતાં સમગ્ર મામલો રાજ્યરભમાં ચર્ચાઇ રહ્યો છે. અદાણી સંચાલિત આ હોસ્પિટલમાં ગત વર્ષ 2017માં પણ 185 બાળકોના મોત થયા હતા. આ મોત મામલે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા આક્ષેપ કરાયા છે કે હોસ્પિટલમાં મફત સારવાર નથી મળી રહી જે અદાણીને વહિવટ સોંપાયા પહેલા મળતી હતી. અદાણી હોસ્પિટલના નામે માત્ર વ્યવસાય કરી રહ્યાં છે. હાઇકોર્ટના આદેશ છતાં આ હોસ્પિટલ તંત્રનો વહિવટ કલેક્ટરને નથી સોંપવામાં આવી રહ્યો. બીજી તરફ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે અહીં આવતા બાળકો કૂપોષિત હોય છે જેના કારણે આટલો મૃત્યુદર છે. છેલ્લા પાંચ મહિનામાં 111 બાળકોના મોત થતા આ મામલે સરકાર દ્વારા એક ટીમ બનાવી હોસ્પિટલ મોકલવામાં આવી છે, જે આ બાળકોના મૃત્યુ અંગે તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.