જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર યમુનાનગર-2માં રહેતી કૈલાસબેન ભનુભાઇ પરમાર (ઉ. 48) નામની મહિલાની તેનાજ પતિ ભનુ વાલાભાઇ પરમારે કપાળમાં બેટના ફટકા મારી હત્યા કરી નાંખ્યાની ફરિયાદ કૈલાસબેનનાં પિતા કાનાભાઇ સરવૈયાએ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગણત્રીનાં કલાકોમાંજ ભનુને ખામધ્રોળ રોડ પરથીજ ઝડપી લીધો હતો.
પોલીસ સમક્ષ તેણે જણાવ્યું હતું કે, પોતે રોજબરોજનાં કજીયાથી કંટાળી ગયો હતો. આથી તેને એક ઘા કપાળમાં અને બે ઘા મગજનાં ભાગે માર્યા હતા. જોકે, બાદમાં પોતાની ભૂલનું ભાન થતાં ઘરને બહારથી સ્ટોપર મારીને નિકળી ગયો. અને પોતાના સસરા કાનાભાઇને ફોન કરી કહ્યું, મેં કૈલાસના માથામાં બેટ માર્યું છે. અને હું ભાગી ગયો છું. તમે તાત્કાલીક આવી જાવ. આથી તેઓ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અને પોતાના જમાઇ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ભનુ પરમાર ઝડપાયા બાદ પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલું બેટ અને અન્ય પુરાવાઓ કબ્જે કર્યા હતા. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કર્યો હતો


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.