ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (gst) માટે મુંબઇ સ્થીત ઓથોરોટી ઓફ એડવાન્સ રૂલીંગ દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે , લીક્વીડેટેડ નુકશાની વાળા માલ પર 18 ટકા જીએસટી લાગુ જ રહેશે. ટેક્સ એક્સપર્ટ આ અંગે જણાવે છે કે, આ નિયમને કારણે કોન્ટ્રાક્ટરો ને ભારે નુકસાન જઇ શકે છે. જેના કારણે કોન્ટ્રાક્ટ પધ્ધતીથી ધંધો કરતા વેપારીઓ કોર્ટમાં આ નિયમને પડકારશે. લીક્વીડેટેડ નુકસાની વાળા માલ પર જે રીતે ઓથોરીટીએ જીએસટી 18 ટકા લાગુ જ રાખ્યો છે. અને તેની પાછળનું કારણ જીએસટી એ સ્વતંત્ર્ય ટેક્સ હોવાનુ જાહેર કરે છે. જેના પગલે કોન્ટ્રાક્ટ પધ્ધતીથી વેપાર કરતા વેપારીઓ ને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ નિયમને કારણે કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટ અંર્તગત જે સમય મર્યાદા આપવામાં આવી હોય છે. તે સમય મર્યાદાનુ ઉલ્લંઘન થાય છે. તેના કારણે પેનલ્ટીના ભાગ રૂપે પણ વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. ટેક્સ એક્સપર્ટનુ માનીયે તો , ઓથોરીટીના આ નિયમને તે વેપારીઓ માટે નુકસાન સમાન ગણાવે છે. એટલુ જ નહીં, ટેક્સ ભરનાર વેપારીના મતે જે રીતે જીએસટી દ્વારા નુકસાનીવાળા માલ પર પણ ટેક્સ વસુલાય છે. જે યોગ્ય નથી. ઓથોરીટી ના આ નિર્ણયને પગલે વેપારીઓ તેને કોર્ટમાં પડકાશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.