સુરેન્દ્રનગરના વહાણવટી નગર વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતાં ૪૦૦ જેટલા પરિવારો ને ભરઉનાળે પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડી રહી છે અહીં પાણીની લાઇનો આપવામાં આવેલ છે. પરંતુ પાણી આવતું ન હોવાના કારણે સ્થાનિકો ની હાલત કફોડી બની છે. અહી વર્ષોથી વસવાટ કરતા ૪૦૦ થી વધુ પરિવાર વર્ષોથી પાણીની સમસ્યા ને લઈને મુશ્કેલીનો સામનો કરવાની સાથે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક બેડા પાણી માટે મહિલાઓને બેથી ત્રણ કિ.મી.દૂર રઝળપાટ થી ત્રસ્ત મહિલાઓ ખાલી માટલા સાથે નગરપાલિકા કચેરીએ ધસી જઇ માટલા ફોડી વિરોધ કરતા પણ અફડાતફડી મચી ગયેલ. અને પાણીની સમસ્યા હલ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.