મુખ્ય તેલીબીયા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.આર.બી.માદરીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જે મગફળીની ઉભડી જાતો ખેડૂતો વાવતા હતા તેમાં ૪૦ થી ૪૫ ટકા જેટલું ઓલીક એસિડનું પ્રમાણ રહેલું હતું જેની સામે લોકોના આરોગ્ય અને તેલ સંગ્રહ શક્તિમાં વધારો કરવા માટે તેલીબિયાં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા સંશોધન કરીને વર્ષ 2022માં જીજી-39(સોરઠ ઉત્તમ) અને જીજી-40 (ઓલ ઇન્ડિયા માટે) ની જાત બહાર પાડવામાં આવી છે આ બંને જાતો સ્વાસ્થ્ વર્ધક હોવાને લીધે હૃદય રોગની બીમારીને મહદ અંશે ઘટાડી શકે છે કારણે મેડિકલ સાયન્સ મુજબ ઓલીક એસિડની માત્ર જેમાં વધુ હોય તે ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધતું નથી આમ હાર્ટ એટેક આવવાના ચાન્સમાં 25 થી 30 ટકા ઘટી જાય છે આ નવી બહાર પાડેલી જાત જીજી-39 ને સોરઠ ઉત્તમ નામ આપવામાં આવ્યું છે જે રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે જેથી આગામી વર્ષથી બંને જાતના બિયારણો ખેડૂતો સુધી પહોંચી રહેશે જ્યારે જીજી-40 ને રાજ્ય બહાર દેશના અન્ય રાજ્યોમાં ખેતી કરવા માટે બહાર પાડવામાં આવેલ છે મગફળીની ઉભડી આ બંને જાતો ચોમાસામાં વાવણી કરતા ખેડૂતો માટે અતિ ઉપયોગી નિવડી શકે તેમ છે

