ઉપલેટા શહેરમાં શહિદ અર્જુન રોડ પર આવેલ દેવરામ શેરીની મહિલા મંડળ દ્વારા ભાગવત કથા, ગરીબોની સહાય વગેરે જેવી સેવાકીય પ્રવૃત્તિ કરતી આ બહેનો દ્વારા એક્યુપ્રેશર થેરાપીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જાડાપણું, ઘૂંટણના દર્દ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, પેરાલીસીસ, શ્વાસની તકલીફ, માથાનો દુખાવો, કાન-નાક તથા ગળાની તકલીફ જેવા અનેક રોગોનો ઈલાજ દવા વગર એક્યુપ્રેશર સુજોક તથા મેગ્નેટ થેરાપીના કૅમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. દરેક દર્દીને વ્યક્તિગત રીતે સારવાર આપવા હનુમાનગઢ, રાજસ્થાનથી એક્યુપ્રેશરના નિષ્ણાત આર. કે. શર્માએ પોતાની સેવાઓ આપી હતી. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. મહિલા મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં જ વાપરવામાં આવશે એવો મહિલા મંડળના ચંપાબેન ગજેરાએ જણાવાયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.