મોરબીમા અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેના નાણા આજ દિન સુધી ચુકવવામાં આવ્યા નથી. ત્યારે ખેડૂતોને તાકીદે નાણાની ચુકવણી કરવામાં આવે તેવી માંગ સાથે માર્કેટીંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ રજુઆતમાં જણાવ્યું હતુકે મોરબી, મિયાણા અને ટંકારા આમ ત્રણ તાલુકા વચ્ચે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લી.દ્વારા મગફળીનું કેન્દ્ર ચાલુ હતું.જેમાં સરકાર દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી.જેના નાણા ખેડૂતોના ખાતામાં આજ દિન સુધી જમા થયા નથી. ખેડૂતોને હાલમાં બેંકો તેમજ સરકારી મંડળીઓમાં ધિરાણ ભરવાનો સમય હોવાથી તાત્કાલિક રૂપિયાની જરૂરિયાત છે.આ ધિરાણ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને વ્યાજ ભરવું પડશે.ખેડુતો બાકી નાણા મેળવવા સેન્ટર તથા એ.પી.એમ.સી.માં ધક્કા ખાઈ રહ્યા છે.ત્યારે ખેડૂતોને તેના પાકના નાણા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.