પંજાબ નેશનલ બેન્કમાં થયેલા રૂ. 11,356 કરોડના કૌભાંડમાં હવે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પણ એક્શન લેવાનું શરૂ કર્યું છે. તેમણે આરબીઆઈ પાસેથી રૂ. 2000 કરોડ સુધીની લોનના ડિફોલ્ટર્સનું લિસ્ટ માગ્યું છે. તે સાથે જ પીએનબી અને ગીતાંજલી જેમ્સ કંપનીને શો-કોઝ નોટિસ આપી છે. પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પીએનબી લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ હીરા વેપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રૂપ પર કાર્યવાહી કરી રહ્યા છે.
પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરને સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસ સાથે જોડાયેલી એફઆઈઆરની કોપી અને ફ્રોડ સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી છે. લેટર જાહેર કરીને સેબી, સીબીઆઈ, ઈડી અને પંજાબ નેશનલ બેન્ક પાસેથી ફ્રોડની માહિતી માંગવામાં આવી છે. 15 ફેબ્રુઆરીએ જાહેર કરેલા આ લેટરમાં તપાસ એજન્સી પાસેથી ફ્રોડમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોઈ ફર્મ સાથે જોડાયેલું હોવાની પણ શંકા છે. આરબીઆઈના આ દરેક લોકોની લિસ્ટ આપવા કહ્યું છે. જેમના પર રૂ. 2,000 કરોડથી વધારે લોન બાકી હોય.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.