ધ્રાંગધ્રા નાની બજારમાં પી.જી.વી.સી.એલની ટીમ દ્વારા વીજ ચેકીંગ દરમ્યાન પાંચ વીજ જોડાણો કાપી ઉતારી લેવાયા હતા. પરંતુ વિધવા મહિલાના પતિના નામનુ મીટર સમયસર બીલ ભરાતું હોવા છતાંય મહિલાનુ મીટર કપાયુ અને દંડ ભરવા છતાંય જોડાણ ન આપતા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે. પી.જી.વી.સી.એલ ની ટીમ દ્વારા નાની બજાર વિસ્તાર માં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું જે દરમિયાન સમયસર વીજબિલ ભરાતા હોવા છતાંય આડાઅવળા વાયરલ દોડાવી વીજચોરી થતી હોવાની શંકાના આધારે પાંચ જોડાણો કાપી મીટરો ઉતારી દેવાયા હતા. જેમાં નટવર ગિરધરભાઈ દોશી,રમેશચંદ્ર માયાશંકર,સામજી દેવજીભાઈ પીઠવા,ગણપત,શામજીભાઈ લુહાર અને મનુભા ભીખુભા જાડેજા આ પાંચેય નામ થી ચાલતા મીટર ઉતારી વીજજોડાણ દૂર કરાયા હતા જેમાં સ્વ.મનુભા જાડેજા ના વિધવા પત્ની મનહરબા જાડેજા દ્વારા વીજ કંપની ને રજુઆત કરે છે કે મારો કોઈ વાંક નથી છતાં બધાની જોડે મારું મીટર ઉતારી દેવાયું છે તો ફરીથી જોડાણ કરવાનો દંડ ભરવા તૈયાર છું સમયસર બીલ ભરૂ છું તેમ છતાંય પી.જી.વી.સી.એલ દ્વારા મીટર જોડાણ કરવાની કાર્યવાહી કરાતી નથી આ બાબતે ધ્રાંગધ્રા શહેર પી.જી.વી.સી.એલ ના ડેપ્યુટી એન્જિનિયર જાડેજા એ વિધવા મહિલા ના મીટર લગાડવા દંડ ભરવા તૈયાર હોવા છતાંય મીટર કેમ નથી લગાવતા એ બાબતે પૂછતાં રાજકોટ હોવાનું જણાવ્યું અને પી.જી.વી.સી.એલ ની ઓફીસે જાય તયા જણાવવા આવે કે જયા સુધી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ના પી.આઇ એન.કે વ્યાસ અમને મંજૂરી નહીં આપે ત્યાં સુધી અમે તમને મીટર આપશુ નહીં તો શું હવે પી.જી.વી.સી.એલ પણ ધ્રાંગધ્રા સીટી પી.આઇ એન.કે વ્યાસ ઉપર ચાલે છે આ વિધવા મહિલા વીજ બિલ ના જોડાણ માટે દરરોજ ધક્કા ખાય છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.